Thursday, December 11 2025 | 09:57:34 AM
Breaking News

Regional

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતે સશસ્ત્ર સીમા બલ (SSB)ના 61મા સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સિલિગુડી ખાતે સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ના 61મા સ્થાપના દિવસના સમારંભમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પેટ્રાપોલમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોઇન્ટ (આઇસીપી) અગરતલા અને બીજીએફના નવનિર્મિત રહેણાંક સંકુલનું ઇ-ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ડાયરેક્ટર (આઈબી), બોર્ડર મેનેજમેન્ટ, ગૃહ મંત્રાલયનાં સચિવ, એસએસબીનાં ડીજી અને અન્ય કેટલાંક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. પોતાના …

Read More »

રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી હતી, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું: “રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર થયેલા અકસ્માતમાં …

Read More »

પ્રધાનમંત્રીએ શ્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું: “હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ વર્ષો સુધી રાજ્યના રાજકારણમાં સક્રિય રહ્યા અને ચૌધરી દેવીલાલજીના કાર્યને આગળ ધપાવવા સતત પ્રયાસો કર્યા. …

Read More »

ઉપરાષ્ટ્રપતિ 21 ડિસેમ્બર, 2024ના રોજ ચંડીગઢની મુલાકાત લેશે

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 21 ડિસેમ્બર, 2024ના રોજ ચંડીગઢની એક દિવસીય મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિ કે જેઓ પંજાબ યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે, તેઓ પોતાની યાત્રા દરમિયાન ચંડીગઢમાં પંજાબ યુનિવર્સિટીની 5મા વૈશ્વિક ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું ઉદ્ઘાટન કરશે.   भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ સિકંદરાબાદની કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટને ધ્વજ અર્પણ કર્યો

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(20 ડિસેમ્બર, 2024) કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ, સિકંદરાબાદને ધ્વજ પ્રદાન કર્યો છે. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની ઉન્નત સંરક્ષણ વ્યવસ્થાપન ક્ષમતા રાજદ્વારી અને લશ્કરી ભાગીદારીને મજબૂત કરવામાં અને સંરક્ષણ નિકાસ વધારવામાં મદદ કરશે. તેનાખી ભારતને વૈશ્વિક સુરક્ષા ફોરમમાં સક્રિય વલણ જાળવવામાં પણ …

Read More »

રાષ્ટ્રપ્રેમ સર્વોપરી છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ત્રીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળને સંબોધતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં વિકાસમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખૂબ મોટો ફાળો છે. તેમણે દરેક વર્ગ, લોકો અને સંસ્થાઓને સાથે મળી આગળ વધવા માટે “સબકા સાથ, સબકા વિકાસ”ની …

Read More »

કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે GIFT Cityની મુલાકાત લીધી

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ત્રીજા દિવસે GIFT, ગાંધીનગરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળે અહીં આવેલા ફોરેન એક્સચેન્જની રૂબરૂ મુલાકાત લઈ તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી. મંડળે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)નાં અઘ્યક્ષ શ્રી કે. રાજારમણ સાથેની મુલાકાત કરી હતી. અધ્યક્ષ શ્રી. કે. રાજારમણે અહીં શરૂ …

Read More »

‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન

ભારત સરકારના પોસ્ટ વિભાગના આર. એમ. એસ. ‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ ને જાણ કરવામાં આવે છે કે ‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલત નું આયોજન તા. 27/12/2024ના રોજ 12.00 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝન ની કચેરી, શાહિબાગ, અમદાવાદ- 380004 ખાતે કરવામાં આવેલ છે. તો આ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય …

Read More »

અમૂલનું સહકારી માળખું જાણવા જેવું છે : અથીરા થમ્પી, નાયબ નિયામક, પીઆઈબી, તિરુવનંતપૂરમ

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે બીજા દિવસે આણંદ ખાતે અમૂલ પ્લાન્ટ, અમદાવાદમાં બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ અને સાબરમતી મેટ્રો હબની મુલાકાત લીધી હતી. અમૂલ ડેરી પ્લાન્ટની કામગીરી, તેના સહકારી માળખાની વિગતવાર જાણકારી મેળવી હતી. જેમાં ડેરીની સ્થાપનાથી લઈને વિશ્વસ્તરે ફેલાયેલા વ્યવસાય વિશે માહિતી આપવામાં આવી હતી. આ …

Read More »

ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ દ્વારા બનાસ ડેરી, પાલનપુરની એક્સપોઝર વિઝિટ

