Monday, December 29 2025 | 04:20:05 AM
Breaking News

ભારતના રાષ્ટ્રપતિએ સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું

Connect us on:

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (25 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તમામ સંથાલી લોકો માટે આ ગૌરવ અને આનંદની વાત છે કે ભારતનું સંવિધાન હવે ‘ઓલ ચિકી’ લિપિમાં લખાયેલ સંથાલી ભાષામાં ઉપલબ્ધ છે. તે તેમને પોતાની ભાષામાં સંવિધાન વાંચવા અને સમજવા માટે સક્ષમ બનાવશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આ વર્ષે આપણે ‘ઓલ ચિકી’ લિપિની શતાબ્દીની ઉજવણી કરી રહ્યા છીએ. તેમણે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અને તેમની ટીમને ‘ઓલ ચિકી’ લિપિના શતાબ્દી વર્ષમાં ભારતના સંવિધાનને આ લિપિમાં લાવવા બદલ બિરદાવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલનો સમાવેશ થાય છે.

સંથાલી ભાષા, જેને 92મા સુધારા અધિનિયમ, 2003 દ્વારા સંવિધાનની આઠમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવી હતી, તે ભારતની સૌથી પ્રાચીન જીવંત ભાષાઓમાંની એક છે. તે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો દ્વારા બોલવામાં આવે છે.

About Matribhumi Samachar

Check Also

‘મન કી બાત’ના 129મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.12.2025)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ માં આપનું ફરીથી સ્વાગત છે, અભિનંદન છે. કેટલાક દિવસોમાં જ વર્ષ 2026 ટકોરા …