Thursday, April 02 2026 | 04:38:28 AM
Breaking News

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને યાદ કર્યા

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

તેમને એક રાજનેતા સમાન શ્રેષ્ઠ ગણાવતા, શ્રી મોદીએ તેમને પ્રશાસક તરીકે બિરદાવ્યા અને દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી.

પ્રધામંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. પ્રણવ બાબુ અનન્ય જાહેર વ્યક્તિત્વ ધરાવતા હતા- એક રાજનેતા સમાન, એક અદ્ભુત વહીવટકર્તા અને જ્ઞાનનો ભંડાર. ભારતના વિકાસમાં તેમનું યોગદાન નોંધપાત્ર છે. તેઓ તમામ ક્ષેત્રોમાં સર્વસંમતિ બનાવવાની હથોટી ધરાવતા હતા. તેમને અનન્ય ક્ષમતાઓના આશીર્વાદ મળ્યા હતા અને આ તેમના શાસનના બહોળા અનુભવ અને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતા વિશેની તેમની ઊંડી સમજણને કારણે છે.”

About Matribhumi Samachar

Check Also

ચૂંટણી પંચ એક્શન મોડમાં: 5 રાજ્યોની ચૂંટણી પહેલા સરહદો સીલ કરવા અને કડક દેખરેખના આદેશ

ભારતના ચૂંટણી પંચે (ECI) આગામી સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સજ્જતાની સમીક્ષા …