Thursday, December 18 2025 | 06:31:45 PM
Breaking News

સીબીઆઈએ તેના જ અધિકારી સામે કેસ નોંધ્યો; 55 લાખની રોકડની વસૂલાત માટે 20 સ્થળોએ તપાસ

Connect us on:

ભ્રષ્ટાચાર અને અન્ય અપરાધ બાબતે પોતાની શૂન્ય સહિષ્ણુતાની નીતિના ભાગરૂપે સીબીઆઈએ તેના પોતાના ડીવાયએસપી અને અન્ય લોકો વિરુદ્ધ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના દાયરામાં રહેલા વિવિધ વ્યક્તિઓ પાસેથી અયોગ્ય લાભ મેળવવાના આરોપો પર કેસ નોંધ્યો છે. એફઆઈઆરમાં આરોપ છે કે આરોપી જાહેર સેવક અનેક એકાઉન્ટ્સ અને હવાલા ચેનલ દ્વારા લાંચના પૈસાની લેવડ-દેવડ માટે અલગ-અલગ વચેટિયાઓની સેવાઓનો ઉપયોગ કરી રહ્યો હતો.

એફઆઈઆરની નોંધણીના પરિણામે જયપુર, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાં 20 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી છે. તપાસમાં રૂ. 55 લાખની રોકડની રિકવરી કરવામાં આવી છે. જે હવાલા ચેનલ દ્વારા રૂટ કરવામાં આવી છે. જેમાં આશરે રૂ. 1.78 કરોડનું રોકાણ દર્શાવતી મિલકતના કાગળ અને રૂ. 1.63 કરોડના વ્યવહારો દર્શાવતી બુક એન્ટ્રીઓ ઉપરાંત અન્ય ગુનાહિત દસ્તાવેજો/ વસ્તુઓ સામેલ છે.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે આયુષ પર સંસદીય સલાહકાર સમિતિની બીજી બેઠકની અધ્યક્ષતા કરી

આયુષ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બીજી બેઠક 15.12.2025ના રોજ નવી દિલ્હીમાં આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર …