Thursday, August 06 2026 | 10:57:46 AM
Breaking News

International

પ્રધાનમંત્રી અને સાયપ્રસના રાષ્ટ્રપતિએ સાયપ્રસ અને ભારતના વ્યાપાર પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સાયપ્રસના રાષ્ટ્રપતિ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે લિમાસોલમાં સાયપ્રસ અને ભારતના વ્યાપાર પ્રતિનિધિઓ સાથે ગોળમેજી ચર્ચા કરી હતી. સહભાગીઓમાં બેંકિંગ, નાણાકીય સંસ્થાઓ, ઉત્પાદન, સંરક્ષણ, લોજિસ્ટિક્સ, દરિયાઈ, શિપિંગ, ટેકનોલોજી, નવીનતા, ડિજિટલ ટેકનોલોજી, એઆઈ, આઈટી સેવાઓ, પર્યટન અને ગતિશીલતા જેવા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સામેલ હતા. છેલ્લા 11 વર્ષોમાં ભારતના ઝડપી આર્થિક પરિવર્તન વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આગામી પેઢીના સુધારા, નીતિગત આગાહી, સ્થિર રાજકારણ અને …

Read More »

સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની ત્રણ દેશોની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું નિવેદન

આજે, હું સાયપ્રસ પ્રજાસત્તાક, કેનેડા અને ક્રોએશિયાની ત્રણ દેશોની મુલાકાતે જઈ રહ્યો છું. 15-16 જૂનના રોજ હું રાષ્ટ્રપતિ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર સાયપ્રસ પ્રજાસત્તાકની મુલાકાત લઈશ. સાયપ્રસ ભૂમધ્ય પ્રદેશ અને યુરોપિયન યુનિયનમાં એક ગાઢ મિત્ર અને મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ મુલાકાત ઐતિહાસિક સંબંધોને મજબૂત બનાવવાની અને વેપાર, રોકાણ, સુરક્ષા, ટેકનોલોજી અને લોકોથી લોકોના આદાનપ્રદાનના ક્ષેત્રોમાં આપણા સંબંધોને વિસ્તૃત કરવાની …

Read More »

ભારતીય નૌકાદળે MV WAN HAI 503 પર બચાવ ટીમને સાહસિક રીતે ઉતારી

તીવ્ર આગની ઝપેટમાં આવેલા MV WAN HAI 503ના બચાવ કાર્યમાં, ભારતીય નૌકાદળે 13 જૂન 2025ના રોજ બચાવ ટીમને સાહસિક રીતે એરડ્રોપ કરીને પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા હતા. ઝડપી પ્રતિભાવમાં, બચાવ ટીમના સભ્યોને કોચીના INS ગરુડ ખાતે સીકિંગ હેલિકોપ્ટરમાં મોકલવામાં આવ્યા હતા. નૌકાદળના હેલિકોપ્ટરે પડકારજનક હવામાન/દરિયાઈ પરિસ્થિતિઓ અને બોર્ડ પર આગ વચ્ચે …

Read More »

અમદાવાદમાં થયેલી AI171 પ્લેન ક્રેશ દૂર્ઘટના માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુજરાતના અમદાવાદમાં AI171 વિમાન દુર્ઘટના માટે સહાય અથવા માહિતી માટે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે, કૃપા કરીને સંપર્ક કરો: (દિલ્હી કંટ્રોલ રૂમ) 011-24610843, 9650391859 ઓપરેશન કંટ્રોલ રૂમ (અમદાવાદ) – 9974111327, 9650391859. જ્યારે રાજ્ય સરકારે રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમનો ફોન નંબર 079-232-51900 છે અને સંબંધિતો દ્વારા મો. નં. 9978405304 પર …

Read More »

કેન્દ્રીય મંત્રી બ્રેસિયામાં ભારત-ઇટાલી વિકાસ મંચ ખાતે ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, શ્રી પીયૂષ ગોયલ આજે ઇટાલીની તેમની સત્તાવાર મુલાકાત શરૂ કરી છે. બે દિવસીય મુલાકાત 4-5 જૂન, 2025ના રોજ આયોજિત છે.  જેમાં ભારત અને ફ્રાન્સની વચ્ચે આર્થિક સહયોગને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને અન્ય કાર્યક્રમોના આયોજન બાદ સમાપ્ત થશે. ઇટાલીની તેમની આ યાત્રા મુખ્ય યુરોપિયન ભાગીદારો સાથે વ્યૂહાત્મક …

