Thursday, February 05 2026 | 09:21:21 AM
Breaking News

પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર શોક વ્યક્ત કર્યો

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ્સમાંથી એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ્સમાંથી એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સમગ્ર રાષ્ટ્ર દ્વારા તેમને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે અને તેમના પ્રયાસો આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.”

About Matribhumi Samachar

Check Also

‘વિશ્વ હિન્દી દિવસ’ (10 જાન્યુઆરી): હિન્દીમાં સર્જનશીલ એવી ત્રણ પેઢીઓનો અનોખો પરિવાર, જેને વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં સન્માન પ્રાપ્ત થયું

૬૧.૫ કરોડ લોકો સાથે વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીમાં વૈશ્વિક ભાષા બનવાની ક્ષમતા …