Thursday, January 08 2026 | 06:20:59 PM
Breaking News

જનરલ સૈયદ ચાનેગ્રિહા, રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રીના પ્રતિનિધિ, પીપલ્સ નેશનલ આર્મી, અલ્જેરિયાના ચીફ ઓફ સ્ટાફ ભારતની મુલાકાતે આવશે

Connect us on:

અલ્જેરિયાના જનરલ સૈયદ ચાનેગ્રિહા, રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રીના પ્રતિનિધિ, પીપલ્સ નેશનલ આર્મીના ચીફ ઓફ સ્ટાફ 06 થી 12 ફેબ્રુઆરી, 2025 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. તેઓ બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2025ના ઉદ્ઘાટનમાં હાજરી આપશે અને રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ સાથે વાતચીત કરશે. મંત્રીનાં પ્રતિનિધિ શ્રી  “BRIDGE – Building Resilience through International Defence and Global Engagement” થીમ પર સંરક્ષણ મંત્રીઓના સંમેલનમાં હાજરી આપશે.  જે વ્યૂહાત્મક ભાગીદારી તરફ સંવાદને સરળ બનાવશે. તેઓ એરો ઇન્ડિયા અંતર્ગત પોતાના સમકક્ષો સાથે મહત્વપૂર્ણ બેઠકો પણ કરશે.

નવી દિલ્હીમાં જનરલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. તેઓ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ સાથે પણ મુલાકાત કરશે.

જનરલ ચાનેગ્રિહા કેટલીક લશ્કરી સંસ્થાઓની પણ મુલાકાત લેશે.  જેમાં ડિફેન્સ સ્પેસ એજન્સીના ડિફેન્સ ઇમેજ પ્રોસેસિંગ એન્ડ એનાલિસિસ સેન્ટર, ખડકવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડેમી અને પ્રીમિયર નેવલ એવિએશન તાલીમ સંસ્થા INS હંસાનો સમાવેશ થાય છે. તેઓ બ્રહ્મોસ એરોસ્પેસ, ગોવા શિપયાર્ડ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, L&T ડિફેન્સ અને ભારત ફોર્જ સહિત ડિફેન્સ અને એરોસ્પેસ જાહેર અને ખાનગી સંસ્થાઓની પણ મુલાકાત લેશે.

જનરલ ચાનેગ્રિહાની આ યાત્રા ભારત અને અલ્જેરિયાના સૈન્ય વચ્ચે સતત સહયોગ માટે માર્ગ મોકળો કરશે. તે બે મૈત્રીપૂર્ણ રાષ્ટ્રો વચ્ચે મજબૂત બંધનો અને ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર તેમના સહયોગને વધારશે.

About Matribhumi Samachar

Check Also

ભારત 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું પ્રતિષ્ઠિત અધ્યક્ષપદ સંભાળશે

કિમ્બર્લી પ્રોસેસ (KP) પ્લેનરીએ 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની પસંદગી કરી છે. કિમ્બર્લી પ્રોસેસ એ સરકારો, આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ અને નાગરિક સમાજને સાંકળતી એક ત્રિપક્ષીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય “કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ”ના વેપારને રોકવાનો છે—જે રફ હીરાનો ઉપયોગ બળવાખોર જૂથો અથવા તેમના સાથીઓ દ્વારા કાયદેસરની સરકારોને નબળી પાડતા સંઘર્ષો માટે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ભારત નવા વર્ષમાં અધ્યક્ષપદ સંભાળતા પહેલા, 25 ડિસેમ્બર 2025 થી KPના ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર …