Saturday, February 07 2026 | 07:10:18 PM
Breaking News

પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ માર્સેલીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને, આજે માર્સેલીમાં નવા ખુલેલા ભારતના કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ છે. ઉદ્ઘાટન સમયે રાષ્ટ્રપતિ મેક્રોનની હાજરી એક ખાસ સંકેત હતો અને પ્રધાનમંત્રીએ તેમની ખૂબ પ્રશંસા કરી. કોન્સ્યુલેટમાં, બંને નેતાઓનું ભારતીય ડાયસ્પોરાના સભ્યો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું જેઓ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે એકઠા થયા હતા.

જુલાઈ 2023માં પ્રધાનમંત્રીની ફ્રાન્સ મુલાકાત દરમિયાન માર્સેલીમાં કોન્સ્યુલેટ જનરલ ખોલવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. કોન્સ્યુલેટ જનરલ પાસે ફ્રાન્સના દક્ષિણમાં ચાર ફ્રેન્ચ વહીવટી પ્રદેશો, જેમ કે – પ્રોવેન્સ આલ્પ્સ કોટ ડી’અઝુર, કોર્સિકા, ઓક્સિટેની અને ઓવર્ગેન-રોન-આલ્પ્સ પર કોન્સ્યુલર અધિકારક્ષેત્ર હશે.

ફ્રાન્સનો આ પ્રદેશ વેપાર, ઉદ્યોગ, ઊર્જા અને વૈભવી પર્યટનનો પર્યાય છે અને ભારત સાથે નોંધપાત્ર આર્થિક, સાંસ્કૃતિક અને લોકોથી લોકો સુધીના સંબંધો ધરાવે છે. ફ્રાન્સના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં નવા કોન્સ્યુલેટ જનરલ બહુપક્ષીય ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

About Matribhumi Samachar

Check Also

ભારત 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું પ્રતિષ્ઠિત અધ્યક્ષપદ સંભાળશે

કિમ્બર્લી પ્રોસેસ (KP) પ્લેનરીએ 1 જાન્યુઆરી 2026થી કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની પસંદગી કરી છે. કિમ્બર્લી પ્રોસેસ એ સરકારો, આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ અને નાગરિક સમાજને સાંકળતી એક ત્રિપક્ષીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય “કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ”ના વેપારને રોકવાનો છે—જે રફ હીરાનો ઉપયોગ બળવાખોર જૂથો અથવા તેમના સાથીઓ દ્વારા કાયદેસરની સરકારોને નબળી પાડતા સંઘર્ષો માટે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ભારત નવા વર્ષમાં અધ્યક્ષપદ સંભાળતા પહેલા, 25 ડિસેમ્બર 2025 થી KPના ઉપાધ્યક્ષ તરીકેનો કાર્યભાર …