પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલયાલમ સિનેમા અને સાહિત્યની સૌથી આદરણીય વ્યક્તિઓમાંની એક શ્રી એમ.ટી. વાસુદેવન નાયરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટિપ્પણી કરી કે શ્રી એમ.ટી. વાસુદેવન નાયરજીની કૃતિઓએ માનવીય લાગણીઓના ગહન સંશોધન સાથે પેઢીઓને આકાર આપ્યો છે અને તે હજુ પણ ઘણા લોકોને પ્રેરણા આપતું રહેશે.
પ્રધાનમંત્રીએ Xપર પોસ્ટ કર્યું:
“મલયાલમ સિનેમા અને સાહિત્યની સૌથી આદરણીય વ્યક્તિઓમાંની એક, શ્રી એમ.ટી. વાસુદેવન નાયરજીના નિધનથી દુઃખી છું. તેમના કાર્યો, માનવીય લાગણીઓના તેમના ગહન સંશોધન સાથે, પેઢીઓને આકાર આપે છે અને વધુને વધુ પ્રેરણા આપતા રહેશે. તેમણે અવાજહીન અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને પણ અવાજ આપ્યો. મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.”
Matribhumi Samachar Gujarati

