Saturday, December 06 2025 | 07:59:43 AM
Breaking News

પ્રધાનમંત્રીએ મહામહિમ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધન પર શોક વ્યક્ત કર્યો

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ તેમની એક સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું. તેમણે આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તીકરણ જેવા ક્ષેત્રોમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.
X ના રોજ એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“મહામહિમ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું. આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તીકરણ જેવા ક્ષેત્રોમાં તેમનું યોગદાન ઘણા લોકોને પ્રેરણા આપતું રહેશે. હું હંમેશા તેમની સાથેની મારી વાતચીતને યાદ રાખીશ. તેમના પરિવાર અને વિશ્વભરના લાખો અનુયાયીઓ અને પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.”

About Matribhumi Samachar

Check Also

ભારતના રાષ્ટ્રપતિએ વર્ષ 2025 માટે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો રજૂ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(3 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે …