Friday, January 23 2026 | 06:08:06 AM
Breaking News

Tag Archives: Ahmedabad

BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો. શ્રી સંજીવ શર્મા અને શ્રી અમન રાજપૂત, BIS હોલમાર્કિંગ પ્રતિનિધિઓ,  BIS અમદાવાદએ BIS હોલમાર્કિંગ સ્કીમ, માર્ગદર્શિકા અને પ્રોગ્રામ દરમિયાન BIS હોલમાર્કિંગ રજીસ્ટ્રેશન કેવી રીતે મેળવવું અને BIS પોર્ટલ દ્વારા HUID માટે કેવી રીતે અરજી કરવી તે અંગે વિગતવાર માહિતી આપી. સહભાગીઓને BIS કેર એપ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ 24 ડિસેમ્બર 2024ની પૂર્વ સંધ્યાના રોજ હોલમાર્કિંગ અંગે જ્વેલર્સમાં જાગૃતિ લાવવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે, ડુંગરપુર જિલ્લો તાજેતરમાં 05 નવેમ્બર 2024થી ફરજિયાત હોલમાર્કિંગ જિલ્લાઓમાં ઉમેરાયો છે.

Read More »

અમદાવાદના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં 11મા દિક્ષાંત સમારોહનું આયોજન

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER-અમદાવાદ) એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના નેજા હેઠળ ચાલતી રાષ્ટ્રીય મહત્વની સ્વાયત્ત સંસ્થા છે. સંસ્થા દ્વારા 27મી ડિસેમ્બર, 2024ના રોજ NIPER અમદાવાદના પ્રો. ડિરેક્ટર શૈલેન્દ્ર સરાફની અધ્યક્ષતામાં 11મો દિક્ષાંત સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રો. રમેશ ચંદ્ર, FRSC (લંડન), વાઇસ ચાન્સેલર, મહારાજા સૂરજમલ બ્રિજ યુનિવર્સિટી, ભરતપુર (રાજસ્થાન) અને …

Read More »

ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓ માટે J.K. સિમેન્ટ વર્ક્સ, બાલાસિનોરની એક્સપોઝર વિઝિટ

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) એ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનકો ઘડવા માટે બીઆઈએસ અધિનિયમ, 2016 હેઠળ અધિકૃત ભારતની રાષ્ટ્રીય ધોરણોની સંસ્થા છે. બી. આઈ. એસ. ને અનુરૂપતા આકારણી યોજનાઓ વિકસાવવા અને અમલ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે, જેમાં ધોરણોનું અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.એક મહત્વપૂર્ણ પહેલમાં, બી.આઈ.એસ. એ શૈક્ષણિક સંસ્થાઓમાં “સ્ટાન્ડર્ડ્સ ક્લબ” ની સ્થાપના કરી છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સામેલ કરીને ગુણવત્તાયુક્ત જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યુવાનોનું જીવંત જૂથ બનાવ્યું છે. આ ક્લબો હેઠળ હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણ વિશે શીખવાની તક મળે છે. બી.આઈ.એસ. એ સમગ્ર ભારતમાં 10,000 સ્ટાન્ડર્ડ ક્લબ સ્થાપવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય હાંસલ કર્યું છે. બી.આઈ.એસ., અમદાવાદ એ ગુણવત્તા ખાતરીના પગલાંના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે વિવિધ હિતધારકો, જેમ કે સ્ટાન્ડર્ડ્સ ક્લબના સભ્યો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓના જ્ઞાન અને વ્યવહારુ અનુભવને વધારવા માટે એક વિશેષ પહેલના ભાગરૂપે, બીઆઈએસ, અમદાવાદએ 20.12.2024 ના રોજ J.K. સિમેન્ટ વર્ક્સ, બાલાસિનોર, મહિસાગર જિલ્લામાં સ્ટાન્ડર્ડ્સ ક્લબની છ શાળાઓના 122 વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર વિઝિટનું આયોજન કર્યું હતું. વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓને સિમેન્ટ ફેક્ટરીમાં ઉત્પાદિત સિમેન્ટની પ્રક્રિયા અને ગુણવત્તા ખાતરી પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સિમેન્ટના ઉત્પાદનમાં અપનાવવામાં આવતા સલામતીના માનકો સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે, શ્રી કમલેન્દ્ર પાલ સિંહ, યુનિટ હેડ એ તમામ ઉપસ્થિતોને આવકાર્યા હતા અને J.K. સિમેન્ટ વર્ક્સ, બાલાસિનોરના ઇતિહાસ, સ્થાપના અને ઉત્પાદનો વિશે માહિતી શેર કરી હતી. ગુણવત્તા નિયંત્રણના વડા શ્રી રણજીત મંગલે પ્લાન્ટમાં પ્રયોગશાળા દ્વારા સહભાગીઓને માર્ગદર્શન આપ્યું હતું અને ઉત્પાદન માટે જરૂરી માનકોની સમજ આપી હતી. સુરક્ષા અધિકારી, શ્રી દીપક સિંહે પ્લાન્ટમાં સલામતીના માનકોનો ઉપયોગ, કટોકટીની તૈયારીઓ અને સલામતીના પગલાં અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે તમામ સહભાગીઓને સલામતી પ્રોટોકોલના વ્યવહારુ ઉપયોગ વિશે સમજાવ્યું હતું. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ બીઆઈએસ માનકો, આઈએસઆઈ માર્ક અને હોલમાર્ક જેવા પ્રમાણપત્રો અને બીઆઈએસ કેર એપના મહત્વ વિશે જાણ્યું હતું. વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે બી.આઈ.એસ. અમદાવાદના શ્રી પુનીત નાથવાણીએ વિદ્યાર્થીઓને બી.આઈ.એસ. ના કાર્યો, માનકોની જરૂરિયાત અને તેમના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે સમજાવ્યું કે કેવી રીતે બી.આઈ.એસ. દ્વારા નિર્ધારિત માનકો ઉત્પાદનોની ગુણવત્તાની ખાતરી કરે છે. શ્રી અમિત સિંહે સમજાવ્યું કે ગ્રાહકોને યોગ્ય માનકોને અનુરૂપ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મળે તે સુનિશ્ચિત કરવા માટે બીઆઈએસ સમગ્ર દેશમાં યોગ્ય માનકો નક્કી કરે છે, પરીક્ષણ કરે છે, લાઇસન્સ આપે છે અને લાગુ કરે છે. સંબંધિત શાળાઓના શિક્ષકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ શૈક્ષણિક યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ એક્સપોઝર વિઝિટનો હેતુ વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક પ્રક્રિયાઓ અને ગુણવત્તાના માનકો વિશે જાગૃતિ લાવવાનો હતો. બીઆઈએસની આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ અને ગુણવત્તા વ્યવસ્થાપનની વાસ્તવિક દુનિયાની પ્રક્રિયાઓને સમજવાની તક મળી હતી. આ વિઝિટ તેમના ભવિષ્ય માટે શૈક્ષણિક અને પ્રેરણાદાયી સાબિત થઈ હતી. આ કાર્યક્રમમાં એચ. આર. શ્રી હરિકિશન મૌર્ય, શ્રી ઉમેશ કુમાર, ગુણવત્તા અધિકારી શ્રી મહેન્દ્ર સોલંકી અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Read More »

ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ દ્વારા બનાસ ડેરી, પાલનપુરની એક્સપોઝર વિઝિટ

