Saturday, April 04 2026 | 06:04:24 PM
Breaking News

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી

Connect us on:

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) માટે ઓનલાઈન અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 15-08-2025 સુધી લંબાવવામાં આવી છે. અરજીઓ મોકલવાની પ્રક્રિયા 01-04-2025 ના રોજ રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in પર શરૂ થઈ હતી. આ પુરસ્કારો એવા બાળકોને આપવામાં આવે છે જેઓ બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવવાને પાત્ર છે.

5 વર્ષથી વધુ ઉંમરના અને 18 વર્ષથી વધુ ન હોય તેવા કોઈપણ બાળક (31 જુલાઈ, 2025ના રોજ), જે ભારતીય નાગરિક છે અને ભારતમાં રહે છે, તે પુરસ્કારો માટે પાત્ર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YEH0.jpg

કોઈપણ નાગરિક નામાંકન ફક્ત https://awards.gov.in પરના રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા ભરી શકશે. પુરસ્કારો માટે ઓનલાઈન કરવામાં આવેલ સ્વ-નામાંકન અને ભલામણો ને જ ધ્યાનમાં લેવામાં આવશે. વધુ વિગતો માટે, કૃપા કરીને રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in ની મુલાકાત લો.

About Matribhumi Samachar

Check Also

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનનું પુણે પ્રવચન: “પ્રકૃતિ જ સર્વોત્તમ ઉપચારક”, નિસર્ગોપચાર આશ્રમના 81મા સ્થાપના દિવસની ઉજવણી

પુણે: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે પુણેના ઉરુલી કાંચન ખાતે સ્થિત ઐતિહાસિક નિસર્ગોપચાર …