Sunday, December 07 2025 | 07:54:34 AM
Breaking News

લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ લાલા લજપત રાયને પુષ્પાંજલિ અર્પણ કરી

Connect us on:

લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ‘પંજાબ કેસરી’ શ્રી લાલા લજપત રાયજીની જન્મજયંતિ પર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

આ પ્રસંગે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ, સંસદસભ્યો, ભૂતપૂર્વ સાંસદો, લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ અને અન્ય મહાનુભાવોએ પણ લાલા લજપત રાયને પુષ્પાંજલિ અર્પણ કરી.

આ પ્રસંગે, લોકસભા સચિવાલય દ્વારા હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત લાલા લજપત રાયના જીવનચરિત્ર પરની પુસ્તિકા ઉપસ્થિત મહાનુભાવોને અર્પણ કરવામાં આવી હતી.

તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ 17 નવેમ્બર, 1956ના રોજ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં લાલા લજપત રાયના ચિત્રનું અનાવરણ કર્યું હતું.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

ભારતના રાષ્ટ્રપતિએ વર્ષ 2025 માટે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો રજૂ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(3 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે …