Thursday, December 11 2025 | 04:41:23 PM
Breaking News

Matribhumi Samachar

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના વડનગરમાં પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને વડનગર રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 16 જાન્યુઆરી, 2025, ગુરુવારના રોજ ગુજરાતના વડનગર ખાતે પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને વડનગર રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, ગૃહમંત્રી વડનગરમાં હેરિટેજ કોમ્પ્લેક્સ વિકાસ યોજના, શહેરી માર્ગ વિકાસ અને સુંદરતા કાર્યક્રમની અધ્યક્ષતા પણ કરશે. શ્રી અમિત શાહ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની મુલાકાત પર એક ફિલ્મ …

Read More »

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતનાં માણસામાં અંદાજે રૂ. 241 કરોડની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના માણસામાં અંદાજે રૂ.241 કરોડના મૂલ્યની અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે અન્ય વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં શ્રી નરેન્દ્ર મોદીનાં …

Read More »

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે 77મા સેના દિવસ પર ભારતીય સેનાના ઉત્કૃષ્ટ વ્યાવસાયીકરણ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે 15 જાન્યુઆરી, 2025ના રોજ 77મા આર્મી ડે નિમિત્તે ભારતીય સેનાનાં તમામ રેન્કનાં જવાનોને શુભેચ્છાઓ પાઠવી છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે પોતાના સંદેશમાં સીડીએસે કહ્યું કે, આ દિવસ અતૂટ સમર્પણ, હિંમત, અદમ્ય ભાવના અને વ્યાવસાયિકતાની ઉજવણી છે જે ભારતીય સેનાને વ્યાખ્યાયિત કરે છે, એક એવી સંસ્થા જે ભારતની સુરક્ષા અને એકતાનાં પાયા તરીકે …

Read More »

પ્રધાનમંત્રીએ આર્મી ડે પર ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કર્યાં

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આર્મી ડે પર ભારતીય સેનાના અતૂટ સાહસને સલામ કર્યાં છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે ભારતીય સેના દ્રઢ નિશ્ચય, વ્યાવસાયિકતા અને સમર્પણનું પ્રતીક છે. શ્રી મોદીએ જણાવ્યું કે, “અમારી સરકાર સશસ્ત્ર દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે અનેક …

Read More »

તિરુવલ્લુવર દિવસ પર, આપણે આપણા ભૂમિના મહાન તત્વજ્ઞાનીઓ, કવિઓ અને વિચારકોમાંથી એક, મહાન તિરુવલ્લુવરને યાદ કરીએ છીએ: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે તિરુવલ્લુવર દિવસ પર મહાન તમિલ દાર્શનિક, કવિ અને વિચારક તિરુવલ્લુવરને યાદ કર્યાં. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે, મહાન તિરુવલ્લુવરની કવિતાઓ તમિલ સંસ્કૃતિ અને આપણા દાર્શનિક વારસાના સારનું પ્રતિબિંબ પાડે છે. શ્રી મોદીએ જણાવ્યું કે, “તેમનું કાલાતીત કાર્ય, તિરુક્કુરલ, પ્રેરણાના દીવાદાંડી તરીકે ઊભું છે, જે વિવિધ …

Read More »

INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનાં કમિશનિંગ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મંત્રી પરિષદમાં મારા વરિષ્ઠ સાથીઓ, શ્રી રાજનાથ સિંહજી, સંજય સેઠજી, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તેમની સાથે આજે આપણા બે નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર છે, નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, સીડીએસ, સીએનએસ, નૌકાદળનાં બધા સાથીઓ, માઝગાંવ ડોકયાર્ડમાં કામ કરતા બધા સાથીઓ, અન્ય મહેમાનો, દેવીઓ અને સજ્જનો. 15 જાન્યુઆરીનો દિવસ આર્મી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. દેશની રક્ષા …

Read More »

નવી મુંબઈમાં ઇસ્કોનનાં શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં ભાષણનો મૂળપાઠ

હરે કૃષ્ણ – હરે કૃષ્ણ! હરે કૃષ્ણ – હરે કૃષ્ણ! મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવા ભાઉજી, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, શ્રી ગુરુ પ્રસાદ સ્વામીજી, હેમા માલિનીજી, બધા પ્રતિષ્ઠિત મહેમાનો, ભક્તો, ભાઈઓ અને બહેનો. આજે, ઇસ્કોનના પ્રયાસોથી જ્ઞાન અને ભક્તિની આ મહાન ભૂમિ પર શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આવા અલૌકિક સમારોહમાં …

Read More »

મહાકુંભ 2025માં, મકરસંક્રાંતિ પર સાંજે 5.30 વાગ્યા સુધી, સંગમમાં કુલ 3.50 કરોડ ભક્તોએ અમૃત સ્નાન કર્યું, વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે

વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ મહાકુંભ 2025માં મકરસંક્રાંતિના શુભ અવસરે, આજે અવિરત અને શુદ્ધ ત્રિવેણી સંગમ ખાતે સાંજે 5.30 વાગ્યા સુધી કુલ 3.50 કરોડથી વધુ ભક્તોએ પ્રથમ અમૃત સ્નાન કર્યું. આ માહિતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની x પોસ્ટ દ્વારા આપી હતી. આ પ્રસંગ ફક્ત  શ્રદ્ધા અને આદરનું પ્રતીક નથી, પરંતુ એકતા, સમાનતા અને સાંસ્કૃતિક વિવિધતાનું એક અદ્ભુત …

Read More »

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની ભાષિની મહાકુંભ પ્રયાગરાજ 2025માં 11 ભાષાઓમાં બહુભાષી સુવિધા પૂરી પાડે છે

ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 સુધી પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં બહુભાષી સુલભતા માટે ભાષિનીના એકીકરણ સાથે તકનીકી સહયોગની ઓફર કરી છે. ‘ડિજીટલ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સોલ્યુશન‘ ‘ડિજિટલ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સોલ્યુશન’ મારફતે વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સંકલનમાં ભાગ લેનારાઓને ભાષિનીની ભાષા અનુવાદ ઇકોસિસ્ટમ કેવી રીતે મદદરૂપ થશે તે આ  પ્રમાણે છે: બહુભાષીય આધાર મૂળ ભાષાઓમાં અવાજની મદદથી ખોવાયેલી/શોધાયેલી …

Read More »

પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ માટે નોંધણી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ અરજીઓ સાથે પૂર્ણ થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC) માટે નોંધણી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ ભાગીદારી સાથે પૂર્ણ થઈ. પરીક્ષા સંબંધિત તણાવને શિક્ષણ અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે આ એક રાષ્ટ્રવ્યાપી ચળવળ છે. PPC 2025ની 8મી આવૃતિએ ભારત અને વિદેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી નોંધણીના સંદર્ભમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સ્થાપિત કર્યું …

Read More »