Tuesday, December 16 2025 | 11:02:46 PM
Breaking News

પ્રધાનમંત્રી 19 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાત લેશે.

સવારે લગભગ 10:00 વાગ્યે, પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના પવિત્ર મંદિર અને મહાસમાધિની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જીવન, ઉપદેશો અને શાશ્વત વારસાને સમર્પિત એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટોનો સેટ બહાર પાડશે. તેઓ આ કાર્યક્રમ દરમિયાન સભાને પણ સંબોધિત કરશે.

ત્યારબાદ, પ્રધાનમંત્રી તમિલનાડુના કોઈમ્બતુર જશે, જ્યાં તેઓ બપોરે 1:30 વાગ્યે દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ સમિટ 2025નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દેશભરના 9 કરોડ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે ₹18,000 કરોડથી વધુના PM-KISANના 21મા હપ્તાનું અનાવરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

19 થી 21 નવેમ્બર, 2025 દરમિયાન યોજાનારી દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ સમિટ 2025નું આયોજન તમિલનાડુ પ્રાકૃતિક ખેતી હિતકારક ફોરમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમિટનો ઉદ્દેશ્ય ટકાઉ, પર્યાવરણને અનુકૂળ અને રસાયણમુક્ત કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને ભારતના કૃષિ ભવિષ્ય માટે એક વ્યવહારુ, જળવાયુ-અનુકુળ અને આર્થિક રીતે ટકાઉ મોડેલ તરીકે કુદરતી અને પુનર્જીવિત ખેતી તરફના પરિવર્તનને વેગ આપવાનો છે.

આ સમિટ ખેડૂત-ઉત્પાદક સંગઠનો અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકો માટે બજાર જોડાણો બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, તેમજ ઓર્ગેનિક ઇનપુટ્સ, કૃષિ-પ્રક્રિયા, પર્યાવરણને અનુકૂળ પેકેજિંગ અને સ્વદેશી તકનીકોમાં નવીનતાઓ પ્રદર્શિત કરશે. આ કાર્યક્રમમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશના 50,000થી વધુ ખેડૂતો, પ્રાકૃતિક ખેતીના વ્યવસાયિકો, વૈજ્ઞાનિકો, ઓર્ગેનિક ઇનપુટ સપ્લાયર્સ, વિક્રેતાઓ અને હિસ્સેદારો ભાગ લેશે.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ દિલ્હી-NCR માટે સમીક્ષા બેઠકોની શ્રેણીના ભાગરૂપે ગુરુગ્રામ અને ફરીદાબાદનું વાયુ પ્રદૂષણ ઘટાડવાની કાર્ય યોજનાઓ પર ઉચ્ચ-સ્તરીય સમીક્ષાની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, શ્રી ભૂપેન્દ્ર યાદવે, આજે NCRના આ શહેરોમાં હવા પ્રદૂષણનો સામનો કરવા માટે …