Monday, January 12 2026 | 06:42:26 AM
Breaking News

Tag Archives: Modi government

કલ્યાણથી સશક્તિકરણ સુધી: મોદી સરકાર હેઠળ શ્રમ કલ્યાણમાં 11 વર્ષનાં સીમાચિહ્નરૂપ સુધારાઓ

શ્રમ અને રોજગાર મંત્રાલય, શ્રમ કલ્યાણ મહાનિર્દેશાલય (DGLW) દ્વારા ભારતમાં અસંગઠિત કામદારોના જીવનને સુધારવા માટે સમર્પિત અનેક કલ્યાણકારી યોજનાઓનો અમલ કરવાનું, ખાસ કરીને બીડી, સિનેમા અને ખાણકામ ક્ષેત્રોમાં ચાલુ રાખે છે. આ યોજનાઓ 50 લાખથી વધુ કામદારો અને તેમના પરિવારોને સીધી અસર કરે છે, જે સરકારની સમાવિષ્ટ અને કરુણાપૂર્ણ શ્રમ કલ્યાણ વ્યૂહરચનાનો આધારસ્તંભ બનાવે છે. DGLW હેઠળ કાર્યરત શ્રમ કલ્યાણ સંગઠન (LWO) 18 કલ્યાણ કમિશનરોના સુવ્યવસ્થિત નેટવર્ક દ્વારા દેશભરમાં આ યોજનાઓનું સંચાલન કરે છે. જેઓ પ્રાદેશિક સ્તરે અમલીકરણનું નિરીક્ષણ કરે છે. તેનો વ્યાપક ધ્યેય દૂરના અને વંચિત વિસ્તારોમાં રહેતા કામદારોને સામાજિક સુરક્ષા, આરોગ્ય સેવાઓ, શિક્ષણ માટે નાણાકીય સહાય અને આવાસ સહાય પૂરી પાડવાનો છે. કલ્યાણ માળખાના મુખ્ય ઘટકોમાંનો એક શિક્ષણ સહાય યોજના છે, જે બીડી, સિનેમા અને નોન કોલસા ખાણ કામદારોના બાળકો માટે વાર્ષિક ₹1,000 થી ₹25,000 સુધીની શિષ્યવૃત્તિ પૂરી પાડે છે. રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ (NSP) દ્વારા લાગુ કરાયેલ આ યોજનામાં દર વર્ષે એક લાખથી વધુ અરજીઓ મળે છે. જેમાં …

Read More »

મોદી સરકાર ભારતને નક્સલવાદના ત્રાસમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નક્સલવાદ વિરુદ્ધ તાજેતરના ઓપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અધિકારીઓને મળ્યા અને આ ઓપરેશન્સની ઐતિહાસિક સફળતા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર ભારતને નક્સલવાદના ત્રાસમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે. X પરની એક પોસ્ટમાં, ગૃહમંત્રીએ કહ્યું, “હું નક્સલવાદ …

Read More »