Wednesday, January 28 2026 | 06:39:35 PM
Breaking News

દ્વિતીય વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા શિખર સંમેલન –2025નું આયોજન

Connect us on:

ભારત આગામી સપ્તાહે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નું દ્વિતીય વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા શિખર સંમેલનનું આયોજન કરશે. આ સંમેલન પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના વૈશ્વિક ભવિષ્યને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

May be an image of one or more people, people studying, newsroom and text

ક્ષેત્રીય આયુર્વેદ અનુસંધાન સંસ્થાન, અમદાવાદ દ્વારા આયોજિત આ સંવાદદાતા સંમેલનમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક આરોગ્ય પ્રણાલી સાથે જોડવાના પ્રયત્નો, સંશોધન આધારિત અભિગમની આવશ્યકતા અને આધુનિક ટેકનોલોજી સાથેના સમન્વય અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

ક્ષેત્રીય આયુર્વેદ અનુસંધાન સંસ્થાન, અમદાવાદ જે કેન્દ્રીય આયુર્વેદિક વિજ્ઞાન અનુસંધાન પરિષદ (CCRAS)નું ઘટક સંસ્થાન છે, આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત થનારા આ વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા શિખર સંમેલનનો મુખ્ય હેતુ પરંપરાગત ચિકિત્સા, સ્વાસ્થ્ય, જ્ઞાન અને વ્યવહાર વચ્ચે સંતુલન સ્થાપિત કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય અને કલ્યાણને પ્રોત્સાહિત કરવાનો છે. આ સંમેલનમાં 100થી વધુ દેશોના નીતિનિર્માતાઓ, વૈજ્ઞાનિકો અને આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ, તેમજ 5,000થી વધુ પ્રતિનિધિઓની ભાગીદારીની અપેક્ષા છે.

સંમેલનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સમન્વય સાથે આયુષ આહાર, હર્બલ ગાર્ડન, હિલ ઇન ઇન્ડિયા, યોગ ફ્યુસન પર આધારિત આયુષ એક્સ્પોનું આયોજન કરવામાં આવશે. ભારતની પ્રસિદ્ધ તથા મહત્તમ સંશોધિત ઔષધી વનસ્પતિ ‘અશ્વગંધા’ વિષયક વિશેષ સત્ર મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત 20થી વધુ દેશો સાથે પરંપરાગત ચિકિત્સાના વિકાસ પર કેન્દ્રિત દ્વિપક્ષીય બેઠકો યોજાશે જેમાં આ દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ ભાગ લેશે. સંમેલનમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આધુનિક આરોગ્ય વ્યવસ્થામાં વૈજ્ઞાનિક પુરાવા આધારિત રીતે કેવી રીતે સંકલિત કરી શકાય, તે મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થશે.

આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સમાં આયોજક સંસ્થાના વડા ડૉ. કિરણ વિનાયક કાલે, મદદનીશ નિયામક તેમજ અન્ય વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ સંમેલનની તૈયારી અને કાર્યયોજનાના વિવિધ મુદ્દાઓ અંગે જાણકારી આપી હતી.

સંમેલનના અંતિમ દિવસે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને WHOના ડાયરેક્ટર જનરલની ઉપસ્થિતિ અપેક્ષિત છે, જે આ વૈશ્વિક કાર્યક્રમને વિશેષ મહત્વ આપશે.

About Matribhumi Samachar

Check Also

ભારત 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું પ્રતિષ્ઠિત અધ્યક્ષપદ સંભાળશે

કિમ્બર્લી પ્રોસેસ (KP) પ્લેનરીએ 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની પસંદગી કરી છે. કિમ્બર્લી પ્રોસેસ એ સરકારો, આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ અને નાગરિક સમાજને સાંકળતી એક ત્રિપક્ષીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય “કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ”ના વેપારને રોકવાનો છે—જે રફ હીરાનો ઉપયોગ બળવાખોર જૂથો અથવા તેમના સાથીઓ દ્વારા કાયદેસરની સરકારોને નબળી પાડતા સંઘર્ષો માટે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ભારત નવા વર્ષમાં અધ્યક્ષપદ સંભાળતા પહેલા, 25 ડિસેમ્બર 2025 થી KPના ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર …