ચૈત્ર નવરાત્રીના પવિત્ર અવસર પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા આધ્યાત્મિક ઊર્જાનો સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે દેવી માતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા ભક્તોના જીવનમાં નવી ચેતના અને સ્ફૂર્તિ ભરી દે છે.
ભક્તિમાં છે અપાર શક્તિ
પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “દેવી માની ભક્તિમાં અપાર શક્તિ છે. દેવી માની પૂજા કરવાથી ભક્તોના મન સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે.” વડાપ્રધાને ભાર મૂક્યો હતો કે નવરાત્રીનો આ સમયગાળો માત્ર પૂજા-પાઠનો જ નહીં, પરંતુ આંતરિક શક્તિ અને શાંતિ મેળવવાનો અવસર છે.
નવરાત્રી સ્પેશિયલ: મા આદ્યશક્તિની આરાધના: નવરાત્રીના નવ દિવસનું મહત્વ અને પૂજા વિધિ
ખાસ ભક્તિ ગીત કર્યું શેર
આ આધ્યાત્મિક અવસરને વધુ ભક્તિમય બનાવવા માટે પ્રધાનમંત્રીએ દેવી માને સમર્પિત એક મધુર ભક્તિ ગીત પણ શેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી દર વર્ષે નવરાત્રી દરમિયાન મા શક્તિની આરાધના કરે છે અને કઠોર ઉપવાસ પણ રાખે છે. તેમના આ સંદેશથી સોશિયલ મીડિયા પર ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવરાત્રીના નવ દિવસો દરમિયાન વડાપ્રધાન સતત મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની સ્તુતિ કરતા મંત્રો અને વિચારો શેર કરીને દેશમાં ભક્તિમય વાતાવરણ ઉભું કરી રહ્યા છે.
Matribhumi Samachar Gujarati

