Friday, January 02 2026 | 05:36:59 AM
Breaking News

પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે, “પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી એક સ્વપ્નદ્રષ્ટા વિચારક હતા જેમણે ભારતની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા. સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાનનું તેમનું દર્શન એક મજબૂત રાષ્ટ્ર તરફની આપણી યાત્રાને પ્રેરણા આપે છે.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;

“પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીની પુણ્ય તિથિ પર અમે તેમણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા વિચારક હતા જેમણે ભારતની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા. સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાનનું તેમનું દર્શન એક મજબૂત રાષ્ટ્ર તરફની આપણી યાત્રાને પ્રેરણા આપે છે. તેમનું બલિદાન અને આદર્શો પ્રગતિ અને એકતા માટેના આપણા સામૂહિક મિશનમાં માર્ગદર્શક બળ બની રહે છે.”

About Matribhumi Samachar

Check Also

આર્મી હોસ્પિટલ (રિસર્ચ એન્ડ રેફરલ)એ ભારતની પ્રથમ 3D ફ્લેક્સ એક્વિયસ એન્જીયોગ્રાફી iStentની સાથે કરી

ભારતીય દવા માટે એક સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં દિલ્હી કેન્ટની આર્મી હોસ્પિટલ (રિસર્ચ એન્ડ રેફરલ) ખાતે નેત્રરોગ …