Wednesday, December 24 2025 | 04:33:23 AM
Breaking News

અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ખાસ રાખડી કાઉન્ટરનું કર્યું ઉદ્ઘાટન

રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને આ માટે ડાક વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ રાખડી કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું. રક્ષાબંધનમાં મોકલવા માટે પોસ્ટ ઓફિસો દ્વારા ખાસ ડિઝાઇન કરેલા રંગબેરંગી ડિઝાઇનર …

Read More »

ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી 2.0 અમલમાં, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા અમદાવાદ જીપીઓમાં શુભારંભ

દેશભરની પોસ્ટ ઓફિસો વધુ સ્માર્ટ અને ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. પોસ્ટ વિભાગે 22 જુલાઈ, 2025 ના રોજ આઈ.ટી 2.0 આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પરિમંડળની તમામ 8,884 પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી એપીટી 2.0 લાગુ કર્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ …

Read More »

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને અદાણી ફાઉન્ડેશન સુરક્ષા બળ પ્રશિક્ષણ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે ભાગીદારી કરશે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને અદાણી ફાઉન્ડેશને સમગ્ર ભારતના વંચિત યુવાનો માટે કૌશલ્ય-આધારિત તાલીમ પહેલને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. 21 જુલાઈ, 2025 ના રોજ હસ્તાક્ષર કરાયેલા એમઓયુ (MOU) દ્વારા મજબૂત બનેલ આ સહયોગ, વ્યાપક અને વિશ્વસનીય તાલીમ અનુભવો પ્રદાન કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. RRU દ્વારા …

Read More »

ભારતની સૌથી મોટી આદિવાસી ગ્રામ વિકાસ યોજના

મુખ્ય મુદ્દાઓ 2, ઓક્ટોબર 2024ના રોજ શરૂ કરાયેલ PM JUGA, 63,000 ગામડાઓમાં 5 કરોડથી વધુ આદિવાસીઓને લાભ આપશે. 17 મંત્રાલયો આવાસ, આરોગ્યસંભાળ, શિક્ષણ અને કનેક્ટિવિટી વગેરેમાં ગંભીર અંતરને દૂર કરવા માટે સંકલન કરી રહ્યા છે. આદિવાસી બાબતોના મંત્રાલયની સિદ્ધિઓ: છેલ્લા દાયકામાં વન અધિકાર કાયદા હેઠળ 23.88 લાખ જમીન-લીઝનું વિતરણ કરવામાં આવ્યું હતું, 1 કરોડથી વધુ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી હતી. પરિચય “વિકાસ સર્વાંગી …

Read More »

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) માટે ઓનલાઈન અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 15-08-2025 સુધી લંબાવવામાં આવી છે. અરજીઓ મોકલવાની પ્રક્રિયા 01-04-2025 ના રોજ રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in પર શરૂ થઈ હતી. આ પુરસ્કારો એવા બાળકોને આપવામાં આવે છે જેઓ બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી …

Read More »

ડૉ. જિતેન્દ્ર સિંહે UPSCની સિવિલ સર્વિસ ઉમેદવારો માટે વૈકલ્પિક રોજગારની તકો પૂરી પાડતી ‘પ્રતિભા સેતુ’ પહેલની પ્રશંસા કરી

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન અને પીએમઓ, પરમાણુ ઊર્જા વિભાગ, અવકાશ વિભાગ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સિવિલ સર્વિસીસ ઉમેદવારો માટે વૈકલ્પિક નોકરીના રસ્તાઓ સરળ બનાવવા માટે યુપીએસસીની “પ્રતિભા સેતુ” પહેલની પ્રશંસા કરી છે. પ્રતિભાનો અર્થ “વ્યાવસાયિક સંસાધન અને પ્રતિભા એકીકરણ”(Professional Resource And Talent Integration) અને સેતુનો અર્થ …

Read More »

ચોમાસુ સત્ર 2025ના પ્રારંભ સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ સંકુલમાં ચોમાસુ સત્ર 2025ની શરૂઆત પહેલા મીડિયાને સંબોધન કર્યું હતું. ચોમાસુ સત્રમાં સૌનું સ્વાગત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ચોમાસુ નવીનતા અને નવીનીકરણનું પ્રતીક છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે દેશભરમાં વર્તમાન હવામાન પરિસ્થિતિઓ અનુકૂળ રહે છે અને કૃષિ માટે ફાયદાકારક આગાહી રજૂ કરે …

Read More »

ભવિષ્ય માટે તૈયાર નેતાઓનું નિર્માણ: નવા BTech વિદ્યાર્થીઓ માટે IIT ગાંધીનગરે પરિવર્તનકારી ફાઉન્ડેશન પ્રોગ્રામનો પ્રારંભ કર્યો

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) એ 2025 ની બેચના નવીન પ્રવેશિત BTech વિદ્યાર્થીઓ માટે 21 જુલાઈ, 2025ના રોજ તેના મુખ્ય ફાઉન્ડેશન પ્રોગ્રામ (FP) નો પ્રારંભ કર્યો. સંસ્થાનો આ અગ્રણી ઉપક્રમ ચાર અઠવાડિયાનો વ્યાપક કાર્યક્રમ છે, જે 21 જુલાઈથી 15 ઑગસ્ટ, 2025 સુધી ચાલશે, જેનો હેતુ વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક યાત્રા જ નહીં પરંતુ વ્યક્તિગત વિકાસને પણ આકાર આપવાનો છે. ફાઉન્ડેશન પ્રોગ્રામ IITGNની આ ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે કે તે માત્ર ટેકનિકલી કુશળ જ નહીં પરંતુ સામાજિક રીતે જાગૃત, નૈતિક મૂલ્યોમાં સ્થિર, શારીરિક રીતે સક્રિય અને સર્જનાત્મક રીતે પ્રેરિત એવા સર્વગુણસંપન્ન વ્યક્તિઓનું ઘડતર કરે. આ વર્ષે કાર્યક્રમનું ઉદ્ઘાટન વોલ્વો ગ્રુપ, ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલ બાલીના મુખ્ય અતિથિ તરીકેના હસ્તે થયું. શ્રી બાલીએ જણાવ્યું, “ફાઉન્ડેશન પ્રોગ્રામ IITGN દ્વારા શરૂ કરાયેલ એક ઉત્તમ પહેલ છે. મારા માટે, આ માત્ર આગામી ચાર વર્ષ માટેનો ફાઉન્ડેશન પ્રોગ્રામ નથી, આ એક વિકસિત ભારત માટેનો પાયો છે. આ આપણા દેશના ભવિષ્યના નિર્માણનો પાયો છે. તમે એક VUCA (Volatile, Uncertain, Complex, Ambiguous) (અસ્થિર, અનિશ્ચિત, જટિલ, અને દ્વિઅર્થિય) દુનિયામાં પ્રવેશી રહ્યા છો. તેના માટે તૈયાર રહો. હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કરો. ભારતમાં, તમે યોગ્ય જગ્યા પર, યોગ્ય લોકો વચ્ચે છો. તમે એવા સમયમાં મોટા થઈ રહ્યા છો જ્યારે ભારત ઊંચાઈ પર જઈ રહ્યું છે. સતત શીખતા રહો.” તેમણે નેતૃત્વના સત્યતા તથા વિશ્વસનીયતાને ભાવિ નેતાઓ માટેના મુખ્ય આધારસ્તંભ ગણાવ્યા અને સહકારની ભાવનાને વધાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. મૂલ્યો અને નૈતિકતા, સર્જનાત્મકતા, ટીમ વર્ક, સામાજિક જાગૃતિ અને શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમત—આ પાંચ મુખ્ય સ્તંભો પર આધારિત આ કાર્યક્રમ, સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) માટેની કઠોર શૈક્ષણિક તૈયારી પછી વિદ્યાર્થીઓને એક તાજગીભર્યો વિરામ આપે છે. આ ચાર અઠવાડિયામાં વિદ્યાર્થીઓ સંગીત, નૃત્ય, રમતગમત, કલા, સામુદાયિક પહોંચ અને હેન્ડ્સ-ઑન ક્રિએટિવ વર્કશોપ સહિત વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. આ અનુભવો દ્વારા IITGN પોતાના વિદ્યાર્થીઓમાં ખુલ્લુ મન, સહાનુભૂતિ, નેતૃત્વ અને શોધખોળની ભાવના વિકસાવવા માંગે છે. આ કાર્યક્રમમાં વિચારસરણીના નેતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને નવીનતા લાવનારાઓના પ્રેરણાત્મક સંબોધનો પણ સામેલ છે, જેથી વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિત્વો સાથે સંપર્ક સાધી શકે અને તેમની પાસેથી શીખી શકે. પ્રોફેસર રજત મૂનાએ સંસ્થાના ઈતિહાસમાં સૌથી મોટા પ્રવેશમાંના એક તરીકે વિવિધ ડિગ્રી અને વિષયોમાં 900 થી વધુ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. નવા વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું, “તમારી રેન્ક તમને નિર્ધારિત ન કરે. હવે જે મહત્વનું છે તે છે કે આગામી થોડાં વર્ષોમાં તમે વ્યક્તિ તરીકે કેટલા વિકાસ પામો છો. ઉત્સુક રહો, ખુલ્લા રહો અને યાદ રાખો, શીખવાનું ક્યારેય બંધ થતું નથી.”

Read More »

સંસદનો પ્રશ્ન: – મેન્ગ્રોવ સંરક્ષણ

તાજેતરના ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) 2023 મુજબ, દેશમાં કુલ મેન્ગ્રોવ કવર 4,991.68 કિમી2 છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 0.15% હિસ્સો ધરાવે છે. ISFR 2019 અને ISFR 2023 ની તુલનામાં, દેશના મેન્ગ્રોવ કવરમાં 16.68 કિમી2નો નોંધપાત્ર વધારો થયો છે. ISFR 2019 અને ISFR 2023 મુજબ મેન્ગ્રોવ કવરની રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો મુજબની વિગતો કોષ્ટકમાં નીચે આપેલ છે. મેન્ગ્રોવને અનન્ય, કુદરતી ઇકો-સિસ્ટમ તરીકે પુનઃસ્થાપિત કરવા અને પ્રોત્સાહન આપવા અને દરિયાકાંઠાના રહેઠાણોની …

Read More »

ભારત NCX 2025નો પ્રારંભ: સક્રિય ક્ષમતા નિર્માણ દ્વારા ભારતના સાયબર સ્થિતિસ્થાપકતાને આગળ ધપાવવી

રાષ્ટ્રીય સાયબર સુરક્ષા કવાયત – ભારત NCX 2025નું આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલની હાજરીમાં નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી ટી. વી. રવિચંદ્રન દ્વારા સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કવાયત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ના સહયોગથી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. …

Read More »