પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડ્રગ્સ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ હેઠળ, 2024માં NCB સહિત દેશભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા લગભગ 25330 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. જે 2023માં જપ્ત કરાયેલા 16100 કરોડ રૂપિયાની સરખામણીમાં 55 ટકાથી વધુ છે. આ સફળતા પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ અપનાવવામાં આવેલા ‘ બોટમ-ટુ-ટોપ ‘ અને ‘ટોપ-ટુ-બોટમ’ અભિગમ અને …
Read More »કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ 13 જેટલાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે અહીં 13 જેટલાં ઓળખાયેલા એલએફ અસરગ્રસ્ત રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ (LF)ના નાબૂદી માટે વાર્ષિક રાષ્ટ્રવ્યાપી માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (MDA) અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સહભાગીઓને ઝુંબેશ, તેના ઉદ્દેશ્યો, હાથ ધરવામાં આવતી મુખ્ય વ્યૂહાત્મક પ્રવૃત્તિઓ અને MDA કાર્યક્રમનું …
Read More »એરો ઇન્ડિયા 2025 ઉડાન શરૂ; રક્ષા મંત્રીએ બેંગાલુરુમાં એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનના 15મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 10 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, “એરો ઇન્ડિયા 2025 મહત્વપૂર્ણ અને ફ્રન્ટિયર ટેકનોલોજીનો સંગમ છે. જે આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા માટે પારસ્પરિક આદર, પારસ્પરિક હિત અને પારસ્પરિક લાભ પર આધારિત સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે …
Read More »ભારત TEPA હેઠળ વેપાર અને રોકાણ વધારવા માટે EFTA ડેસ્કનું ઉદ્ઘાટન કરશે
યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા ભરતા, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ EFTA બ્લોકની સાથે મળીને 10 ફેબ્રુઆરી, 2025નાં રોજ ભારત મંડપમ, નવી દિલ્હીમાં EFTA ડેસ્કનું ઉદ્ઘાટન કરશે. જેનું પ્રતિનિધિત્વ સ્વિસ સ્ટેટ સેક્રેટરી શ્રીમતી હેલેન બુડલિગર આર્ટિએડા, નોર્વેના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના …
Read More »મહાકુંભ 2025: પ્રયાગરાજમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર; એઈમ્સ અને બીએચયુના નિષ્ણાતો કેનેડા, જર્મની, રશિયાના નિષ્ણાતો સાથે જોડાયા
મહાકુંભ 2025માં યાત્રાળુઓના સ્વાસ્થ્યને ટોચની અગ્રતા આપવામાં આવી રહી છે, અને મેળા વહીવટીતંત્રે સુનિશ્ચિત કર્યું છે કે વિસ્તૃત તબીબી વ્યવસ્થા ગોઠવવામાં આવે. સામાન્ય બિમારીઓથી માંડીને વિશિષ્ટ સારવાર સુધી, વ્યાપક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓને વિશ્વકક્ષાની બનાવવા માટે કેનેડા, જર્મની, રશિયાના નિષ્ણાતો, એઈમ્સ દિલ્હી અને આઈએમએસ બીએચયુના તબીબો સાથે મળીને જમીન …
Read More »ફ્રાંસ અને અમેરિકાની યાત્રા પહેલા પ્રધાનમંત્રીનું નિવેદન
રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે. જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને વ્યાપક જાહેર હિત માટે AI ટેકનોલોજી પ્રત્યે સહયોગી …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025 દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની આઠમી આવૃત્તિ દરમિયાન સુંદર નર્સરી, નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતચીતમાં અનેક વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે તલની બનેલી મીઠાઈઓ વહેંચી હતી. જે પરંપરાગત રીતે શિયાળા દરમિયાન પીરસવામાં આવે છે, જેથી શરીર ગરમ રહે. સમૃદ્ધિ માટે પોષણ કરો પોષણનાં વિષય …
Read More »પરમજીત સિંહે ‘સન્ડે ઓન સાયકલ’ ને લીલી ઝંડી આપી, ફિટનેસ અને ડ્રગ-મુક્ત ભવિષ્યને પ્રોત્સાહન આપ્યું
વધુ સ્વસ્થ અને ડ્રગ-મુક્ત ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ‘સન્ડેઝ ઓન સાયકલ | સે નો ટુ ડ્રગ્સ’ પહેલનું ગાંધીનગરમાં દાંડી કુટીર ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન SAI RC ગાંધીનગર દ્વારા NSS અને ઇન્ડિયા પોસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં સાયકલિંગ ઉત્સાહીઓ અને જીવનના વિવિધ ક્ષેત્રોના પરિવર્તનકારોને એકઠા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને …
Read More »31 માર્ચ 2026 પહેલા દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેને ભારતને નક્સલમુક્ત બનાવવા તરફ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘X’ પરની એક પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતને નક્સલ મુક્ત બનાવવાની દિશામાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના બીજાપુરમાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં, 31 નક્સલીઓને મારવા …
Read More »પરીક્ષા પે ચર્ચા
પરીક્ષાઓ ઘણીવાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે તણાવનું કારણ હોય છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી “પરીક્ષા પે ચર્ચા” (PPC) પહેલ આ કથામાં પરિવર્તન લાવી રહી છે. 10 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 11 વાગ્યે નિર્ધારિત, આ વર્ષની પીપીસી ફરી એકવાર એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, જ્યાં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે સીધો સંવાદ કરે છે. પીપીસીની દરેક આવૃત્તિ પરીક્ષા-સંબંધિત ચિંતાને પહોંચી વળવા માટે …
Read More »
Matribhumi Samachar Gujarati