ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગની મુખ્ય પહેલ, નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH), સમગ્ર દેશમાં ગ્રાહકોની ફરિયાદોના અસરકારક, સમયસર અને પ્રી-લિટિગેશન (કાનૂની કાર્યવાહી પહેલાંના) નિવારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે. 25 એપ્રિલ થી 26 ડિસેમ્બર 2025 સુધીના 8 મહિનાના સમયગાળા દરમિયાન, હેલ્પલાઇને 31 ક્ષેત્રોમાં રિફંડ દાવાઓ સંબંધિત 67,265 ગ્રાહક ફરિયાદોનું નિવારણ કરીને ₹45 કરોડના રિફંડ સફળતાપૂર્વક મેળવી આપ્યા છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ પ્રી-લિટિગેશન સ્ટેજ પર કાર્યરત, NCH વિવાદોના ઝડપી, સસ્તા અને સૌહાર્દપૂર્ણ નિરાકરણને સક્ષમ બનાવે છે, જેનાથી કન્ઝ્યુમર કમિશન પરનું ભારણ ઘટે છે. ક્ષેત્રવાર કામગીરી ઈ-કોમર્સ ક્ષેત્રમાં સૌથી વધુ ફરિયાદો અને રિફંડ નોંધાયા હતા, જેમાં 39,965 ફરિયાદોના પરિણામે ₹32 કરોડના રિફંડ મળ્યા હતા. ત્યારબાદ ટ્રાવેલ અને ટૂરિઝમ ક્ષેત્ર આવે છે, જેમાં 4,050 ફરિયાદો અને ₹3.5 કરોડના રિફંડ નોંધાયા હતા. ઈ-કોમર્સ રિફંડ સંબંધિત ફરિયાદો દેશના તમામ ભાગોમાંથી પ્રાપ્ત થઈ હતી, જેમાં મુખ્ય મહાનગરોથી લઈને દૂરના અને ઓછી વસ્તી ધરાવતા પ્રદેશોનો સમાવેશ થાય છે, જે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનની દેશવ્યાપી પહોંચ, સુલભતા અને અસરકારકતા દર્શાવે છે. કુલ રિફંડમાં 85 ટકાથી વધુ યોગદાન આપનારા ટોચના 5 ક્ષેત્રો, મળેલી ફરિયાદોની સંખ્યા અને તેને અનુરૂપ રિફંડની રકમ સાથે નીચે મુજબ છે: ક્રમ ક્ષેત્ર કુલ ફરિયાદો પરત કરવામાં આવેલી કુલ રકમ (₹ માં) 1 ઈ-કોમર્સ 39,965 32,06,80,198 2 ટ્રાવેલ અને ટૂરિઝમ 4,050 3,52,22,102 3 એજન્સી સેવાઓ 957 1,34,97,714 4 ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો …
Read More »રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના BCORE એ ગુજરાત અને ભારતમાં ઓલિમ્પિકવાદને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવા માટે વ્યૂહાત્મક પહેલોનું અનાવરણ કર્યું
રાષ્ટ્રીય ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રક્ષા યુનિવર્સિટી (RRU)એ 27 ડિસેમ્બર 2025 ના રોજ અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે એક હાઇ-પ્રોફાઇલ મીડિયા ઇન્ટરેક્શનનું આયોજન કર્યું હતું. આ સત્રની અધ્યક્ષતા માનનીય કુલપતિ પ્રો. ( ડૉ. ) બિમલ એન. પટેલે કરી હતી, જેમાં સ્કૂલ ઑફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ (SPES)ના ડિરેક્ટર શ્રી યશ શર્મા અને ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અર્પણ કર્યા
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ આજે (26 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ તથા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં તેમની અસાધારણ સિદ્ધિઓ બદલ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગને સંબોધતા રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવનારાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે પુરસ્કાર વિજેતા …
Read More »દિલ્હીમાં વીર બાળ દિવસના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહકાર્યકરો અન્નપૂર્ણા દેવી, સાવિત્રી ઠાકુર, રવનીત સિંહ, હર્ષ મલ્હોત્રા, દિલ્હી સરકારના મંત્રીઓ, અન્ય મહાનુભાવો, દેશના ખૂણેખૂણેથી અહીં ઉપસ્થિત તમામ મહેમાનો અને વહાલા બાળકો! આજે દેશ ‘વીર બાળ દિવસ’ ઉજવે છે. હમણાં જ વંદે માતરમની ખૂબ સુંદર રજૂઆત થઈ, અને તમારી મહેનત દેખાય છે. સાથીઓ, આજે આપણે એ વીર સાહિબઝાદાઓને યાદ કરી રહ્યા છીએ, જે આપણા ભારતનું ગૌરવ છે. તેઓ ભારતની અદમ્ય સાહસિકતા, શૌર્ય અને વીરતાની પરાકાષ્ઠા હતા. એ વીર સાહિબઝાદાઓએ ઉંમર અને અવસ્થાની સીમાઓ વટાવી, ક્રૂર મુઘલ સલ્તનત સામે ખડક જેવા અડગ રહ્યા, અને જેનાથી ધાર્મિક કટ્ટરતા અને આતંકનું અસ્તિત્વ જ હચમચી ગયું. જે રાષ્ટ્ર પાસે આટલો ગૌરવપૂર્ણ ઇતિહાસ હોય અને યુવા પેઢીને આવી પ્રેરણા વારસામાં મળે, તે રાષ્ટ્ર કંઈ પણ કરી શકે છે. સાથીઓ, જ્યારે પણ 26 ડિસેમ્બરનો આ દિવસ આવે છે, ત્યારે મને એ સંતોષ થાય છે કે આપણી સરકારે સાહિબઝાદાઓની વીરતાથી પ્રેરિત વીર બાળ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. છેલ્લા 4 વર્ષોમાં વીર બાળ દિવસની નવી પરંપરાએ સાહિબઝાદાઓની પ્રેરણાઓને નવી પેઢી સુધી પહોંચાડી છે. વીર બાળ દિવસે …
Read More »NIFTEM-Kએ પ્રધાનમંત્રી વિકાસ યોજનાનો અમલ કરવા લઘુમતી બાબતોના મંત્રાલય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે “પીએમ વિકાસ” યોજનાનો અમલ કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ (નિફ્ટમ) કુંડલીને યોજના અમલીકરણ એજન્સી (પીઆઈએ) તરીકે પસંદ કરી છે. આ સંદર્ભમાં, 2025ના ડિસેમ્બરની 22મી તારીખે નવી દિલ્હીમાં સંસ્થા દ્વારા મંત્રાલય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લઘુમતી સમુદાયોના યુવાનોની ક્ષમતા વિકસાવવા અને જરૂરિયાત આધારિત અભ્યાસક્રમોમાં કૌશલ્ય તાલીમ સહાય પૂરી પાડીને …
Read More »વર્ષ-અંત સમીક્ષા 2025: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન, પેટ્રોલિયમ ઉત્પાદનોના શુદ્ધિકરણ, વિતરણ અને માર્કેટિંગ તેમજ તેમની આયાત, નિકાસ અને સંરક્ષણ માટે જવાબદાર છે. ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે તેલ અને ગેસ મહત્વપૂર્ણ ઇનપુટ છે. વર્ષ 2025 દરમિયાન, મંત્રાલયે સસ્તી ઊર્જા સુલભતા સુનિશ્ચિત કરવા, સ્થાનિક ઉત્પાદન વધારવા, માળખાગત સુવિધાને મજબૂત કરવા, સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવા …
Read More »ભારતીય રેલવેએ તહેવારો અને પીક સીઝન દરમિયાન સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે 2025માં 43,000થી વધુ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સનું સંચાલન કર્યું
ભારતીય રેલવેએ મુખ્ય ધાર્મિક પ્રસંગો અને મુસાફરીની પીક સીઝન દરમિયાન મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવીને મુસાફરો માટે સરળ, સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વ્યાપક પગલાં લીધાં છે. આ પહેલો વધતી જતી મુસાફરોની માંગને પહોંચી વળવા અને દેશભરમાં સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રેલવેની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. વર્ષ 2025 માં, સ્પેશિયલ …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (25 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં સંથાલી ભાષામાં ભારતના સંવિધાનનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તમામ સંથાલી લોકો માટે આ ગૌરવ અને આનંદની વાત છે કે ભારતનું સંવિધાન હવે ‘ઓલ ચિકી’ લિપિમાં લખાયેલ સંથાલી ભાષામાં ઉપલબ્ધ છે. તે તેમને પોતાની ભાષામાં …
Read More »ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે સીરી ફોર્ટ ઓડિટોરિયમ, નવી દિલ્હી ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે આયોજિત સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ એક સ્વપ્નદ્રષ્ટા, કવિ અને લોકોના સમર્પિત સેવક તરીકે શ્રી વાજપેયીના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું …
Read More »લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
ભારત માતાની જય! ભારત માતાની જય! ભારત માતાની જય! ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સહયોગી અને લખનૌના સાંસદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહજી, યુપી ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન પંકજ ચૌધરીજી, પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠકજી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો, આજે લખનૌની આ …
Read More »
Matribhumi Samachar Gujarati