Thursday, May 07 2026 | 09:46:51 AM
Breaking News

ભારતીય ડાક વિભાગે અમદાવાદમાં ‘પતંગ ઉત્સવ’નું આયોજન કર્યું , પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે શુભારંભ કર્યું

Connect us on:

ગુજરાતના અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર આયોજિત ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ દેશ-વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેમાં દેશ અને દુનિયાભરના લોકો રંગબેરંગી પતંગો ઉડાવવા અને જોવા માટે ભેગા થાય છે. આ વર્ષે ભારતીય ડાક વિભાગે આગેવાની દાખવી ‘પતંગ ઉત્સવ–2026’ નું આયોજન અમદાવાદમાં કર્યું, જેમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવાર સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સાયન્સ સિટી પાસે V9 ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલ ઉત્સવમાં શાળા બાળકો સાથે વિવિધ વિસ્તારોમાંથી આવેલા પોસ્ટમેન અને ગ્રામ્ય ડાક સેવકોએ પતંગોના માધ્યમથી લેટર બોક્સ, ડાક ટિકિટ, મેલ વેન, સ્પીડ પોસ્ટ અને પાર્સલ, બચત ખાતા, ડાકજીવન બીમા, ગ્રામ્ય ડાકજીવન બીમા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને અન્ય ડાક સેવાઓના વિવિધ પાસાઓને પ્રતીકરૂપ પતંગોમાં ઉતારીને આકાશમાં ઉડાવી આનંદ વ્યક્ત કર્યો. કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સિટી મંડળના પ્રવર અધીક્ષક ડાકઘર શ્રી ચિરાગ મહેતાના સાથે કર્યું.    

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે જેમ ઉત્તરાયણ નવી ઊર્જા અને નવી શરૂઆતનું પ્રતીક છેતેમ  ભારતીય ડાક દરેક ઘરમાં વિશ્વાસસેવા અને સંવાદનો પ્રકાશ પહોંચાડે છે લોકપર્વસૂર્યના ઉત્તરાયણ સાથેજીવનમાં સકારાત્મક ફેરફારપરિશ્રમનું માન અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છેતેમણે તમામને ઉત્તરાયણમકરસંક્રાંતિપોંગલ અને માઘ બિહુના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ આપીઅને આશા વ્યક્ત કરી કે  પર્વ દરેકના જીવનમાં સુખસમૃદ્ધિઆરોગ્ય અને નવી ઊર્જા લાવેસાથે  સામાજિક એકતા અને સાંસ્કૃતિક સહભાગિતાને મજબૂત બનાવે.

 અવસરે ડાક કર્મચારીઓતેમના પરિવારજનો અને તમામ શાળા બાળકોએ પતંગબાજીનો પૂરતો આનંદ માણ્યોઅને સાથે  ગુડતીલની મીઠાશ સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી.

 અવસરે અમદાવાદ સિટી મંડળના પ્રવર અધીક્ષક ડાકઘર શ્રી ચિરાગ મહેતાઉપાધીક્ષક શ્રી એસ.કેવર્માસહાયક નિર્દેશક શ્રી અલ્પેશ આરશાહવી.એમ.વોહરારિતુલ ગાંધીસહાયક અધીક્ષક શ્રી વિશાલ ચૌહાણહાર્દિક રાઠોડહિતેશ પરીખભાવિન પ્રજાપતિરૌનક શાહતેમજ અનેક અધિકારીઓકર્મચારીઓ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા.

About Matribhumi Samachar

Check Also

પહેલ: ગુજરાત સરકારના પેન્શનરો માટે ખુશખબર – ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા નિઃશુલ્ક બનાવાશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર (હયાતી)

પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્વપૂર્ણ …