Friday, April 17 2026 | 02:45:43 AM
Breaking News

ઇન્ડિયા પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આયોજિત ‘જનરલ ઇન્શ્યોરન્સ સુપર ધુરંધર’ અભિયાનમાં ઉત્તમ પ્રદર્શન કરીને ઉત્તર ગુજરાત પરિક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઉભી કરી મજબૂત ઓળખ

Connect us on:

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે દેશના દરેક ખૂણામાં, ખાસ કરીને ગ્રામીણ ભારત સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ‘આપકા બેંક, આપકે દ્વાર’ ની સંકલ્પનાને સાકાર કરતાં ‘વિત્તીય સમાવેશ’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ મિશનને નવી ગતિ આપવામાં આઇપીપીબી સતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ વિચારો ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વ્યક્ત કર્યાં. ડાક વિભાગ દ્વારા 01 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 દરમિયાન આયોજિત ‘જનરલ ઇન્શ્યોરન્સ સુપર ધુરંધર’ અભિયાનમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરતાં રાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આ સિદ્ધિ બદલ ગ્રામીણ ડાક સેવકો, બ્રાંચ પોસ્ટમાસ્ટરો, પોસ્ટમેન સહિત મંડળ અધિક્ષકો, ઉપમંડલીય નિરીક્ષકો અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના મેનેજરોને અભિનંદન આપ્યા. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ સિદ્ધિ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત, સમર્પણ, ટીમવર્ક અને અસરકારક કાર્યપદ્ધતિનું પરિણામ છે. અભિયાન દરમિયાન ગ્રાહકો સુધી વીમા સેવાઓની પહોંચ વધારવા, જનજાગૃતિ ફેલાવવા અને સેવા ગુણવત્તામાં સુધારા પર વિશેષ ધ્યાન અપાયું હતું. આઇપીપીબીના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે એ  અભિયાન વિશે વિગતવાર માહિતી આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આઇપીપીબી દ્વારા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો હવે ચાલતા-ફરતા બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. સીઈએલસી હેઠળ ઘરે બેઠા 5 વર્ષ સુધીના બાળકોના આધાર બનાવવાની તથા મોબાઇલ નંબર અપડેટ કરવાની સુવિધા, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, ડીબિટી, બિલ પેમેન્ટ, એઇપીએસ દ્વારા ખાતામાંથી રૂપિયા ઉપાડવા, વાહન વીમા, આરોગ્ય વીમા, અકસ્માત વીમા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવી વિવિધ સેવાઓ આઇપીપીબી દ્વારા પોસ્ટમેન ના માધ્યમ થી ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આઇપીપીબી ખાતા દ્વારા ડાકઘરની સુકન્યા સમૃદ્ધિ યોજના, આર.ડી, પીપીએફ અને ડાક જીવન વીમામાં પણ ઓનલાઈન જમા કરી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ અભિયાનમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રે ₹1,50,85,834 ના લક્ષ્ય સામે ₹1,53,75,607 નું પ્રીમિયમ એકત્ર કરી 101.92% સિદ્ધિ મેળવી અને સફળતાપૂર્વક અભિયાનમાં ક્વોલિફાઇ થયું. હાલ ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં 8.43 લાખથી વધુ આઇપીપીબી ખાતાઓ કાર્યરત છે, જેમાં આ નાણાકીય વર્ષમાં 1.43 લાખથી વધુ નવા ખાતાઓ ખોલવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 1 લાખથી વધુ લોકોએ જનરલ ઇન્શ્યોરન્સ લીધો, જેમાંથી માત્ર ‘સુપર ધુરંધર’ અભિયાનમાં જ 23,500 લોકોએ લાભ લીધો.

સહાયક નિદેશક શ્રી રિતુલ ગાંધીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાત ક્ષેત્ર હેઠળ આવેલા 6 મંડળમાંથી 5 મંડળ—અમદાવાદ સિટી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા—એ 100% લક્ષ્યાંક પ્રાપ્ત કરીને અભિયાનમાં સફળ રહ્યા. આ મંડળોએ 100% કરતાં વધુ ઉપલબ્ધિ નોંધાવીને ક્ષેત્રની કુલ સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

આઇપીપીબીના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે એ જણાવ્યું કે દેશના કુલ 63 પોસ્ટલ રીજનમાંથી માત્ર 15 રીજન જ આ અભિયાનમાં સફળ રહ્યા, જેમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર પણ સામેલ છે. આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શરૂ કરાયેલ “પોસ્ટલ વોરિયર” અભિયાન ખૂબ જ પ્રેરણાદાયક અને અસરકારક સાબિત થયું.  આ અભિયાનના માધ્યમ થી  ડાક કર્મચારીઓમાં સ્પર્ધાની ભાવના, ટીમવર્ક અને લક્ષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવામાં આવી, જેના પરિણામે જનરલ ઇન્શ્યોરન્સ સેવાઓની પહોંચ વ્યાપક સ્તરે વધી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન શક્ય બન્યું.

આ અવસર પર પ્રવર ડાક અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, આઈપીપીબી ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, સિનિયર મેનેજર સુશ્રી પ્રિયંકા કુમારી, સિનિયર પોસ્ટમાસ્ટર અમદાવાદ જીપીઓ શ્રી સંદીપ કુશવાહ, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, શ્રી રિતુલ ગાંધી, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી. જે. સોલંકી, સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ભારતના વારસાની ઉજવણી કરતા ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

ટપાલ વિભાગ, પ્રધાનમંત્રી સંગ્રહાલયના સહયોગથી, 14 થી 17 એપ્રિલ 2026 દરમિયાન “એક ભારત, શ્રેષ્ઠ ભારત: ટપાલ ટિકિટો દ્વારા ભારતની એકતા અને લોકશાહીની ઉજવણી” શીર્ષક હેઠળ એક ફિલાટેલિક (ટપાલ ટિકિટ સંગ્રહ) પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ખૂબ જ રસપૂર્વક પ્રદર્શિત વસ્તુઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન, તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલાટેલિસ્ટ્સ (ટિકિટ સંગ્રહકો), સ્ટેમ્પ કલેક્ટર્સ અને ડિઝાઇનર્સ સાથે વાતચીત કરી હતી અને ભારતના સમૃદ્ધ ટપાલ વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રદર્શન ભારતની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક વારસો અને ટપાલ પરંપરાઓને પ્રતિબિંબિત કરતી ટપાલ ટિકિટોનો સંગ્રહ રજૂ કરે છે, જેમાં રાષ્ટ્રના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પરના વિષયો આધારિત હાઇલાઇટ્સ છે, જે મુલાકાતીઓને આકર્ષક અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે. શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરે છે અને નિહાળે છે. આ પ્રસંગે બોલતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે આ દિવસ ટપાલ વિભાગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેમણે પ્રધાનમંત્રી સંગ્રહાલયની ટીમના સમર્થન અને સહયોગ માટે તેમનો નિષ્ઠાવાન આભાર વ્યક્ત કર્યો હતો. આઝાદીના યુગથી અમૃત કાળ અને તેનાથી આગળ શતાબ્દી કાળ સુધીની ભારતની સફર પર પ્રતિબિંબ પાડતા, તેમણે પુનરોચ્ચાર કર્યો કે ટપાલ વિભાગ રાષ્ટ્ર નિર્માણમાં તેની મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જે તેણે સમગ્ર ઇતિહાસમાં કર્યું છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે ટપાલ વિભાગ અને પ્રધાનમંત્રી સંગ્રહાલય દેશભરમાં ફિલાટેલિક પ્રદર્શનોનું આયોજન કરવા માટે તેમની ભાગીદારીને મજબૂત બનાવશે, જે ભારતનો સમૃદ્ધ વારસો અને વિરાસત પ્રદર્શિત કરશે.    આ પ્રસંગે પિક્ચર પોસ્ટકાર્ડ્સનું વિમોચન આ પ્રસંગે, પ્રધાનમંત્રી સંગ્રહાલયના 4થા સ્થાપના દિવસ, 14 એપ્રિલ, 2026 ના રોજ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ અને ભારતના બંધારણની યાદમાં પિક્ચર પોસ્ટકાર્ડના ત્રણ અલગ-અલગ સેટ બહાર પાડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને ટપાલ વિભાગ વચ્ચે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર પ્રદર્શનો, આઉટરીચ કાર્યક્રમો અને સહ-બ્રાન્ડેડ ફિલાટેલિક ઉત્પાદનો દ્વારા ભારતની સાંસ્કૃતિક અને ટપાલ વિરાસતને પ્રોત્સાહન આપવા માટે સહયોગ મજબૂત કરવા માટે ટપાલ વિભાગ અને સંગ્રહાલય વચ્ચે એક સમજૂતી પત્ર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી મ્યુઝિયમમાં સમર્પિત ઈન્ડિયા પોસ્ટ કાઉન્ટર સ્થાપવાની શક્યતા પણ તપાસશે. આ કાર્યક્રમ સાંસ્કૃતિક સંસ્થાઓ અને ટપાલ વારસા વચ્ચેના સંકલનને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના સમર્પિત પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પ્રધાનમંત્રીના જીવન, નેતૃત્વ અને મુખ્ય પહેલોને પ્રદર્શિત કરતા પ્રદર્શનો નિહાળ્યા હતા.