Friday, March 20 2026 | 09:58:39 AM
Breaking News

Regional

ભારતીય નૌકાદળમાં ત્રણ ફોરવર્ડ ફ્લીટ એસેટ્સ નીલગીરી, સુરત અને વાગશીરને સામેલ કરવા તૈયાર

15 જાન્યુઆરી 25 ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. કારણ કે ભારતીય નૌકાદળ ત્રણ વોરશિપ – પ્રોજેક્ટ 17એ સ્ટીલ્થ ફ્રિગેટ ક્લાસનું મુખ્ય જહાજ નીલીગીરી; પ્રોજેક્ટ 15બી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર ક્લાસનું ચોથું અને અંતિમ જહાજ સુરત અને સ્કોર્પિયન-ક્લાસ પ્રોજેક્ટની છઠ્ઠી અને અંતિમ સબમરીન વાગશીર – ને મુંબઈ સ્થિત નેવલ ડોકયાર્ડમાં એક સાથે સામેલ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ ઐતિહાસિક ઘટનાથી ભારતીય નૌકાદળની યુદ્ધ ક્ષમતાને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે અને સ્વદેશી જહાજ નિર્માણમાં દેશની અગ્રગણ્ય સ્થિતિ પર ભાર મૂકવામાં આવશે. આ ત્રણેય પ્લેટફોર્મની ડિઝાઇન અને નિર્માણ સંપૂર્ણપણે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (એમડીએલ), મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે, જે સંરક્ષણ ઉત્પાદનના મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ભારતની વધતી જતી આત્મનિર્ભરતાનો પુરાવો છે. આ અદ્યતન યુદ્ધ જહાજો અને સબમરીનોનું સફળતાપૂર્વક કમિશનિંગ યુદ્ધ જહાજની ડિઝાઇન અને બાંધકામમાં થયેલી ઝડપી પ્રગતિને દર્શાવે છે. જે સંરક્ષણ ઉત્પાદનમાં વૈશ્વિક નેતા તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. પ્રોજેક્ટ 17એનું મુખ્ય જહાજ નીલગિરી, શિવાલિક-ક્લાસ ફ્રિગેટ્સ પર એક મોટી પ્રગતિ છે. જેમાં અત્યાધુનિક તકનીક દ્વારા નોંધપાત્ર સ્ટીલ્થ સુવિધાઓ અને રડાર સિગ્નેચર સામેલ છે. પ્રોજેક્ટ 15બી ડિસ્ટ્રોયર, સુરત, કોલકાતા-ક્લાસ (પ્રોજેક્ટ 15એ) ડિસ્ટ્રોયરમાં ફોલો-ઓન ક્લાસની છે, જેમાં ડિઝાઇન અને ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારો છે. બંને જહાજોની ડિઝાઇન ભારતીય નૌકાદળના વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા કરવામાં આવી હતી અને તે મુખ્યત્વે ભારતમાં અથવા અગ્રણી વૈશ્વિક ઉત્પાદકો સાથે વ્યૂહાત્મક જોડાણ દ્વારા વિકસાવવામાં આવેલા અદ્યતન સેન્સર અને શસ્ત્ર પેકેજોથી સજ્જ છે. આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ, નીલગિરિ અને સુરત દિવસ અને રાત બંને કામગીરી દરમિયાન ચેતક, એએલએચ, સી કિંગ અને નવા સામેલ એમએચ -60 આર સહિતના હેલિકોપ્ટરની શ્રેણીનું સંચાલન કરી શકે છે. રેલ-લેસ હેલિકોપ્ટર ટ્રાવર્સિંગ સિસ્ટમ અને વિઝ્યુઅલ એઇડ એન્ડ લેન્ડિંગ સિસ્ટમ જેવી ખાસિયતો તમામ પરિસ્થિતિઓમાં સાતત્યપૂર્ણ કામગીરી સુનિશ્ચિત કરે છે. આ જહાજોમાં મહિલા અધિકારીઓ અને ખલાસીઓની મોટી સંખ્યામાં સમર્થન કરવા માટે વિશેષ વ્યવસ્થા પણ સામેલ છે. જે ફ્રન્ટલાઈન કોમ્બેટ ભૂમિકાઓમાં લૈંગિક સમાનતા તરફના નૌકાદળના પ્રગતિશીલ પગલાઓ સાથે સુસંગત છે. કલવરી-ક્લાસ પ્રોજેક્ટ 75 હેઠળ છઠ્ઠી સ્કોર્પીન-ક્લાસ સબમરીન વાગશીર વિશ્વની સૌથી શાંત અને બહુમુખી ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનમાંની એક છે. તે એન્ટી સરફેસ વોરફેર, સબમરીન-વિરોધી યુદ્ધ, ગુપ્ત માહિતી એકઠી કરવી, ક્ષેત્રની …

Read More »

ડિજિટલ મહાકુંભ : ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025 આધ્યાત્મિકતા અને નવીનતાના એક અસાધારણ મિશ્રણ માટે તૈયાર છે, જે સનાતન ધર્મની પવિત્ર પરંપરાઓને અત્યાધુનિક ડિજિટલ એડવાન્સમેન્ટ સાથે એકસાથે લાવશે. આ પ્રતિષ્ઠિત ઉત્સવ જે વિશ્વભરમાંથી લાખો ભક્તોને આકર્ષે છે, તે તમામ ઉપસ્થિત લોકો માટે અનુભવને વધારવા માટે આધુનિક તકનીકને અપનાવી રહ્યો છે. હાઇ-ટેક સુરક્ષા પગલાંથી …

Read More »

ટોપ હિન્દી બ્લોગ્સમાં સામેલ થયું પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવનું બ્લોગ ‘ડાકિયા ડાક લાયા’

દેશ-વિદેશમાં ઇન્ટરનેટ પર હિન્દી ભાષાના વ્યાપક  પ્રચાર-પ્રસાર અને બ્લોગિંગના માધ્યમથી પોતાની રચનાત્મકતાની વિસ્તૃત વિસ્તૃતિકરણ કરનાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના બ્લોગ ‘ડાકિયા ડાક લાયા’ (http://dakbabu.blogspot.com/)ને ટોપ હિન્દી બ્લોગ્સમાં સ્થાન મળ્યું. ઇન્ડિયન ટોપ બ્લોગ્સ નામક સર્વે એજન્સી દ્વારા વિશ્વના હિન્દી બ્લોગ્સ પર કરાયેલા સર્વેના આધાર પર આ બ્લોગને શ્રેષ્ઠ હિન્દી બ્લોગ્સની ડિરેક્ટરીમાં શામિલ કરવામાં આવ્યું છ, જેમાં વર્ષ 2024 માં 104 હિન્દી બ્લોગોને સ્થાન મળ્યું છે. 100થી વધુ દેશોમાં જોવાતો અને વંચાતો ‘ડાકિયા ડાક લાયા’ બ્લોગ હાલમાં 1600થી વધુ પોસ્ટ પ્રકાશિત છે. વર્ષ 2008થી બ્લોગિંગમાં સક્રિય અને ‘દશકના શ્રેષ્ઠ હિન્દી બ્લોગર દંપતિ’ તેમજ સાર્ક દેશોના શ્રેષ્ઠ ‘પરિકલ્પના બ્લોગિંગ સાર્ક શિખર સન્માન’થી સમ્માનિત શ્રી કૃષ્ણ કુમાર યાદવ હિન્દી બ્લોગિંગ ક્ષેત્રમાં એક જાણીતા નામ બન્યા છે. ‘ડાકિયા ડાક લાયા’ બ્લોગ તેની વિવિધ પોસ્ટ્સ દ્વારા ડાક સેવાઓની વિશાળતા, વિવિધતા અને આધુનિક સમયમાં તેમાં થયેલાં બધા બદલાવોને રેખાંકિત કરે છે. આ બ્લોગ દ્વારા ડાક સેવાઓ સાથે જોડાયેલા ઘણા જાણીતા – અજાણ પાસાંને પ્રકાશિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બહુમાત્રિક વ્યક્તિત્વ ધરાવતા શ્રી કૃષ્ણ કુમાર યાદવ ભારતીય ડાક સેવા ના 2001 બેચના વરિષ્ઠ અધિકારી છે, સાથે-સાથે સામાજિક, સાહિત્યિક અને સમકાલીન મુદ્દાઓ પર લેખન કરનારા સાહિત્યકાર, વિચારક અને બ્લોગર પણ છે. અત્યાર સુધી એમની 7 પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકી છે – ‘અભિલાષા’ (કાવ્ય-સંગ્રહ), ‘અભિવ્યક્તિઓના બહાના ‘ અને ‘અનુભૂતિઓ અને વિમર્શ’ (નિબંધ-સંગ્રહ), ‘India Post : 150 Glorious Years’ (2006), ‘ક્રાંતિ-યજ્ઞ : 1857-1947 ની ગાથા’, ‘જંગલમાં ક્રિકેટ’ (બાલ-ગીત સંગ્રહ) અને ‘ 16 આને 16 લોક’ (નિબંધ-સંગ્રહ). વિભાગીય દાયિત્વ અને હિન્દી ના પ્રચાર દરમિયાન, લંડન, ફ્રાંસ, જર્મની, નેદરલૅન્ડ, દક્ષિણ કોરિયા, ભૂટાન, શ્રીલંકા, નેપાલ જેવા દેશોની યાત્રા કરી છે. ‘શબ્દ સર્જન કી ઓર’ (http://kkyadav.blogspot.com) અને ‘ડાકિયા ડાક લાયા’ (http://dakbabu.blogspot.com) આપના પ્રખ્યાત બ્લોગ્સ છે. નેપાલ, ભૂટાન અને શ્રીલંકા સહિત અનેક દેશોમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બ્લોગર્સ સંમેલનમાં આપને સન્માનિત કરવામાં આવ્યા છે. દેશના વિવિધ ભાગોમાં – સુરત (ગુજરાત), કાનપુર, અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ, પ્રયાગરાજ, જોધપુર, લખનૌ, વારાણસીમાં વિવિધ પદો પર કાર્ય કરવા ઉપરાંત હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ તરીકે કાર્યરત છે.

Read More »

મહાકુંભ 2025: શ્રદ્ધાળુઓ માટે એક અવિરત અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ યાત્રાના અદ્ભુત અનુભવની પ્રતીક્ષા

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહાકુંભનું આયોજન 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી 45 દિવસ માટે પ્રયાગરાજમાં થવાનું છે. આ સમય દરમિયાન ભારતીય ડાયસ્પોરાને ભારત આવવાનું કહેતા એક સાથે ભારત આવવાના ઘણા કારણો છે. પહેલા એનઆરઆઈ દિવસ, પછી મહાકુંભ અને તે પછી ગણતંત્ર દિવસ, આ એક પ્રકારની ત્રિવેણી છે, ભારતના વિકાસ અને વારસા સાથે જોડાવાની એક મહાન તક છે.” નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર …

Read More »

‘આખા દેશને એક થવા દો’ એ મહા કુંભનો સંદેશ છેઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

રાષ્ટ્રને સંબોધતા, આજે ‘મન કી બાત’ના 117મા એપિસોડમાં, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મહાકુંભની વિશેષતા માત્ર તેની વિશાળતામાં જ નહીં, પરંતુ તેની વિવિધતામાં પણ છે. આ કાર્યક્રમ માટે કરોડો લોકો એકઠા થાય છે. લાખો સંતો, હજારો પરંપરાઓ, સેંકડો સંપ્રદાયો, અનેક અખાડાઓ, દરેક વ્યક્તિ આ પ્રસંગનો ભાગ બને છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ક્યાંય કોઈ …

Read More »

લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ સાથે મેરિટાઇમ હેરિટેજનું ગ્લોબલ હબ બનશે : સર્બાનંદ સોનોવાલ

 કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ તેમજ શ્રમ અને રોજગાર તથા યુવા બાબતોના મંત્રી ડો.મનસુખ માંડવિયા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે ગુજરાતના લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએચસી)ની પ્રગતિનું મૂલ્યાંકન કરવા સંયુક્ત સમીક્ષા કરી હતી. સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલને વિકસાવી રહ્યું છે, જે વૈશ્વિક કક્ષાની સુવિધા …

Read More »

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) અમદાવાદ દ્વારા પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર વિઝિટનું આયોજન

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જેની સ્થાપના બીઆઈએસ અધિનિયમ, 2016 હેઠળ કરવામાં આવી છે. તે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનકો ઘડવા માટે અધિકૃત છે. તે ધોરણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર સહિત અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓની રચના અને અમલીકરણ માટે પણ જવાબદાર છે. …

Read More »

અમદાવાદ જુના વાડજ ખાતે અંબર સેવા સંઘના નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન

ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના અધ્યક્ષ શ્રી મનોજ કુમાર ગુરુવારે અંબર સેવા સંઘ, જુના વાડજ, અમદાવાદના નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન કર્યું. KVIC એ ખાદી ભવન માટે 11.25 લાખ રૂપિયાની સહાય પૂરી પાડી છે જેનું 15 લાખ રૂપિયાની રકમથી નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે KVICના અધ્યક્ષે રાજ્ય કાર્યાલય …

Read More »

નાઇપર- અમદાવાદનો ગાંધીનગરમાં અગિયારમો દીક્ષાંત સમારંભ યોજાયો

ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય અંતર્ગત આવેલી ધ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ – અમદાવાદ (નાઇપર) દ્વારા આજે તેનો 11મો દીક્ષાંત સમારંભ ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાયો હતો. સમારંભમાં ફાર્મસી ક્ષેત્રમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરનારા 173 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 163 માસ્ટર્સ (એમએસ અને એમબીએ) અને …

Read More »

BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો. શ્રી સંજીવ શર્મા અને શ્રી અમન રાજપૂત, BIS હોલમાર્કિંગ પ્રતિનિધિઓ,  BIS અમદાવાદએ BIS હોલમાર્કિંગ સ્કીમ, માર્ગદર્શિકા અને પ્રોગ્રામ દરમિયાન BIS હોલમાર્કિંગ રજીસ્ટ્રેશન કેવી રીતે મેળવવું અને BIS પોર્ટલ દ્વારા HUID માટે કેવી રીતે અરજી કરવી તે અંગે વિગતવાર માહિતી આપી. સહભાગીઓને BIS કેર એપ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ 24 ડિસેમ્બર 2024ની પૂર્વ સંધ્યાના રોજ હોલમાર્કિંગ અંગે જ્વેલર્સમાં જાગૃતિ લાવવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે, ડુંગરપુર જિલ્લો તાજેતરમાં 05 નવેમ્બર 2024થી ફરજિયાત હોલમાર્કિંગ જિલ્લાઓમાં ઉમેરાયો છે.

Read More »