Friday, January 23 2026 | 08:13:05 PM
Breaking News

નવી દિલ્હીમાં “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા કવચ: પડકારો અને નવીનતાઓ” વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું સમાપન થયું

Connect us on:

ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી)એ આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન (આઇએસએસએ)નાં સહયોગથી યશોભૂમિ – ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર, નવી દિલ્હી ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક સુરક્ષા નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને વિચારશીલ નેતાઓને એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા કવચ: પડકારો અને નવીનતાઓ” પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

200થી વધારે સહભાગીઓ, જેમાં એશિયા પેસિફિક ક્ષેત્રનાં દેશોનાં સામાજિક સુરક્ષા સંગઠનો, ભારત સરકારનાં મંત્રાલયો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, કામદારો અને નોકરીદાતાઓની સંસ્થાઓનાં પ્રતિનિધિઓ સામેલ છે, જેઓ આ વિચાર-વિમર્શમાં સામેલ છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સેમિનારનું ઉદ્ઘાટન કર્યું અને ભારતમાં સામાજિક સુરક્ષા પર એક પુસ્તકનું વિમોચન કર્યું, જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજે અને શ્રમ અને રોજગાર સચિવ સુશ્રી સુમિતા દાવરા હાજર હતા. “સોશિયલ પ્રોટેક્શન ઈન ઈન્ડિયાઃ ગ્લિમ્પસિસ ઓફ ધ જર્ની સો ફાર” પુસ્તક પ્રાચીન યુગથી આધુનિક સમય સુધી ભારતના સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી પરિદૃશ્યના ઉત્ક્રાંતિનો ઇતિહાસ રજૂ કરે છે.

લિંગ સમાનતા, પારદર્શકતા અને સુશાસન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાર્વત્રિક, પર્યાપ્ત, સ્થાયી અને સર્વસમાવેશક સામાજિક સુરક્ષા કવચની જરૂરિયાતને ટેકનિકલ સત્રો દરમિયાન સ્વીકારવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં નિષ્ણાતોએ શ્રમ બજારનાં વિકાસ, વ્યાપ વધારવા માટેનાં પડકારો અને નબળાં જૂથો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા વધારવા નવીન માળખાંની ચર્ચા કરી હતી.

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ), આઇએસએસએ, વર્લ્ડ બેંક, યુનાઇટેડ નેશન્સ ઇન્ડિયા, યુએન વિમેન એન્ડ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં નિષ્ણાતોએ મહત્ત્વપૂર્ણ આંતરદૃષ્ટિ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ વહેંચ્યા હતા. ઓમાન, થાઇલેન્ડ, મલેશિયા, નેપાળ અને ઇન્ડોનેશિયાનાં પ્રતિનિધિઓએ પોતપોતાના અનુભવો અને શિક્ષણનું પ્રદર્શન કર્યું હતું, જ્યારે સહભાગીઓએ સામાજિક સુરક્ષા કવરેજ અને ઔપચારિકતા વધારવા માટે નવીન અભિગમો પર ચર્ચા કરી હતી.

શ્રમ અને રોજગાર મંત્રાલયનાં પ્રતિનિધિઓએ ટેકનિકલ સત્રો દરમિયાન તેની મુખ્ય પહેલો અને સિદ્ધિઓ પ્રસ્તુત કરી હતી, જેમાં ઇ-શ્રમ, રોજગારી સાથે સંબંધિત યોજના, ગિગ અને પ્લેટફોર્મ અર્થતંત્ર માટે સામાજિક સુરક્ષા અને ઇએસઆઇસીમાં સ્વાસ્થ્ય સંબંધિત લાભો સામેલ છે.

સુશ્રી સુમિતા દાવરા, શ્રમ અને રોજગાર સચિવે તેમના સમાપન વક્તવ્યમાં તમામ માટે સામાજિક સુરક્ષા પૂરી પાડવાનાં દ્રષ્ટિકોણ તરફ ભારત દ્વારા લેવામાં આવેલી પ્રગતિની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે આરોગ્ય સુરક્ષા, પેન્શન, આજીવિકા અને ખાદ્ય સુરક્ષાની જોગવાઈમાં ભારતની સીમાચિહ્નોની વહેંચણી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ઇ-શ્રમ પોર્ટલ અનૌપચારિક કામદારોને તેમની સામાજિક સુરક્ષા અને કલ્યાણની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે “વન સ્ટોપ સોલ્યુશન” પ્રદાન કરીને ભારતીય સામાજિક સુરક્ષા પરિદ્રશ્યને નવેસરથી આકાર આપવાનાં માર્ગે અગ્રેસર છે.”

ઈન્ટરનેશનલ સોશિયલ સિક્યોરિટી એસોસિએશન (આઈએસએસએ)નાં પ્રમુખ ડો. મોહમ્મદ અઝમાને અનૌપચારિક કામદારો સહિત કામદારોની સામાજિક સુરક્ષાની જરૂરિયાતોને પહોંચી વળવા ભારતનાં પથપ્રદર્શક પ્રયાસોની પ્રશંસા કરી હતી.

શ્રમ અને રોજગાર મંત્રાલય અને ઇએસઆઇસી, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ), ડાયરેક્ટર જનરલ ઓફ એમ્પ્લોયમેન્ટ અને ડાયરેક્ટર જનરલ ઓફ લેબર વેલ્ફેર સહિતની તેની સંસ્થાઓનાં ઇન્ટરેક્ટિવ ડિજિટલ કિઓસ્કને સહભાગીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

ઇ-શ્રમ, એનસીએસ પોર્ટલ, શ્રમ સુધારણા, ઇપીએફઓ અને ઇએસઆઇસી સહિત મંત્રાલયની સીમાચિહ્નરૂપ પહેલોને ડિજિટલ ફ્લિપબુક અને વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) પ્લેટફોર્મ મારફતે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ આકર્ષક કિઓસ્કે સામાજિક સુરક્ષાને વધારે સુલભ, પારદર્શી અને કાર્યદક્ષ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

સેમિનારનું સમાપન એ વાત સાથે થયું કે શ્રમ તેમજ રોજગાર સચિવે સતત સંવાદ અને આંતરરાષ્ટ્રીય સહયોગની આવશ્યકતા પર ભાર મૂક્યો, જેથી સુનિશ્ચિત કરી શકાય કે સામાજિક સુરક્ષા તમામ સુધી પહોંચે અને કોઈ પણ શ્રમિક પાછળ ન રહે.

About Matribhumi Samachar

Check Also

‘વિશ્વ હિન્દી દિવસ’ (10 જાન્યુઆરી): હિન્દીમાં સર્જનશીલ એવી ત્રણ પેઢીઓનો અનોખો પરિવાર, જેને વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં સન્માન પ્રાપ્ત થયું

૬૧.૫ કરોડ લોકો સાથે વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીમાં વૈશ્વિક ભાષા બનવાની ક્ષમતા …