દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને ગેરકાયદેસર ખાણકામથી રક્ષણ તરફના એક મોટા પગલાં તરીકે, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) એ રાજ્યોને અરવલ્લીમાં કોઈપણ નવી ખાણકામ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટેના નિર્દેશો જારી કર્યા છે. આ નિષેધ સમગ્ર અરવલ્લી લેન્ડસ્કેપમાં સમાન રીતે લાગુ પડે છે અને તેનો હેતુ આ પર્વતમાળાની અખંડિતતાને જાળવી રાખવાનો છે. આ નિર્દેશોનો હેતુ ગુજરાતથી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) સુધી વિસ્તરેલી એક અવિરત ભૌગોલિક રિજ તરીકે અરવલ્લીનું રક્ષણ કરવાનો અને તમામ અનિયંત્રિત ખાણકામ પ્રવૃત્તિઓને રોકવાનો છે. વધુમાં, MoEF&CC એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE) ને સમગ્ર અરવલ્લીમાં એવા વધારાના વિસ્તારો/ઝોન ઓળખવા માટે નિર્દેશ આપ્યો છે, જ્યાં પારિસ્થિતિક (ecological), ભૌગોલિક અને લેન્ડસ્કેપ-સ્તરની બાબતોના આધારે, કેન્દ્ર દ્વારા પહેલેથી જ પ્રતિબંધિત વિસ્તારો ઉપરાંત ખાણકામ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ICFRE ને સમગ્ર અરવલ્લી પ્રદેશ માટે …
Read More »
Matribhumi Samachar Gujarati