Thursday, April 16 2026 | 07:09:25 AM
Breaking News

ડાક વિભાગે સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા અપાવવામાં આવી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પ્રતિજ્ઞા

Connect us on:

ભારતના “લોહપુરુષ” સરદાર વલ્લભભાઇ પટેલજીની જન્મજયંતિ, 31 ઓક્ટોબર, સમગ્ર દેશમાં વિશાળ ઉત્સાહ, ગર્વ અને શ્રદ્ધા સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવાઇ. આ જ શ્રેણીમાં, ભારતીય ડાક વિભાગ દ્વારા અમદાવાદમાં આયોજિત એક સમારંભમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સરદાર પટેલના આદર્શો તથા વિચારો પર પ્રકાશ પાડ્યો અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની શપથ લેતા, ડાક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે રાષ્ટ્રની એકતા, અખંડતા તથા સુરક્ષાને જાળવવા માટે તેમની ફરજોને નિષ્ઠાપૂર્વક બજાવવા પ્રોત્સાહિત કર્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે સ્વાતંત્ર્ય આંદોલનથી લઈને રાષ્ટ્ર નિર્માણ સુધી, સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય રહ્યું. તેમની અનોખી પ્રતિબદ્ધતા અને અડગ સંકલ્પ દરેક વખતે આપણને રાષ્ટ્રની એકતા, અખંડતા અને સેવા માટે પ્રેરણા આપશે. નવ સ્વતંત્ર દેશમાં રાષ્ટ્રીય એકીકરણની દિશામાં સરદાર પટેલની પ્રતિબદ્ધતાએ તેમને “ભારતના લોહપુરુષ” નો ખિતાબ આપ્યો, તો અખિલ ભારતીય  સેવા પ્રણાલી સ્થાપવામાં તેમનું આપેલું યોગદાન તેમને “ભારતના નાગરિક સેવકોના સંરક્ષક” તરીકે પણ યાદગાર બનાવે છે. તેમણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ થીમનો સંદેશ આપતા, તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને અનુરોધ કર્યો કે તેઓ સરદાર પટેલના આદર્શો, સિદ્ધાંતો અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને આત્મસાત કરી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય રીતે ભાગ ભજવે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક ટિકિટો મારફતે પણ સરદાર પટેલના યોગદાનને દેશ-વિદેશમાં પ્રસારીત કરવામાં અને યુવાઓને જોડવામાં ડાક વિભાગનું અગત્યનું યોગદાન રહ્યું છે. આ જ શ્રેણીમાં, સરદાર પટેલની 150મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતા નગરમાં એક સ્મારક ડાક ટિકિટનું પણ વિમોચન કર્યું. ભારત રત્ન, મહાન સ્વતંત્રતા સેનાની તેમજ પ્રથમ ગૃહમંત્રી, લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જયંતિ આપણને રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે આપણી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાનો અવસર પ્રદાન કરે છે.

આ પ્રસંગે સહાયક નિર્દેશક શ્રી વારીસ એમ. વહોરા, વરિષ્ઠ લેખા અધિકારી શ્રીમતી પૂજા રાઠોર, સહાયક લેખા અધિકારી શ્રી ચેતન સૈન, શ્રી રામ સ્વરૂપ મંગાવા, સહાયક અધિક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, ડાક નિરીક્ષક શ્રી યોગેન્દ્ર રાઠોડ, આશિષ પટેલ, રવિ રાવત, સાક્ષી સાહુ સહિત અનેક અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ભારતના વારસાની ઉજવણી કરતા ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

ટપાલ વિભાગ, પ્રધાનમંત્રી સંગ્રહાલયના સહયોગથી, 14 થી 17 એપ્રિલ 2026 દરમિયાન “એક ભારત, શ્રેષ્ઠ ભારત: ટપાલ ટિકિટો દ્વારા ભારતની એકતા અને લોકશાહીની ઉજવણી” શીર્ષક હેઠળ એક ફિલાટેલિક (ટપાલ ટિકિટ સંગ્રહ) પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ખૂબ જ રસપૂર્વક પ્રદર્શિત વસ્તુઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન, તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલાટેલિસ્ટ્સ (ટિકિટ સંગ્રહકો), સ્ટેમ્પ કલેક્ટર્સ અને ડિઝાઇનર્સ સાથે વાતચીત કરી હતી અને ભારતના સમૃદ્ધ ટપાલ વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રદર્શન ભારતની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક વારસો અને ટપાલ પરંપરાઓને પ્રતિબિંબિત કરતી ટપાલ ટિકિટોનો સંગ્રહ રજૂ કરે છે, જેમાં રાષ્ટ્રના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પરના વિષયો આધારિત હાઇલાઇટ્સ છે, જે મુલાકાતીઓને આકર્ષક અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે. શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરે છે અને નિહાળે છે. આ પ્રસંગે બોલતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે આ દિવસ ટપાલ વિભાગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેમણે પ્રધાનમંત્રી સંગ્રહાલયની ટીમના સમર્થન અને સહયોગ માટે તેમનો નિષ્ઠાવાન આભાર વ્યક્ત કર્યો હતો. આઝાદીના યુગથી અમૃત કાળ અને તેનાથી આગળ શતાબ્દી કાળ સુધીની ભારતની સફર પર પ્રતિબિંબ પાડતા, તેમણે પુનરોચ્ચાર કર્યો કે ટપાલ વિભાગ રાષ્ટ્ર નિર્માણમાં તેની મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જે તેણે સમગ્ર ઇતિહાસમાં કર્યું છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે ટપાલ વિભાગ અને પ્રધાનમંત્રી સંગ્રહાલય દેશભરમાં ફિલાટેલિક પ્રદર્શનોનું આયોજન કરવા માટે તેમની ભાગીદારીને મજબૂત બનાવશે, જે ભારતનો સમૃદ્ધ વારસો અને વિરાસત પ્રદર્શિત કરશે.    આ પ્રસંગે પિક્ચર પોસ્ટકાર્ડ્સનું વિમોચન આ પ્રસંગે, પ્રધાનમંત્રી સંગ્રહાલયના 4થા સ્થાપના દિવસ, 14 એપ્રિલ, 2026 ના રોજ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ અને ભારતના બંધારણની યાદમાં પિક્ચર પોસ્ટકાર્ડના ત્રણ અલગ-અલગ સેટ બહાર પાડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને ટપાલ વિભાગ વચ્ચે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર પ્રદર્શનો, આઉટરીચ કાર્યક્રમો અને સહ-બ્રાન્ડેડ ફિલાટેલિક ઉત્પાદનો દ્વારા ભારતની સાંસ્કૃતિક અને ટપાલ વિરાસતને પ્રોત્સાહન આપવા માટે સહયોગ મજબૂત કરવા માટે ટપાલ વિભાગ અને સંગ્રહાલય વચ્ચે એક સમજૂતી પત્ર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી મ્યુઝિયમમાં સમર્પિત ઈન્ડિયા પોસ્ટ કાઉન્ટર સ્થાપવાની શક્યતા પણ તપાસશે. આ કાર્યક્રમ સાંસ્કૃતિક સંસ્થાઓ અને ટપાલ વારસા વચ્ચેના સંકલનને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના સમર્પિત પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પ્રધાનમંત્રીના જીવન, નેતૃત્વ અને મુખ્ય પહેલોને પ્રદર્શિત કરતા પ્રદર્શનો નિહાળ્યા હતા.