Thursday, April 16 2026 | 10:18:58 PM
Breaking News

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 24 જાન્યુઆરીનાં રોજ મુંબઈમાં નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનયુસીએફડીસી)ની કોર્પોરેટ ઓફિસનું ઉદ્ઘાટન કરશે

Connect us on:

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન 24 જાન્યુઆરીએ મુંબઈમાં નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનયુસીએફડીસી)ની કોર્પોરેટ ઓફિસનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં “સહકાર સે સમૃદ્ધિ”નાં વિઝનને વધુ મજબૂત કરવા માટે સહકારી ક્ષેત્રની કેટલીક મુખ્ય પહેલો શરૂ કરવામાં આવશે. શ્રી અમિત શાહ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 માટે પ્રવૃત્તિઓનું વાર્ષિક કેલેન્ડર પણ બહાર પાડશે. દેશભરમાં 10,000 નવી રચાયેલી બહુહેતુક સહકારી મંડળીઓ માટે તાલીમ કાર્યક્રમોનો શુભારંભ કરશે અને પ્રાથમિક સહકારી મંડળીઓ માટે રેન્કિંગ માળખું પ્રસ્તુત કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં વિઝન અને અથાગ પ્રયત્નો હેઠળ સરકારે શહેરી સહકારી બેંકોને તેમના વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓનું સમાધાન કરવા માટે નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનયુસીએફડીસી) નામની અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન (યુઓ) ની સ્થાપનાને મંજૂરી આપી છે. તેનાથી આશરે 1,500 શહેરી સહકારી બેંકો (યુસીબી)ને જરૂરી આઇટી માળખાગત સુવિધા અને કામગીરીમાં મદદ મળશે. આરબીઆઈની મંજૂરી અનુસાર, છત્રી સંસ્થા એક સ્વ-નિયમનકારી સંસ્થા તરીકે કામ કરશે, જેમાં ₹300 કરોડની પેઈડ-અપ મૂડી મેળવ્યા પછી આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવતા કાર્યો અને પ્રવૃત્તિઓ સાથે કામ કરશે. છત્ર સંસ્થાને આરબીઆઈ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તેઓ નોંધણીની તારીખથી એક વર્ષ કરતા વધુ સમય પછી એટલે કે 8 ફેબ્રુઆરી, 2025 સુધીમાં પેઇડ-અપ મૂડી પ્રાપ્ત કરે.

આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની વાર્ષિક પ્રવૃત્તિઓની સૂચિ જાહેર કરવાથી સહકારી ચળવળને એક નવું પરિમાણ મળશે. આ પ્રવૃત્તિઓ દ્વારા દેશભરમાં સહકારી સંસ્થાઓની ભાગીદારી વધારવામાં આવશે અને વૈશ્વિક સ્તરે સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવામાં આવશે.

સહકારી વર્ષની પ્રવૃત્તિઓથી વૈશ્વિક સ્તરે સહકારનું મહત્વ સમજવામાં મદદ મળશે. તેનાથી વિવિધ દેશો વચ્ચે અનુભવ અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન થશે, જે ભારતમાં સહકારી સંસ્થાઓને વધારે મજબૂત બનાવશે. તે સહકારી મંડળીઓ મારફતે ગ્રામીણ વિકાસ, રોજગાર નિર્માણ અને આર્થિક વૃદ્ધિનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઉત્પ્રેરક બની રહેશે. સાથે સાથે તે સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવામાં અને તેમના સામાજિક-આર્થિક વિકાસમાં પણ મદદ કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ નવી રચાયેલી 10,000 મલ્ટિપર્પઝ કોઓપરેટિવ સોસાયટીઝનાં તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. જે આ સોસાયટીઓને જરૂરી ક્ષમતા સાથે સશક્ત બનાવીને તેમની કાર્યદક્ષતામાં વધારો કરશે. આ અંતર્ગત સહકારી મંડળીઓને આધુનિક વ્યવસ્થાપન, નાણાંકિય આયોજન, ડિજિટાઇઝેશન અને સુશાસન અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે. 11,352 મલ્ટી પર્પઝ કોઓપરેટિવ સોસાયટીઝ (MPACS) માટે કુલ 1,135 તાલીમ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. દરેક કાર્યક્રમમાં 50 સહભાગીઓને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. જેમાં કુલ 56,760 લોકોને તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવશે, જેમાં 43 માસ્ટર ટ્રેનર્સની સહાય લેવામાં આવશે.

શ્રી અમિત શાહ પ્રાથમિક સહકારી મંડળીઓ માટે રેન્કિંગ ફ્રેમવર્કનો પણ શુભારંભ કરશે. જે સહકારી મંડળીઓની કામગીરીનાં મૂલ્યાંકન માટે સમર્પિત સિસ્ટમ પ્રદાન કરશે. રેન્કિંગનું આ માળખું સમિતિઓને પારદર્શકતા, કાર્યદક્ષતા અને અસરકારકતા વધારવામાં મદદરૂપ થશે. જેથી તેમની વિશ્વસનીયતા અને સ્પર્ધાત્મકતામાં વધારો થશે. આ રેન્કિંગ માળખું પ્રાથમિક સહકારી મંડળીઓને કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા માટે ગેપ આઇડેન્ટિફિકેશન, મૂલ્યાંકન, નિર્ણય લેવાની વ્યવસ્થા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સાથે જ શ્રી શાહ સહકાર મંત્રાલય અને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્ય ક્ષેત્રોમાં ટોચનું પ્રદર્શન કરનાર અને કાર્યરત સહકારી મંડળીઓનું સન્માન કરશે.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ભારતના વારસાની ઉજવણી કરતા ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

ટપાલ વિભાગ, પ્રધાનમંત્રી સંગ્રહાલયના સહયોગથી, 14 થી 17 એપ્રિલ 2026 દરમિયાન “એક ભારત, શ્રેષ્ઠ ભારત: ટપાલ ટિકિટો દ્વારા ભારતની એકતા અને લોકશાહીની ઉજવણી” શીર્ષક હેઠળ એક ફિલાટેલિક (ટપાલ ટિકિટ સંગ્રહ) પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ખૂબ જ રસપૂર્વક પ્રદર્શિત વસ્તુઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન, તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલાટેલિસ્ટ્સ (ટિકિટ સંગ્રહકો), સ્ટેમ્પ કલેક્ટર્સ અને ડિઝાઇનર્સ સાથે વાતચીત કરી હતી અને ભારતના સમૃદ્ધ ટપાલ વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રદર્શન ભારતની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક વારસો અને ટપાલ પરંપરાઓને પ્રતિબિંબિત કરતી ટપાલ ટિકિટોનો સંગ્રહ રજૂ કરે છે, જેમાં રાષ્ટ્રના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પરના વિષયો આધારિત હાઇલાઇટ્સ છે, જે મુલાકાતીઓને આકર્ષક અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે. શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરે છે અને નિહાળે છે. આ પ્રસંગે બોલતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે આ દિવસ ટપાલ વિભાગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેમણે પ્રધાનમંત્રી સંગ્રહાલયની ટીમના સમર્થન અને સહયોગ માટે તેમનો નિષ્ઠાવાન આભાર વ્યક્ત કર્યો હતો. આઝાદીના યુગથી અમૃત કાળ અને તેનાથી આગળ શતાબ્દી કાળ સુધીની ભારતની સફર પર પ્રતિબિંબ પાડતા, તેમણે પુનરોચ્ચાર કર્યો કે ટપાલ વિભાગ રાષ્ટ્ર નિર્માણમાં તેની મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જે તેણે સમગ્ર ઇતિહાસમાં કર્યું છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે ટપાલ વિભાગ અને પ્રધાનમંત્રી સંગ્રહાલય દેશભરમાં ફિલાટેલિક પ્રદર્શનોનું આયોજન કરવા માટે તેમની ભાગીદારીને મજબૂત બનાવશે, જે ભારતનો સમૃદ્ધ વારસો અને વિરાસત પ્રદર્શિત કરશે.    આ પ્રસંગે પિક્ચર પોસ્ટકાર્ડ્સનું વિમોચન આ પ્રસંગે, પ્રધાનમંત્રી સંગ્રહાલયના 4થા સ્થાપના દિવસ, 14 એપ્રિલ, 2026 ના રોજ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ અને ભારતના બંધારણની યાદમાં પિક્ચર પોસ્ટકાર્ડના ત્રણ અલગ-અલગ સેટ બહાર પાડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને ટપાલ વિભાગ વચ્ચે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર પ્રદર્શનો, આઉટરીચ કાર્યક્રમો અને સહ-બ્રાન્ડેડ ફિલાટેલિક ઉત્પાદનો દ્વારા ભારતની સાંસ્કૃતિક અને ટપાલ વિરાસતને પ્રોત્સાહન આપવા માટે સહયોગ મજબૂત કરવા માટે ટપાલ વિભાગ અને સંગ્રહાલય વચ્ચે એક સમજૂતી પત્ર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી મ્યુઝિયમમાં સમર્પિત ઈન્ડિયા પોસ્ટ કાઉન્ટર સ્થાપવાની શક્યતા પણ તપાસશે. આ કાર્યક્રમ સાંસ્કૃતિક સંસ્થાઓ અને ટપાલ વારસા વચ્ચેના સંકલનને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના સમર્પિત પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પ્રધાનમંત્રીના જીવન, નેતૃત્વ અને મુખ્ય પહેલોને પ્રદર્શિત કરતા પ્રદર્શનો નિહાળ્યા હતા.