ભારતીય માનક બ્યૂરો (BIS) એ  ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જેની સ્થાપના બી.આઈ.એસ. અધિનિયમ, 2016 હેઠળ કરવામાં આવી છે. તે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય ધોરણો ઘડવા માટે અધિકૃત છે. તે ધોરણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર સહિત અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓની રચના અને અમલીકરણ માટે પણ જવાબદાર છે. BISએ શૈક્ષણિક સંસ્થાઓમાં “સ્ટાન્ડર્ડ્સ ક્લબ” ની રચના કરીને, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે નોંધણી કરાવીને અને યુવાનોને વાઇબ્રન્ટ બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ગુણવત્તાયુક્ત જાગૃતિ લાવવા માટે પ્રશંસનીય પહેલ કરી છે. આ ક્લબો હેઠળ આયોજિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણ વિશે શીખવાની તકો મળે છે. બી.આઈ.એસ. એ સમગ્ર ભારતમાં 10,000 સ્ટાન્ડર્ડ્સ ક્લબ સ્થાપવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કર્યું છે. બી.આઈ.એસ, અમદાવાદ ગુણવત્તા ખાતરી પહેલના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે સ્ટાન્ડર્ડ્સ ક્લબના સભ્યો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગોના પ્રતિનિધિઓ જેવા હિતધારકો માટે વારંવાર કાર્યક્રમોનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓનું જ્ઞાન વધારવા અને વ્યવહારુ અનુભવ પ્રદાન કરવા માટે એક વિશેષ પહેલ તરીકે, બી.આઈ.એસ અમદાવાદ એ 18 ડિસેમ્બર 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાની આઠ શાળાઓના સ્ટાન્ડર્ડ્સ ક્લબના 190 વિદ્યાર્થીઓ માટે બનાસ ડેરી, પાલનપુરની એક્સપોઝર વિઝિટનું આયોજન કર્યું હતું. મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ દૂધ, માખણ અને છાશ જેવા વિવિધ ડેરી ઉત્પાદનોની પ્રક્રિયાને નજીકથી નિહાળી હતી. ગુણવત્તા જાળવી રાખીને ઉત્પાદનો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તે પ્રક્રિયા કે જેના દ્વારા તેઓ ગ્રાહકો સુધી પહોંચે છે તે વિશે તેમને માહિતી આપવામાં આવી હતી. ડેરી ક્ષેત્રની કામગીરી સાથે વિદ્યાર્થીઓને પરિચિત કરાવવા માટે ડેરી ઉદ્યોગની સ્થાપના અને કામગીરી દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ BIS ધોરણો, ISI માર્ક અને હોલમાર્ક જેવા પ્રમાણપત્રો અને BIS કેર એપના મહત્વ વિશે શીખ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ પ્રસંગે બીઆઈએસ અમદાવાદના શ્રી પુનીત નાથવાણીએ વિદ્યાર્થીઓને બીઆઈએસની ભૂમિકા, ધોરણોની જરૂરિયાત અને તેમના મહત્વ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. તેમણે સમજાવ્યું કે કેવી રીતે બીઆઈએસ તેના નિર્ધારિત માનકો દ્વારા ઉત્પાદનની ગુણવત્તાની ખાતરી કરે છે. શ્રી અમિત સિંહે વિગતવાર જણાવ્યું હતું કે કેવી રીતે બીઆઈએસ યોગ્ય માનકો અનુસાર ઉત્પાદનો તૈયાર કરીને, પરીક્ષણ કરીને અને લાઇસન્સ આપીને અને તેમના અમલીકરણને ફરજિયાત બનાવીને સમગ્ર દેશમાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની ડિલિવરી સુનિશ્ચિત કરે છે. આ શૈક્ષણિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા સંબંધિત શાળાઓના શિક્ષકો પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા. એક્સપોઝર મુલાકાતનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને વ્યવસાયિક પ્રક્રિયાઓ અને ગુણવત્તાના ધોરણો વિશે જાગૃત કરવાનો હતો. આ પહેલ દ્વારા, બી.આઈ.એસ. એ વિદ્યાર્થીઓને ઉદ્યોગની વાસ્તવિક દુનિયાની પ્રક્રિયાઓ અને ગુણવત્તા વ્યવસ્થાપનને સમજવાની તક પૂરી પાડી. આ મુલાકાત વિદ્યાર્થીઓના ભવિષ્યના પ્રયાસો માટે શૈક્ષણિક અને પ્રેરણાદાયી બંને સાબિત થઈ હતી.

Read More »

સર્વેક્ષણના વિવિધ પાસાઓની ચર્ચા કરવા માટે આંકડા કચેરી, અમદાવાદના અધિકારીઓ માટે ચાર દિવસીય કોન્ફરન્સ યોજાશે

ભારત સરકાર 1950થી વૈજ્ઞાનિક નમૂના લેવાની પદ્ધતિઓનો ઉપયોગ કરતા વિવિધ સામાજિક-આર્થિક સૂચકાંકો પર ડેટા એકત્રિત કરવા માટે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણો હાથ ધરી રહી છે. 1 જાન્યુઆરી 2025થી શરૂ થવાનો NSSનો 80મો રાઉન્ડ આરોગ્ય પરના ડેટાના સંગ્રહ અને આરોગ્ય અને ટેલિકોમ સંબંધિત સૂચકાંકો પરની માહિતીના સંગ્રહ માટે કોમ્પ્રીહેન્સિવ મોડયુલર સર્વે માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. વધુમાં, ભારત સરકાર એક સાથે વધુ બે સર્વેક્ષણો એટલે કે ASUSE અને PLFS શરૂ કરશે. ASUSE સર્વેક્ષણ કે જે ઉત્પાદન, વેપાર અને અન્ય સેવા ક્ષેત્રોમાં બિન-કૃષિ સ્થાપનાની આર્થિક અને ઓપરેશનલ લાક્ષણિકતાઓને સમર્પિત કરવામાં આવશે. PLFS સર્વે દેશમાં શ્રમબળ, વસ્તીની પ્રવૃત્તિમાં ભાગીદારી અને રોજગારનું માળખું અને બેરોજગારી અંગેના આંકડાનો પ્રાથમિક સ્ત્રોત છે. સામાજિક-આર્થિક સૂચકાંકો પર માહિતીની ઉભરતી જરૂરિયાતને પહોંચી વળવા માટે ‘પરગથ્થુ સામાજિક વપરાશ આરોગ્ય’ પર સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું છે. આ સર્વે અમને દેશના વિવિધ પ્રદેશોમાં વિવિધ વય જૂથોમાં રોગચાળાના પ્રચલિત દરને નિર્ધારિત કરવામાં મદદ કરશે અને ખિસ્સા બહારના ખર્ચ પર વિશેષ ભાર સાથે જાહેર અને ખાનગી તબીબી ક્ષેત્રમાંથી પ્રાપ્ત સારવાર પર કરવામાં આવેલ ખર્ચ, સર્વે દ્વારા તપાસ કરવામાં આવશે. સર્વેક્ષણમાં એકત્રિત કરવામાં આવેલ ડેટા કેટલાક વ્યાપક ચેપી રોગોથી પ્રભાવિત વસ્તીનું મૂલ્યાંકન પણ સક્ષમ કરશે. ટેલિકોમ પર વ્યાપક મોડ્યુલર સર્વે (CIMS) નો ઉદ્દેશ્ય DoT, MeitY વગેરેની જરૂરિયાતોને સંબોધવા માટે ટેલિકોમ-સંબંધિત સૂચકાંકો અને ICT કૌશલ્યો પર માહિતી એકત્રિત કરવાનો અને પ્રદાન કરવાનો છે. એકત્રિત ડેટાનો ઉપયોગ લાઈન મંત્રાલયો/વિભાગો દ્વારા વૈશ્વિક સૂચકાંકોના અહેવાલ માટે પણ કરવામાં આવશે. વધુમાં, અસંગઠિત ક્ષેત્ર એ ભારતીય અર્થવ્યવસ્થાનો એક અભિન્ન ભાગ છે. જેમાં માત્ર મોટી સંખ્યામાં સંસ્થાઓનો સમાવેશ થતો નથી પણ મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન પણ કરે છે. આ ઉપરાંત, દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં તેનું યોગદાન પણ નોંધપાત્ર છે. આનાથી આયોજન અને નીતિ ઘડતર માટે અસંગઠિત ક્ષેત્રને લગતા વિશ્વસનીય અને વ્યાપક ડેટાની આવશ્યકતા છે. આ સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવનાર ડેટા વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરશે. અગાઉના ASUSE સર્વેની સરખામણીમાં આ વખતે વ્યાપક કવરેજ માટે ASUSE 2025માં નમૂનાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. વધુમાં, PLFSનો ઉદ્દેશ્ય મુખ્ય શ્રમ બજાર સૂચકાંકોના અંદાજો, જેમ કે. અખિલ ભારતીય સ્તરે વર્તમાન સાપ્તાહિક સ્થિતિ (CWS) માં શ્રમ દળ સહભાગિતા દર (LFPR). કામદાર વસ્તી ગુણોત્તર (WPR) અને બેરોજગારી દર (UR) માસિક અંતરાલે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રો માટે અલગથી અને તમામ રાજ્ય/ ત્રિમાસિક દરે ગ્રામીણ અને શહેરી વિભાજન સાથે કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ અખિલ ભારતીય અંતરાલોમાં જનરેટ કરવાનો છે સર્વેક્ષણના વિવિધ પાસાઓની ચર્ચા કરવા માટે, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO), આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય જેઓ ગુજરાતના પશ્ચિમ ક્ષેત્રમાં સર્વેનું સંચાલન કરશે, તે આંકડા કચેરી, અમદાવાદના અધિકારીઓ માટે ચાર દિવસીય કોન્ફરન્સ, 16મી ડિસેમ્બર, 2024થી રાષ્ટ્રીય સ્તરે યોજાશે. ગુજરાત સરકાર પણ આ સર્વે હાથ ધરશે. અર્થશાસ્ત્ર અને આંકડા નિયામકના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પરિષદમાં ભાગ લેશે. કોન્ફરન્સનું ઉદ્ઘાટન ગુજરાતના ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન (FOD)ના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા (પશ્ચિમ ક્ષેત્ર) ડૉ. નિયતિ જોશી ની હાજરીમાં DES ના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી ચિંતન ભટ્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદના વૈજ્ઞાનિક ડૉ. સુખદેવ મિશ્રા, અમદાવાદ જિલ્લાનાં DSO શ્રી એન જી પટેલ, NSO અમદાવાદના ઉપ નિદેશક શ્રી રવિશંકર વર્મા, NSO અમદાવાદના સહાયક નિદેશક શ્રી એ. જે. પરમાર અને NSO અમદાવાદના સહાયક નિદેશક સુશ્રી શ્રદ્ધા મુલે કરશે.

