Saturday, March 21 2026 | 05:34:35 PM
Breaking News

Business

એમસીએક્સ દ્વારા બજેટના દિવસે 1લી ફેબ્રુઆરીના રોજ લાઈવ ટ્રેડિંગ સત્રનું કરાયું આયોજનઃ કામકાજ રહેશે શરૂ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.52164.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10822.6 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41339.21 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19540 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »

કેન્દ્રીય અંદાજપત્ર 2025-26નો સારાંશ

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું. અહીં તેમના અંદાજપત્ર ભાષણનો સારાંશ આપ્યો છે; ભાગ – A નાણાં મંત્રીએ તેલુગુ કવિ અને નાટ્યકાર શ્રી ગુરાજદા અપ્પા રાવના પ્રખ્યાત વાક્ય – ‘દેશનો અર્થ માત્ર તેની માટી નથી પરંતુ દેશ તેના લોકોથી છે’ ટાંકીને – “સબકા વિકાસ” થીમ સાથે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું …

Read More »

કેન્દ્રીય બજેટ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

આજનો દિવસ ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે! આ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું બજેટ છે, આ દરેક ભારતીયના સપનાઓને પૂર્ણ કરતું બજેટ છે. અમે યુવાનો માટે ઘણા ક્ષેત્રો ખોલ્યા છે. સામાન્ય નાગરિક એ છે જે વિકસિત ભારતના મિશનને આગળ ધપાવશે. આ બજેટ એક ફોર્સ મલ્ટિપ્લાયર છે. આ બજેટ બચત વધારશે, રોકાણ …

Read More »

કેબિનેટે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા ઇથેનોલની ખરીદી માટેની કાર્યપ્રણાલીને મંજૂરી આપી – ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) 2024-25 માટે જાહેર ક્ષેત્રની ઓએમસીને પુરવઠા માટે ઇથેનોલની કિંમતમાં સુધારો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ ભારત સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અંતર્ગત 1 નવેમ્બર, 2024થી શરૂ કરીને 31 ઓક્ટોબર, 2025 સુધી ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) 2024-25 માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) માટે ઇથેનોલ ખરીદીની કિંમતમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તદનુસાર, ઇથેનોલ પુરવઠા વર્ષ 2024-25 (1 નવેમ્બર 2024થી 31 ઓક્ટોબર 2025) માટે સી હેવી મોલાસ (સીએચએમ)માંથી મેળવેલા ઇબીપી પ્રોગ્રામ માટે ઇથેનોલની એક્સ-મિલ કિંમત પ્રતિ લિટર રૂ. 56.58 થી રૂ. 57.97 નક્કી કરવામાં આવી છે. આ મંજૂરીથી ઇથેનોલના સપ્લાયર્સ માટે કિંમતમાં સ્થિરતા અને વળતરદાયક કિંમતો પ્રદાન કરવાની સરકારની સતત નીતિ સુલભ થવાની સાથે સાથે ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં, વિદેશી હૂંડિયામણમાં બચત કરવામાં પણ મદદ મળશે અને પર્યાવરણને લાભ થશે. શેરડીના ખેડૂતોના હિતમાં, ભૂતકાળની જેમ, જીએસટી અને પરિવહન ખર્ચ અલગથી ચૂકવવાપાત્ર રહેશે. સીએચએમ ઇથેનોલની કિંમતોમાં 3 ટકાનો વધારો થવાથી સંવર્ધિત મિશ્રણ લક્ષ્યાંકને પહોંચી વળવા ઇથેનોલની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. સરકાર ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અમલમાં મૂકી રહી છે, જેમાં ઓએમસી 20 ટકા સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ કરે છે. આ કાર્યક્રમનો અમલ સમગ્ર દેશમાં વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે થઈ રહ્યો છે. આ હસ્તક્ષેપ ઊર્જા આવશ્યકતાઓ માટે આયાત પરાધીનતા ઘટાડવા અને કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે પણ પ્રયત્ન કરે છે. છેલ્લાં 10 વર્ષ દરમિયાન (31.12.2024 સુધી) જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ થવાને પરિણામે આશરે રૂ.1,13,007 કરોડથી વધારે વિદેશી હૂંડિયામણ અને કાચા તેલની અવેજીની અંદાજે રૂ.1,13,007 કરોડની બચત થઈ છે. જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા ઇથેનોલનું મિશ્રણ ઇથેનોલ પુરવઠા વર્ષ 2013-14માં 38 કરોડ લિટરથી વધીને (ઇએસવાય – અત્યારે ઇથેનોલ પુરવઠાનાં સમયગાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે એક વર્ષનાં 1 નવેમ્બરથી આગામી વર્ષનાં 31 ઓક્ટોબર સુધીનાં ગાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે) વધીને ઇએસવાય 2023-24માં 14.60 ટકાનું સરેરાશ મિશ્રણ હાંસલ કરીને 707 કરોડ લિટર થયું છે. સરકારે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલના મિશ્રણના લક્ષ્યાંકને અગાઉ વર્ષ 2030થી વધારીને ઇએસવાય 2025-26 કર્યો છે અને “ભારતમાં 2020-25માં ઇથેનોલના મિશ્રણ માટેની યોજના” જાહેર કરવામાં આવી છે. આ દિશામાં એક પગલા તરીકે, ઓએમસી ચાલુ ઇએસવાય 2024-25 દરમિયાન 18% મિશ્રણ પ્રાપ્ત કરવાની યોજના ધરાવે છે. તાજેતરના અન્ય સક્ષમકર્તાઓમાં ઇથેનોલ નિસ્યંદન ક્ષમતા વધારીને વાર્ષિક 1713 કરોડ લિટર કરવાનો સમાવેશ થાય છે. ઇથેનોલની અછત ધરાવતાં રાજ્યોમાં ડેડિકેટેડ ઇથેનોલ પ્લાન્ટ્સ (ડીઇપી)ની સ્થાપના કરવા લાંબા ગાળાનાં ઓફ ટેક એગ્રીમેન્ટ્સ (એલટીઓએ) સિંગલ ફીડ ડિસ્ટિલરીઓને મલ્ટિ ફીડમાં રૂપાંતરિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે; ઇ-100 અને ઇ-20 ઇંધણની ઉપલબ્ધતા; ફ્લેક્સી ફ્યુઅલ વ્હિકલ્સ વગેરેનું લોન્ચિંગ. આ તમામ પગલાઓ વ્યવસાય કરવામાં સરળતા અને ભારતના ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં પણ વધારો કરે છે. ઇબીપી કાર્યક્રમ હેઠળ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી દૃશ્યતાને કારણે દેશભરમાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ ડિસ્ટિલરીઝ, સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ સુવિધાઓનાં નેટવર્ક સ્વરૂપે રોકાણ થયું છે, ઉપરાંત રોજગારીની તકો અને વિવિધ હિતધારકો વચ્ચે દેશમાં મૂલ્યની વહેંચણી પણ થઈ છે.  તમામ ડિસ્ટિલરીઓ આ યોજનાનો લાભ લઈ શકશે અને તેમાંથી મોટી સંખ્યામાં ઇબીપી પ્રોગ્રામ માટે ઇથેનોલનો પુરવઠો પૂરો પાડશે તેવી અપેક્ષા છે. તેનાથી ફોરેક્સ બચત, ક્રૂડ ઓઇલની અવેજી, પર્યાવરણને લગતા લાભો અને શેરડીનાં ખેડૂતોને વહેલાસર ચુકવણીમાં મદદ મળશે.

Read More »

સોનાના વાયદામાં રૂ.151 અને ચાંદીના વાયદામાં રૂ.323ની તેજીઃ કોટન-ખાંડી વાયદામાં નરમાઈની આગેકૂચ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.50786.16 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9741.15 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41044.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19400 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »

હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરનનું ઇ-કોમર્સ નિર્માતા પર ભારતીય માનક બ્યુરોના દરોડા

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરન વેચતા વેપારી શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ, ફ્લોર 1, બ્લોક નં. 29 દર્શન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, કોમલ ઇન્ટરનેશનલ સર્કલ પાસે, 150 ફૂટ બમરોલી રોડ ઉધના, સુરત, ગુજરાત – 395017 તારીખ 28.01.2025 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. ભારતીય માનક બ્યુરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા હેન્ડ …

Read More »

એમસીએક્સ પર કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ.450ની નરમાઈઃ મેન્થા તેલ, નેચરલ ગેસ ઢીલાં

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.42897.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9386.1 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.33510.39 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19247 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર …

Read More »

ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા પ્લાસ્ટિક ઉદ્યોગ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ભારતીય માનક બ્યુરો (BIS) આપણા દેશનું રાષ્ટ્રીય માનક સંસ્થાન છે, જેને BIS અધિનિયમ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય માનક બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાથે જ, ગુણવત્તા પ્રમાણપત્ર દ્વારા માનકોના અમલને સુનિશ્ચિત કરવા કન્ફર્મિટી એસેસમેન્ટ યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવાની જવાબદારી સોંપવામાં આવી છે. BIS મિકેનિકલ, કૃષિ, રસાયણ, વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સ, ખાદ્ય અને વસ્ત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગને પ્રોત્સાહન આપવામા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે, BIS ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે વિશ્વાસના લાગણી સ્થાપિત કરવા માટે મહત્ત્વનું કાર્ય કરે છે. વર્ષોથી, BIS ઉપભોક્તાઓ અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ભારતીય માનકો વિકસાવવા અને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, BISએ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો માટે યોગ્ય છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, BIS અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) અને ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો માટે ઔદ્યોગિક જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં ઉદ્યોગના ધોરણો, નિયમો અને શ્રેષ્ઠ પ્રથાઓની સમજ અને જાગૃતિ વધારવાનો હતો. કાર્યક્રમની શરૂઆત ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) ના માનનીય સચિવ શ્રી મનસુખ સાવલીયાના સ્વાગત પ્રવચનથી થઈ. શ્રી મનસુખ સાવલીયાએ આ કાર્યક્રમના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને સમગ્ર ક્ષેત્રમાં ગુણવત્તા માનકો અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગરે ઉદ્ઘાટન ભાષણ આપ્યું. શ્રી સુમિતસેંગરે પોતાના ભાષણમાં, કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્યોની રૂપરેખા આપી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનકોનું ઉદ્યોગ પાલન સુનિશ્ચિત કરવા માટે BIS ની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે ભાર મૂક્યો કે પ્લાસ્ટિક ઉત્પાદન ઉદ્યોગમાં ગુણવત્તા, સલામતી અને ટકાઉપણાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આવી જાગૃતિ પહેલ કેવી રીતે મહત્વપૂર્ણ છે. BIS ખાતે ઉપનિદેશક અને વૈજ્ઞાનિક સી શ્રી અજય ચંદેલે BIS પ્રવૃત્તિઓ અને ખાસ કરીને પ્લાસ્ટિક ઉદ્યોગને લગતા ધોરણોની ઊંડાણપૂર્વક ઝાંખી આપી. શ્રી વિપિન ભાસ્કર, સંયુક્ત નિદેશક/વૈજ્ઞાનિક ડી. એ BIS લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું અને ઉત્પાદન ધોરણો જાળવવા અને ગ્રાહક સલામતી સુનિશ્ચિત કરવામાં ગુણવત્તા નિયંત્રણ આદેશોની ભૂમિકા સમજાવી. કાર્યક્રમ દરમિયાન એક ઓપન હાઉસ સત્ર પણ યોજાયું હતું જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ શ્રી સુમિતસેંગર, BIS અમદાવાદના નિદેશક અને પ્રમુખ દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમાપન ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન(GSPMA) દ્વારા આભારવિધિ સાથે થયું, જેમાં કાર્યક્રમની સફળતામાં યોગદાન આપનારા તમામ વક્તાઓ, સહભાગીઓ અને ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ ઔદ્યોગિક જાગૃતિ કાર્યક્રમ ગુણવત્તા માનકો, પાલન અને ઉત્પાદન પદ્ધતિઓમાં નવીનતા પ્રત્યે જાગૃતિને પ્રોત્સાહન આપીને પ્લાસ્ટિક ઉત્પાદન ઉદ્યોગને ટેકો આપવા માટે BIS અમદાવાદના પ્રયાસોને રેખાંકિત કરે છે.

Read More »

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.84ની વૃદ્ધિઃ ચાંદીનો વાયદો રૂ.435 ઘટ્યોઃ ક્રૂડ તેલ રૂ.6 ઢીલું

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.94826.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13130.75 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.81687.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19332 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »

KVICએ કચ્છ-ભુજમાં વિવિધ કાર્યક્રમોમાં 100 પરંપરાગત ચરખા, 100 ઇલેક્ટ્રિક વ્હીલ અને 50 ટર્નવુડ મશીનોનું વિતરણ કર્યું

ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે શુક્રવારે કચ્છ-ભુજમાં આયોજિત બે અલગ-અલગ કાર્યક્રમોમાં ટર્નવુડ મશીનો, વિદ્યુત ચાલિત ચાકનું અને પરંપરાગત ચરખાનું વિતરણ કર્યું હતું. ખાવડા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં લાભાર્થીઓને 50 ટર્નવુડ મશીનો, 20 વિદ્યુત ચાલિત ચાક અને 10 પરંપરાગત ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જ ક્રમમાં, ભુજ હાટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની હાજરીમાં 80 વિદ્યુત ચાલિત ચાક અને 90 પરંપરાગત ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ હાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ ઓનલાઈન માધ્યમ દ્વારા રૂ. 349.99 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ દ્વારા દેશભરમાં 8962 નવા એકમો સ્થાપિત થયા છે અને 98582 નવા લોકોને રોજગાર મળ્યો છે, જ્યારે ગુજરાતમાં 352 નવા એકમોને 39 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે, જેનાથી 3872 નવી નોકરીઓનું સર્જન થયું છે. કાર્યક્રમને સંબોધતા, KVIC ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે KVIC દ્વારા વિતરણ કરવામાં આવી રહેલા ઉપકરણો ફક્ત ઉપકરણો નથી પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ ના નિર્માણ તરફ એક મજબૂત પગલું છે. આ સંસાધનો દ્વારા, લાભાર્થીઓ તેમની આજીવિકાને મજબૂત બનાવશે અને સાથે સાથે દેશના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનમાં પણ યોગદાન આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ મહાત્મા ગાંધીના વિચારો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાનો વધુ એક પ્રયાસ છે. શ્રી મનોજ કુમારે માહિતી આપી હતી કે ગુજરાતમાં 244 નોંધાયેલ ખાદી સંસ્થાઓ દ્વારા 23,505 કારીગરો અને વણકરોને રોજગારી આપવામાં આવી રહી છે. વર્ષ 2024-25માં ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન 174.45 કરોડ રૂપિયા હતું અને કુલ વેચાણ 327.72 કરોડ રૂપિયા હતું. આ નાણાકીય વર્ષમાં PMEGP હેઠળ 1,255 નવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવ્યા હતા, જ્યારે 150 કરોડ રૂપિયાથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 5 નવા SFURTI ક્લસ્ટરોની સ્થાપના કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન, KVICના અધ્યક્ષે ખાદી ક્ષેત્રે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન, ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણ પાંચ ગણું વધીને રૂ. 31000 કરોડથી રૂ. 155000 કરોડ થયું છે. ખાદીના કપડાંનું વેચાણ છ ગણું વધીને રૂ. 1081 કરોડથી વધીને રૂ. 6496 કરોડ થયું છે. અધ્યક્ષે કહ્યું, “છેલ્લા 10 વર્ષમાં ખાદી કારીગરોની આવકમાં 213%નો વધારો થયો છે. આજે ખાદી માત્ર કાપડ નથી પરંતુ ભારતની ઓળખ બની ગઈ છે.” ખાદી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી પર વિશેષ ભાર મૂકતા તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં 80%થી વધુ યોગદાન માતાઓ અને બહેનોનું છે. વિતરણ કાર્યક્રમમાં ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, પીએમઇજીપી એકમોના લાભાર્થીઓ, ખાદી કામદારો, ગુજરાત સરકાર અને કેવીઆઈસીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Read More »