કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની ઉપસ્થિતિમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનાં અમલીકરણનું મૂલ્યાંકન કરવા માટે એક સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશમાં પોલીસ, જેલો, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સાથે સંબંધિત વિવિધ નવી જોગવાઈઓનાં અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય …
Read More »અમદાવાદમાં પૂર્વોત્તર વેપાર અને રોકાણ રોડ શો યોજાયો
પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રાલય (MDoNER)એ આજે અમદાવાદમાં પૂર્વોત્તર વેપાર અને રોકાણ રોડ શોનું આયોજન કર્યું હતું. આ રોડ શોમાં પૂર્વોત્તર રાજ્યોમાં તકો શોધવા માટે આતુર સંભવિત રોકાણકારોનો ભારે રસ પેદા થયો હતો. આ કાર્યક્રમમાં માનનીય MDoNER અને શિક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર તેમજ એમડોનર, પૂર્વોત્તર પરિષદ, પૂર્વોત્તર રાજ્યો, એનઇએચડીસી અને એનઇઆરએમએસીનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આદરણીય રાજ્ય મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે માનનીય પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરને ભારતની અષ્ટલક્ષ્મી તરીકે ભાર મૂક્યો હતો, જે ઝડપી ઔદ્યોગિકરણ માટે તૈયાર મુખ્ય આર્થિક સંપત્તિ છે. તેમણે છેલ્લાં 10 વર્ષ દરમિયાન માનનીય પ્રધાનમંત્રીનાં નેતૃત્વમાં પૂર્વોત્તર ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલી માળખાગત ક્ષેત્રની મુખ્ય વિકાસલક્ષી પહેલો પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં અન્ય બાબતો ઉપરાંત હવાઈ અને રેલવે જોડાણ, જળમાર્ગો વગેરેનું વિસ્તરણ સામેલ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ઉન્નતિ યોજના, 2024 પ્રસ્તુત કરવી એ અન્ય એક સીમાચિહ્નરૂપ પહેલ છે, જેનો ઉદ્દેશ સ્થાયી વિકાસને વેગ આપવાનો, રોકાણને પ્રોત્સાહન આપવાનો અને ભારતનાં અખંડ ભારત વિઝનને મજબૂત કરવાનો છે. આદરણીય રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વના આઠ રાજ્યોમાંથી દરેકમાં અનન્ય શક્તિઓ, સંસાધનો અને તકોનો સમાવેશ થાય છે, જે આ પ્રદેશને ભારતની વિકાસગાથામાં એક અમૂલ્ય સંપત્તિ બનાવે છે. તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાથી માંડીને તેના કુદરતી સૌંદર્ય અને વ્યૂહાત્મક સ્થાન સુધી, પૂર્વોત્તર ક્ષેત્ર દેશના અગ્રણી આર્થિક પાવરહાઉસ તરીકે વિકસિત થવાની પુષ્કળ શક્યતાઓ ધરાવે છે. દક્ષિણપૂર્વ એશિયાની નજીક હોવાથી પૂર્વોત્તર ક્ષેત્રને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના પ્રવેશદ્વાર તરીકે પણ સ્થાન આપે છે, જે ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી સાથે સંપૂર્ણ પણે સુસંગત છે. તેમણે પ્રવાસન અને હોસ્પિટાલિટી, કૃષિ અને સંલગ્ન ઉદ્યોગો, હેલ્થકેર, મનોરંજન અને રમતગમત, માળખાગત સુવિધા અને લોજિસ્ટિક્સ, આઇટી અને આઇટીઇએસ, ટેક્સટાઇલ્સ, હેન્ડલૂમ અને હસ્તકળા, ઊર્જા વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં પૂર્વોત્તરનાં રાજ્યોની શક્યતા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ગુજરાતના ગતિશીલ વ્યાવસાયિક સમુદાયને પૂર્વોત્તર ક્ષેત્રની સંભવિતતાને શોધવા માટે આમંત્રણ આપ્યું હતું અને પૂર્વોત્તરને રોકાણના સ્થળ તરીકે જ નહીં, પણ એક વિશિષ્ટ વાર્તા અને અમર્યાદિત સંભવિતતા ધરાવતા પ્રદેશ તરીકે પણ ધ્યાનમાં લીધું હતું. MDoNERના સંયુક્ત સચિવ શ્રી શાંતનુએ ઉત્તર પૂર્વના લાભ અને રોકાણ અને વેપાર માટેની તકો પરના તેમના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વીય વિસ્તાર સમૃદ્ધ વણખેડાયેલી સંભવિતતા ધરાવે છે. છેલ્લા એક દાયકામાં, સરકારે અસંખ્ય વિલંબિત પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જેનાથી વિવિધ યોજનાઓ / પહેલ દ્વારા સ્થાનિક સમુદાયો અને લાખો લોકોને લાભ થયો છે. તેમણે આઇટી અને આઇટીઇએસ, હેલ્થકેર, એગ્રિ અને આનુષંગિક, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, રમતગમત અને મનોરંજન, પ્રવાસન અને હોસ્પિટાલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ, ટેક્સટાઇલ્સ, હેન્ડલૂમ્સ અને હેન્ડિક્રાફ્ટ્સ એન્ડ એનર્જી જેવા વિવિધ ક્ષેત્રોમાંની તકો પર પણ પ્રકાશ પાડ્યો હતો. પૂર્વોત્તર ક્ષેત્રમાં વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે એમડોનર દિલ્હીમાં ‘પૂર્વોત્તર રોકાણકાર શિખર સંમેલન‘નું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. સમિટ અગાઉની વિવિધ પ્રવૃત્તિઓ દરમિયાન પૂર્વોત્તરનાં રાજ્યોને અત્યાર સુધી સમજૂતીકરાર (એમઓયુ) અને લેટર્સ ઑફ ઇન્ટેન્ટ સ્વરૂપે રૂ. 77,000 કરોડથી વધારેનાં કુલ રોકાણનાં વચનો મળ્યાં છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળનાં ઉદ્યોગ અને આંતરિક વેપાર વિભાગ (ડીપીઆઇઆઇટી)નાં પ્રતિનિધિએ ઉન્નતિ યોજના પર વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં ઉપસ્થિત લોકોને તેનાં લાભો અને સંબંધિત પ્રોત્સાહનોની વિસ્તૃત સમજણ પ્રદાન કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉન્નતિ યોજનાનો ઉદ્દેશ પૂર્વોત્તર ભારતમાં ઔદ્યોગિકરણ અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના રોકાણકારો અને ઉત્પાદક કંપનીઓને આકર્ષવા માટે પ્રોત્સાહનો પ્રદાન કરે છે, ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ને ટેકો આપે છે અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને નિકાસ વધારવા માટે સ્થાનિક ઉત્પાદન અને સેવાઓને પ્રોત્સાહન આપે છે. પૂર્વોત્તર રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ અધિકારીઓએ વિવિધ ક્ષેત્રોમાં ઉભરતી તકો અંગે કાર્યવાહી કરી શકાય તેવી આંતરદૃષ્ટિ વહેંચી હતી. અમદાવાદ રોડ શોમાં ઉદ્યોગજગતના અગ્રણીઓએ મજબૂત ભાગીદારી કરી હતી, જેણે પૂર્વોત્તર ભારતની રોકાણની અપીલને વધુ મજબૂત બનાવી હતી. આ કાર્યક્રમમાં કેટલીક બી2જી બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોકાણકારોને પૂર્વોત્તર ક્ષેત્રમાં તેમની રોકાણ યોજનાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પ્રદાન કરવામાં આવ્યો હતો. અમદાવાદ રોડ શોનું સકારાત્મક સમાપન થયું હતું, જેમાં સહભાગીઓએ પૂર્વોત્તર ક્ષેત્રમાં સહયોગી સાહસો બાબતે ખૂબ રસ દાખવ્યો હતો. આ પ્રસંગે ન માત્ર અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપ્યું હતું, પરંતુ ભવિષ્યની ભાગીદારી, આર્થિક વૃદ્ધિ અને પ્રદેશમાં સ્થાયી વિકાસને આગળ વધારવા માટે પાયાનું કામ પણ કર્યું હતું. આ કાર્યક્રમે ભારતભરમાં સફળ રોડ શોની શ્રેણીમાં વધુ એક સીમાચિહ્નરૂપ ચિહ્નિત કર્યું હતું અને ઉત્તર પૂર્વ ભારતની બિનઉપયોગી સંભવિતતાનું પ્રદર્શન કર્યું હતું.
Read More »બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના 78મા સ્થાપના દિવસ નિમિત્તે સ્ટાન્ડર્ડ ક્લબ કાર્નિવલનું આયોજન
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), સુરત બ્રાન્ચ ઓફિસ દ્વારા 16 જાન્યુઆરી 2025ના રોજ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના 78મા સ્થાપના દિવસ નિમિત્તે સ્ટાન્ડર્ડ ક્લબ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેની ઉજવણી ભારે ઉત્સાહભેર કરવામાં આવી હતી. સુરત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમ કાર્નિવલની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્નિવલમાં વિવિધ સ્ટાન્ડર્ડ ક્લબના લગભગ 1000 વિધ્યાર્થીઓ અને મેન્ટર, નિર્માતાઓ તેમજ BISના અધિકારીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. કાર્નિવલ દરમિયાન વિદ્યાર્થીઓના વિવિધ સાયન્સ પ્રોજેક્ટ મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી, હાઇડ્રોજન ઇંધણ, બાયોડીઝલ, સોલાર સિસ્ટમ, વોટર હાર્વેસ્ટિંગ, પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ, ગ્રીન એનર્જી વગેરે બાબતોને લગતા પ્રદર્શનનું આયોજન કર્યું હતું.વિદ્યાર્થીઓની સાથે, વિવિધ ઉદ્યોગોએ પણ રમકડાં, કેબલ, સ્વીચો, કૃષિ સાધનો જેવા કે વોટર ડ્રિપર, સ્પ્રિંકલર્સ વગેરે જેવા ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓમાં BIS અને ગુણવત્તા વિશે જાગૃતિ વધારવા માટે આ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વિજય સિંહ ગુર્જર (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી), સુરત કાર્યક્રમને અનુલક્ષીને ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમણે બીઆઈએસ દ્વારા લેવામાં આવેલી સ્ટાન્ડર્ડ ક્લબની પહેલની પ્રશંસા કરી હતી અને સામાન્ય જીવનમાં ઉત્પાદનની ગુણવત્તાની પ્રશંસા કરી હતી અને તેના મહત્વ વિશે તેમજ ગ્રાહક સુરક્ષા અને આર્થિક પ્રગતિમાં માનકોના મહત્વ પર ભાર મૂક્યો અને ભારતીય માનક બ્યુરોને તેના 78મા સ્થાપના દિવસના અવસર પર અભિનંદન પાઠવ્યા. કાર્નિવલમાં ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાન દ્વારા ભાગ લેનાર મેકર્સ, ક્લબના વિદ્યાર્થીઓ અને મેન્ટરોને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. BIS સુરત શાખાના વરિષ્ઠ નિયામક અને વડા શ્રી એસ. ના. સિંહે રોજિંદા જીવનમાં ધોરણોના મહત્વ અને ટકાઉપણું હાંસલ કરવામાં માનકોની ભૂમિકા વિશે માહિતીપ્રદ વક્તવ્ય આપ્યું હતું.તેમણે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા શરૂ કરાયેલ સ્ટાન્ડર્ડ્સ ક્લબનો ઉદ્દેશ, ક્લબમાં હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ અને તેના વિદ્યાર્થીઓને મળતા લાભો વિશે સમજાવ્યું. રાષ્ટ્રગીત અને તમામ સહભાગીઓના આભાર સાથે કાર્યક્રમનો અંત આવ્યો. આ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો અને ઉપસ્થિત સૌને માનકો, પરસ્પર વિશ્વાસ અને સહકાર જાળવવા પ્રેરણા આપી હતી.
Read More »નવી સંચાર સાથી મોબાઇલ એપ ટેલિકોમ સુરક્ષા સાધનોને દરેક નાગરિકની આંગળીના ટેરવે લાવે છે
સમગ્ર ભારતમાં ટેલિકોમ સુલભતા, સુરક્ષા અને સશક્તીકરણને વધારવાના એક સીમાચિહ્નરૂપ પગલામાં કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ આજે નાગરિકો-કેન્દ્રિત પહેલોના સમૂહનો શુભારંભ કર્યો હતો. કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં સંચાર સાથી મોબાઇલ એપ, નેશનલ બ્રોડબેન્ડ મિશન (એનબીએમ) 2.0નું લોન્ચિંગ અને ડીબીએન ફંડેડ 4જી મોબાઇલ સાઇટ્સ પર ઇન્ટ્રા સર્કલ રોમિંગ સુવિધાનું ઉદઘાટન સામેલ હતું. સંચાર સાથી મોબાઇલ એપ …
Read More »નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, શ્રી નીતિન ગડકરીજી, જીતન રામ માંઝીજી, મનોહર લાલજી, એચ.ડી. કુમારસ્વામીજી, પિયુષ ગોયલજી, હરદીપ સિંહ પુરીજી, ભારત અને વિદેશના ઓટો ઉદ્યોગના તમામ દિગ્ગજો, અન્ય મહેમાનો, મહિલાઓ અને સજ્જનો! છેલ્લી વખત જ્યારે હું તમારી વચ્ચે આવ્યો હતો ત્યારે લોકસભાની ચૂંટણી બહુ દૂર નહોતી. તે સમય દરમિયાન તમારા બધાના …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 એનાયત કર્યા
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (17 જાન્યુઆરી, 2025) રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં રમતગમત અને સાહસિક પુરસ્કારો 2024 એનાયત કર્યા. આ પુરસ્કારોમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારો-2024; દ્રોણાચાર્ય પુરસ્કારો-2024; અર્જુન પુરસ્કારો-2024; તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કારો-2023; રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર-2024; અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી-2024નો સમાવેશ થાય છે. भारत : 1885 से 1950 (इतिहास पर एक …
Read More »સોનાના વાયદાના ભાવમાં રૂ.226, ચાંદીના વાયદામાં રૂ.618 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.23ની નરમાઈ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.70760.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14028.91 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.56730.45 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1340.52 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. …
Read More »૭૬મા ગણતંત્ર દિવસે, દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર દવજ ફરકાવવાની સાથે, ‘ડાક ચોપાલ’નું પણ કરવામાં આવશે આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
‘સરકારી સેવાઓ તમારા દ્વારે’ હેઠળ ડાક ચોપાલ ખાતે નાગરિક-કેન્દ્રિત સેવાઓ થશે ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જાન્યુઆરી, 2025 ના રોજ ગુજરાત પરિમંડલમાં 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર દવજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઉત્તર ગુજરાત …
Read More »ભારત સરકાર દ્વારા સમર્થિત VisioNxt પ્રયોગશાળા ભારતના ફેશન અને છૂટક બજાર માટે ક્રાંતિકારી સંશોધન અને ટ્રેન્ડ આંતરદૃષ્ટિ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છેઃ NIFT
NIFT ગાંધીનગરના નિયામકશ્રી, ડૉ. સમીર સૂદે માહિતી આપી હતી કે, VisioNxt પ્રયોગશાળા, NIFTની એક પહેલ છે, જે કાપડ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સમર્થિત છે. જે ભારતના ફેશન અને છૂટક બજાર માટે ક્રાંતિકારી સંશોધન અને ટ્રેન્ડ આંતરદૃષ્ટિ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે વિવિધ શૈક્ષણિક અભ્યાસક્રમો, વર્કશોપ અને ટ્રેન્ડ-સંબંધિત કન્સલ્ટિંગ સેવાઓ પણ …
Read More »કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ “રોજગારીના ભવિષ્ય પર પરિષદ”માં કૌશલ્ય પહેલના માધ્યમથી વૈશ્વિક કાર્યબળની અછતને પહોંચી વળવા ભારતની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય (એમઓએલઈ) એ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના સહયોગથી નવી દિલ્હીમાં તારીખ 15.01.2025ના રોજ “શેપિંગ ટુમોરો વર્કફોર્સ: ડ્રાઇવિંગ ગ્રોથ ઇન અ ડાયનેમિક વર્લ્ડ” થીમ પર આધારિત “કોન્ફરન્સ ઓન ફ્યુચર ઓફ જોબ્સ”નું આયોજન કર્યું હતું. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં નીતિઘડવૈયાઓ, ઉદ્યોગના અગ્રણીઓ અને નિષ્ણાતોને ભારતમાં વિકસી રહેલા રોજગારીના પરિદ્રશ્ય પર વિચાર-વિમર્શ કરવા અને ભવિષ્ય માટે તૈયાર કાર્યદળ માટે …
Read More »
Matribhumi Samachar Gujarati