Read More »

ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક સંગઠનો સાથે માનક સંવાદનું સફળ આયોજન

ભારતીય માનક બ્યુરો (BIS) આપણા દેશનું રાષ્ટ્રીય માનક સંસ્થાન છે, જેને BIS અધિનિયમ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનક બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાથે જ, ગુણવત્તા પ્રમાણપત્ર દ્વારા માનકોના અમલને સુનિશ્ચિત કરવા કન્ફર્મિટી એસેસમેન્ટ યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે. BIS મિકેનિકલ, કૃષિ, રસાયણ, વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સ, ખાદ્ય અને વસ્ત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગને પ્રોત્સાહન આપવામા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે, BIS ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે વિશ્વાસના લાગણી સ્થાપિત કરવા માટે મહત્ત્વનું કાર્ય કરે છે. વર્ષોથી, BIS ઉપભોક્તાઓ અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ભારતીય માનકો વિકસાવવા અને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, BISએ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો માટે યોગ્ય છે. BIS અમદાવાદ દ્વારા તેની કન્ફર્મિટી એસેસમેન્ટ આઉટરીચ પ્રવૃત્તિઓ હેઠળ નવી પહેલ ‘માનક સંવાદ’ શરૂ કરવામાં આવી છે, જે ગુણવત્તાવાળા ઉદ્યોગો સાથે અસરકારક સંવાદ સુનિશ્ચિત કરવા માટે છે. આજે BIS, અમદાવાદ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક સંગઠનો સાથે માનક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BIS કન્ફર્મિટી એસેસમેન્ટ પરિવારમાં જોડાયેલા વિવિધ ઉદ્યોગોને તેમના લાયસન્સના ડિજિટલ ઓપરેશન સંબંધિત વિવિધ જોગવાઈઓ પર અપડેટ કરવામાં આવ્યા હતા. આ ઈવેન્ટનો હેતુ ઉદ્યોગોમાં ગુણવત્તા અને માનકોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને BISની પ્રમાણપત્ર અને નોંધણી પ્રક્રિયાઓ સંબંધિત પડકારોનો સામનો કરવાનો હતો. BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે તમામ ઉદ્યોગ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને ‘માનક સંવાદ’ પહેલ વિશે વિગતો આપી. તેમણે ઉદ્યોગો સાથે અસરકારક સંચારના મહત્વ પર ભાર મૂક્યો અને સ્ટાન્ડર્ડ્સ ઓનલાઈન અને BIS કેર એપ્સ સહિત BISના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના ઓપરેશનલ પાસાઓ અંગેના તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાની સહભાગીઓને ખાતરી આપી. શ્રી સંજય ગોસ્વામી, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, BIS – પશ્ચિમ પ્રાદેશિક કાર્યાલય એ  ઉત્પાદન પ્રમાણપત્રમાં BIS ના પ્રયત્નોની આંતરદૃષ્ટિ શેર કરી અને નોંધણી પ્રક્રિયા દરમિયાન આવતી સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનો રજૂ કર્યા. તેમણે માનકોના મહત્વ અને અનુપાલનના ફાયદાઓ વિશે વિગતવાર વર્ણન કર્યું. શ્રી બિજુ નમ્બુથિરી, ગુજરાત રાજ્ય પરિષદ પ્રમુખ – FICCIએ ઔદ્યોગિક સંસ્થાઓને તેમના ઉત્પાદનોની BIS સાથે નોંધણી કરાવવા માટે અપીલ કરી અને તેમને આ પ્રક્રિયામાં FICCIના સમર્થનની ખાતરી આપી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના નિદેશક શ્રી આશિષ ઝાવેરીએ ગુણવત્તા અને માનકોને પ્રોત્સાહન આપવા માટે BISના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઔદ્યોગિક સંગઠનોને BIS સાથે તેની પહેલમાં સહકાર આપવા વિનંતી કરી. શ્રી અમિત કુમાર, વૈજ્ઞાનિક ‘ડી’ એ તેમના સંબોધનમાં BISની ભૂમિકા વિશે માહિતી આપી હતી. તેમણે ભારતમાં ગુણવત્તા વિકસાવવા માટે પણ અપીલ કરી અને એસોસિએશનોને BIS લાઇસન્સ લેવા માટે આગળ આવવા વિનંતી કરી. તેમણે ખાસ કરીને MSME ક્ષેત્ર માટે ઉદ્યોગને સમર્થન આપવા માટે BIS દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલ વિશે પણ માહિતી આપી હતી. શ્રી વિપિન ભાસ્કર, વૈજ્ઞાનિક ‘ડી’ એ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCOs) પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ઔદ્યોગિક ઉત્પાદનોમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા પર પ્રકાશ પાડતા, QCOના વિવિધ પાસાઓ સમજાવ્યા. સહભાગીઓએ તેમની રજૂઆતની પ્રશંસા કરી અને સંબંધિત પ્રશ્નો પૂછ્યા. શ્રી આલોક સિંઘ, વૈજ્ઞાનિક ‘E’, BIS ના પશ્ચિમ પ્રાદેશિક કાર્યાલય એ, તમામ એસોસિએશનોને તેમના સભ્યોને BIS તરફથી મેનેજમેન્ટ સિસ્ટમ સર્ટિફિકેશન માટે આગળ આવવા માટે પ્રોત્સાહિત કરવા હાકલ કરી. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી અનેક એસોસિએશનો તેમજ ગુજરાતની અન્ય BIS શાખાઓના અધિકારીઓએ પણ વર્ચ્યુઅલ મોડમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ઓપન હાઉસ સેશન પણ યોજવામાં આવ્યું હતું જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ DDGW અને પ્રમુખ BIS, અમદાવાદ દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન BIS ના વૈજ્ઞાનિક ‘સી’. શ્રી અજય ચંદેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે BIS કેર એપ અને BIS વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ ડિજિટલ સોલ્યુશન વિશે પણ માહિતી આપી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read More »