Read More »

ભારતીય સેનાની ટુકડી ભારત-જાપાન સંયુક્ત લશ્કરી કવાયત-ધર્મ ગાર્ડિયન માટે રવાના થઈ

ભારતીય સેનાની ટુકડી આજે ભારત-જાપાન સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયનના છઠ્ઠા સંસ્કરણ માટે રવાના થઈ છે. આ કવાયત 24 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન જાપાનના પૂર્વ ફુજી યુદ્ધાભ્યાસ પ્રશિક્ષણ ક્ષેત્રમાં યોજાશે. ધર્મ ગાર્ડિયન અભ્યાસ ભારત અને જાપાનમાં વારાફરતી યોજાતો એક વાર્ષિક કાર્યક્રમ છે. આ જ કવાયતની છેલ્લી આવૃત્તિ ફેબ્રુઆરી-માર્ચ 2024માં રાજસ્થાનમાં યોજાઈ હતી. ભારતીય ટુકડીમાં 120 કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે …

Read More »

પાંચ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પોતાના પરિચયપત્રો રજૂ કર્યા

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (20 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારંભમાં પનામા, ગુયાના, સુદાન, ડેન્માર્ક અને પેલેસ્ટાઇનનાં રાજદૂતો/હાઈ કમિશનરો પાસેથી પરિચય પત્રો સ્વીકાર્યાં હતાં. જેમણે તેમના પરિચય પત્રો રજૂ કર્યા હતા તે આ મુજબ હતા: 1. મહામહિમ શ્રી એલોન્સો કોરિયા મિગ્યુએલ, રિપબ્લિક ઓફ પનામાના રાજદૂત 2. મહામહિમ શ્રી ધરમકુમાર સીરાજ, સહકારી પ્રજાસત્તાક ગુયાનાના હાઈ કમિશનર 3. મહામહિમ ડૉ. મોહમ્મદ અબ્દાલા અલી એલ્ટોમ, પ્રજાસત્તાક …

Read More »

સંરક્ષણ સચિવે કુઆલાલમ્પુરમાં 13મી મલેશિયા-ભારત સંરક્ષણ સહકાર સમિતિની બેઠકની સહ-અધ્યક્ષતા કરી

મલેશિયા-ઇન્ડિયા ડિફેન્સ કોઓપરેશન કમિટી (MIDCOM)ની 13મી બેઠક 19 ફેબ્રુઆરી, 2025ના રોજ કુઆલામ્લપુરમાં યોજાઇ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ અને મલેશિયાના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ શ્રી લોકમાન હકીમ બિન અલીએ કરી હતી. બંને પક્ષોએ તાજેતરનાં વર્ષોમાં બંને સશસ્ત્ર દળો વચ્ચે નિયમિત જોડાણ સાથે વધતા દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર પર ખુશી વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ સંલગ્નતાઓ અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને વધુ વિસ્તૃત કરવા માટે અસરકારક અને વ્યવહારિક પહેલો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. બંને અધ્યક્ષોએ સાયબર સિક્યુરિટી અને એઆઈ જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટેના પગલાઓની ઓળખ કરી. તેમણે વર્તમાન સહયોગ, ખાસ કરીને સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય જોડાણોમાં વધુ મજબૂત બનાવવાના માર્ગોની ઓળખ કરી હતી. તેઓ બિન-પરંપરાગત દરિયાઇ સુરક્ષાના જોખમોને પહોંચી વળવા સંયુક્ત ધ્યાન કેન્દ્રિત જૂથની રચના કરવા સંમત થયા હતા. બંને પક્ષોએ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીનાં સંરક્ષણ આધારસ્તંભ હેઠળ નવી પહેલોનો સંપૂર્ણ અમલ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેની કલ્પના ઓગસ્ટ, 2024માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમનાં મલેશિયાનાં સમકક્ષ દાતો સેરી અનવર ઇબ્રાહિમની ભારત મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. ભારત અને મલેશિયાએ સ્ટ્રેટેજિક અફેર્સ વર્કિંગ ગ્રુપની સ્થાપના પર અંતિમ ટર્મ્સ ઑફ રેફરન્સ (ToR)નું આદાન-પ્રદાન પણ કર્યું હતું. આ ફોરમ દ્વિપક્ષીય સંરક્ષણ સહકારનાં તમામ પાસાંઓને આગળ વધારવા માટે MIDCOM અને બંને પેટા સમિતિઓ વચ્ચે મધ્યસ્થી સ્વરૂપે કામ કરશે. બંને પક્ષોએ MIDCOMનાં પરિણામ સ્વરૂપે Su-30 ફોરમની સ્થાપના પર અંતિમ ToRનું આદાન-પ્રદાન પણ કર્યું હતું. Su-30 ફોરમ Su-30 જાળવણીમાં કુશળતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવામાં બંને હવાઈ દળો વચ્ચે ગાઢ સહકારને સક્ષમ બનાવશે. સંરક્ષણ સચિવે ભારતીય સંરક્ષણ ઉદ્યોગની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો, ખાસ કરીને મલેશિયાની કંપનીઓ અને સશસ્ત્ર દળો સાથે તેમની ક્ષમતા વધારવા અને આધુનિકીકરણમાં તેમની સાથે જોડાણ કરવાની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આસિયાન અને આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક– પ્લસની અધ્યક્ષતા સંભાળવા બદલ મલેશિયાને અભિનંદન આપ્યા હતાં તથા આ વર્ષે એડીએમએમ પ્લસ અને આસિયાન ડિફેન્સનાં વરિષ્ઠ અધિકારીઓની બેઠકો યોજવા માટે મલેશિયાનાં સંરક્ષણ મંત્રાલયને શુભેચ્છા પાઠવી હતી. ભારત આસિયાનની મધ્યસ્થતા અને એકતાને ટેકો આપે છે, જે ભારતનાં ઇન્ડો-પેસિફિક વિઝનમાં મહત્ત્વપૂર્ણ પાસું છે. સંરક્ષણ સચિવે મજબૂત, એકીકૃત અને સમૃદ્ધ આસિયાનને પ્રોત્સાહન આપવા આસિયાનનાં અધ્યક્ષ તરીકેનાં મલેશિયાનાં પ્રયાસોને ભારતનાં સાથ-સહકારની પુનઃપુષ્ટિ કરી હતી, જે ઇન્ડો-પેસિફિક પ્રદેશની વિકસતી ગતિશીલતાને આકાર આપવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. ભારત મલેશિયાને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર માને છે, કારણ કે મલેશિયા વિદેશ નીતિનાં ત્રણ મુખ્ય દ્રષ્ટિકોણ એટલે કે એક્ટ ઇસ્ટ પોલિસી, સાગર (સુરક્ષા અને વિકાસ ફોર ઓલ ઇન ધ રિજન) અને ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવનાં સંગમસ્થાને આવેલું છે.

Read More »

દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત કરવા ઇન્ડિયા-કતાર જોઇન્ટ બિઝનેસ ફોરમનું આયોજન

17-18 ફેબ્રુઆરી દરમિયાન કતારના અમીર, એચ. એચ. શેખ તમીમ બિન હમાદ બિન ખલીફા અલ થાનીની ભારતની મુલાકાત દરમિયાન, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ 18 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ (DPIIT) સાથેની ભાગીદારીમાં ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચ ( જોઇન્ટ બિઝનેસ ફોરમ)નું આયોજન કર્યું હતું. આ જોઇન્ટ બિઝનેસ ફોરમમાં ભારત સરકારનાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ …

Read More »

બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ઋષિ સુનકે પોતાના પરિવાર સાથે સંસદ ભવનની મુલાકાત લીધી

બ્રિટનનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ઋષિ સુનકે તેમનાં પત્ની શ્રીમતી અક્ષતા મૂર્તિ અને પુત્રીઓ કૃષ્ણા અને અનુષ્કા સાથે આજે સંસદ ભવનની મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજ્યસભાનાં સાંસદ શ્રીમતી સુધા મૂર્તિ પણ ઉપસ્થિત હતાં. લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહે શ્રી સુનક અને તેમના પરિવારનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના મહાસચિવ …

Read More »