ભારતીય માનક બ્યૂરો (BIS) એ  ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જેની સ્થાપના બી.આઈ.એસ. અધિનિયમ, 2016 હેઠળ કરવામાં આવી છે. તે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય ધોરણો ઘડવા માટે અધિકૃત છે. તે ધોરણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર સહિત અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓની રચના અને અમલીકરણ માટે પણ જવાબદાર છે. BISએ શૈક્ષણિક સંસ્થાઓમાં “સ્ટાન્ડર્ડ્સ ક્લબ” ની રચના કરીને, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે નોંધણી કરાવીને અને યુવાનોને વાઇબ્રન્ટ બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ગુણવત્તાયુક્ત જાગૃતિ લાવવા માટે પ્રશંસનીય પહેલ કરી છે. આ ક્લબો હેઠળ આયોજિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણ વિશે શીખવાની તકો મળે છે. બી.આઈ.એસ. એ સમગ્ર ભારતમાં 10,000 સ્ટાન્ડર્ડ્સ ક્લબ સ્થાપવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કર્યું છે. બી.આઈ.એસ, અમદાવાદ ગુણવત્તા ખાતરી પહેલના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે સ્ટાન્ડર્ડ્સ ક્લબના સભ્યો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગોના પ્રતિનિધિઓ જેવા હિતધારકો માટે વારંવાર કાર્યક્રમોનું આયોજન કરે છે. વિદ્યાર્થીઓનું જ્ઞાન વધારવા અને વ્યવહારુ અનુભવ પ્રદાન કરવા માટે એક વિશેષ પહેલ તરીકે, બી.આઈ.એસ અમદાવાદ એ 18 ડિસેમ્બર 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાની આઠ શાળાઓના સ્ટાન્ડર્ડ્સ ક્લબના 190 વિદ્યાર્થીઓ માટે બનાસ ડેરી, પાલનપુરની એક્સપોઝર વિઝિટનું આયોજન કર્યું હતું. મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ દૂધ, માખણ અને છાશ જેવા વિવિધ ડેરી ઉત્પાદનોની પ્રક્રિયાને નજીકથી નિહાળી હતી. ગુણવત્તા જાળવી રાખીને ઉત્પાદનો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તે પ્રક્રિયા કે જેના દ્વારા તેઓ ગ્રાહકો સુધી પહોંચે છે તે વિશે તેમને માહિતી આપવામાં આવી હતી. ડેરી ક્ષેત્રની કામગીરી સાથે વિદ્યાર્થીઓને પરિચિત કરાવવા માટે ડેરી ઉદ્યોગની સ્થાપના અને કામગીરી દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ BIS ધોરણો, ISI માર્ક અને હોલમાર્ક જેવા પ્રમાણપત્રો અને BIS કેર એપના મહત્વ વિશે શીખ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ પ્રસંગે બીઆઈએસ અમદાવાદના શ્રી પુનીત નાથવાણીએ વિદ્યાર્થીઓને બીઆઈએસની ભૂમિકા, ધોરણોની જરૂરિયાત અને તેમના મહત્વ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. તેમણે સમજાવ્યું કે કેવી રીતે બીઆઈએસ તેના નિર્ધારિત માનકો દ્વારા ઉત્પાદનની ગુણવત્તાની ખાતરી કરે છે. શ્રી અમિત સિંહે વિગતવાર જણાવ્યું હતું કે કેવી રીતે બીઆઈએસ યોગ્ય માનકો અનુસાર ઉત્પાદનો તૈયાર કરીને, પરીક્ષણ કરીને અને લાઇસન્સ આપીને અને તેમના અમલીકરણને ફરજિયાત બનાવીને સમગ્ર દેશમાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની ડિલિવરી સુનિશ્ચિત કરે છે. આ શૈક્ષણિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા સંબંધિત શાળાઓના શિક્ષકો પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા. એક્સપોઝર મુલાકાતનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને વ્યવસાયિક પ્રક્રિયાઓ અને ગુણવત્તાના ધોરણો વિશે જાગૃત કરવાનો હતો. આ પહેલ દ્વારા, બી.આઈ.એસ. એ વિદ્યાર્થીઓને ઉદ્યોગની વાસ્તવિક દુનિયાની પ્રક્રિયાઓ અને ગુણવત્તા વ્યવસ્થાપનને સમજવાની તક પૂરી પાડી. આ મુલાકાત વિદ્યાર્થીઓના ભવિષ્યના પ્રયાસો માટે શૈક્ષણિક અને પ્રેરણાદાયી બંને સાબિત થઈ હતી.

Read More »