Saturday, January 24 2026 | 11:32:43 PM
Breaking News

પીએમ નરેન્દ્ર મોદીએ યુકેના મહામહિમ કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે વાતચીત કરી

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​યુનાઇટેડ કિંગડમના મહામહિમ કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે વાત કરી.

બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને યાદ કરીને, બંનેએ ભારત અને યુકે વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

તેઓએ કોમનવેલ્થ ઓફ નેશન્સ અને સમોઆમાં તાજેતરમાં પૂર્ણ થયેલ કોમનવેલ્થ હેડ ઓફ ગવર્મેન્ટ મીટીંગ અંગે મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.

ક્લાઈમેટ એક્શન અને સ્થિરતા સહિત પરસ્પર હિતના અનેક વિષયો પર પણ ચર્ચાઓ થઈ હતી. પ્રધાનમંત્રીએ આ મુદ્દાઓ પર મહામહિમની સતત હિમાયત અને પહેલ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી અને તેમને ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી બહુવિધ પહેલ વિશે માહિતી આપી હતી.

તેઓ બંનેએ ક્રિસમસ અને નવા વર્ષના આગામી તહેવારોના પ્રસંગો પર શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું.

પ્રધાનમંત્રીએ રાજાને તેમના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

ભારત 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું પ્રતિષ્ઠિત અધ્યક્ષપદ સંભાળશે

કિમ્બર્લી પ્રોસેસ (KP) પ્લેનરીએ 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની પસંદગી કરી છે. કિમ્બર્લી પ્રોસેસ એ સરકારો, આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ અને નાગરિક સમાજને સાંકળતી એક ત્રિપક્ષીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય “કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ”ના વેપારને રોકવાનો છે—જે રફ હીરાનો ઉપયોગ બળવાખોર જૂથો અથવા તેમના સાથીઓ દ્વારા કાયદેસરની સરકારોને નબળી પાડતા સંઘર્ષો માટે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ભારત નવા વર્ષમાં અધ્યક્ષપદ સંભાળતા પહેલા, 25 ડિસેમ્બર 2025 થી KPના ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર …