Sunday, December 07 2025 | 08:30:35 PM
Breaking News

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન

Connect us on:

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં આજે ભાવનગર સ્થિત સમર્થ કન્યા છાત્રાલય ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ માર્ગ સલામતી અંગે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી.

ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી રાજુભાઈ રબારિયા, શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, શ્રી મુકેશભાઈ ડાભી, શિક્ષણ સમિતિના સભ્ય શ્રી પરેશભાઈ ચૌહાણ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ડૉ. પ્રકાશભાઈ રાઠોડ , કાર્યક્રમમાં હાજર હતા. આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી આઈ.એસ. ટેન્ક, પી.આઈ. શ્રી કે.એસ. પટેલ, સમાજ કલ્યાણ અધિકારી શ્રી દીપક ભાઈ અને શ્રીમતી મીનાબેન રાઠોડ હાજર રહ્યા હતા.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

ઉપ-રાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન દ્વારા એકતા નગર, ગુજરાત ખાતે ‘સરદાર @150 યુનિટી માર્ચ – રાષ્ટ્રીય પદયાત્રા’ના સમાપન સમારોહની શોભા વધારાઈ

ભારતના ઉપ-રાષ્ટ્રપતિ, શ્રી સી.પી. રાધાકૃષ્ણને, આજે એકતા નગર, ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર @150 યુનિટી માર્ચ – રાષ્ટ્રીય પદયાત્રાના …