Wednesday, January 21 2026 | 12:39:03 PM
Breaking News

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી

Connect us on:

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) માટે ઓનલાઈન અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 15-08-2025 સુધી લંબાવવામાં આવી છે. અરજીઓ મોકલવાની પ્રક્રિયા 01-04-2025 ના રોજ રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in પર શરૂ થઈ હતી. આ પુરસ્કારો એવા બાળકોને આપવામાં આવે છે જેઓ બહાદુરી, સમાજ સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવવાને પાત્ર છે.

5 વર્ષથી વધુ ઉંમરના અને 18 વર્ષથી વધુ ન હોય તેવા કોઈપણ બાળક (31 જુલાઈ, 2025ના રોજ), જે ભારતીય નાગરિક છે અને ભારતમાં રહે છે, તે પુરસ્કારો માટે પાત્ર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YEH0.jpg

કોઈપણ નાગરિક નામાંકન ફક્ત https://awards.gov.in પરના રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા ભરી શકશે. પુરસ્કારો માટે ઓનલાઈન કરવામાં આવેલ સ્વ-નામાંકન અને ભલામણો ને જ ધ્યાનમાં લેવામાં આવશે. વધુ વિગતો માટે, કૃપા કરીને રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in ની મુલાકાત લો.

About Matribhumi Samachar

Check Also

‘વિશ્વ હિન્દી દિવસ’ (10 જાન્યુઆરી): હિન્દીમાં સર્જનશીલ એવી ત્રણ પેઢીઓનો અનોખો પરિવાર, જેને વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં સન્માન પ્રાપ્ત થયું

૬૧.૫ કરોડ લોકો સાથે વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીમાં વૈશ્વિક ભાષા બનવાની ક્ષમતા …