Friday, February 27 2026 | 11:29:36 AM
Breaking News

Regional

તમિલનાડુના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિએ આજે ​​નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું: “તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.”     भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक …

Read More »

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 100 કિ.મી.ના વાયડક્ટ પર 200,000 ધ્વનિ નિયંત્રણ સ્થાપિત કરવામાં આવ્યા

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે 103 કિ.મી. ના વાયડક્ટની બંને બાજુએ 206,000 ધ્વનિ નિયંત્રકોની સ્થાપના સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. દર 1 કિ.મી.ના પટ્ટા માટે, વાયડક્ટની દરેક બાજુએ વ્યૂહાત્મક રીતે 2,000 ધ્વનિ નિયંત્રકો મૂકવામાં આવ્યા છે. કામગીરી દરમિયાન ટ્રેન અને સિવિલ માળખા દ્વારા ઉત્પન્ન થતા અવાજને ઘટાડવા માટે ધ્વનિ નિયંત્રકોની રચના કરવામાં આવી છે. આ નિયંત્રકો ટ્રેન દ્વારા ઉત્પાદિત એરોડાયનેમિક અવાજ તેમજ ટ્રેક પર દોડતા પૈડાઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજને પ્રતિબિંબિત કરે છે અને તેનું વિતરણ કરે છે. દરેક અવરોધની ઊંચાઈ 2 મીટર અને પહોળાઈ 1 મીટર હોય છે, જેનું વજન આશરે 830-840 કિગ્રા હોય છે. રહેણાંક અને શહેરી વિસ્તારોમાં 3 મીટર ઊંચા ધ્વનિ નિયંત્રકો લગાવવામાં આવ્યા છે. આમાં 2 મીટર કોંક્રિટ અવરોધની ઉપર 1-મીટરની વધારાની અર્ધપારદર્શક પોલિકાર્બોનેટ પેનલનો સમાવેશ થાય છે, જેથી મુસાફરો અવરોધ વિના દૃશ્યોનો આનંદ માણી શકે. આ અવરોધોના ઉત્પાદનને ટેકો આપવા માટે, છ સમર્પિત ફેક્ટરીઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં ત્રણ ફેક્ટરીઓ અને સુરત, વડોદરા અને આણંદમાં એક-એક ફેક્ટરી આવેલી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પણ મહત્ત્વના બાંધકામના કામોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. 243 કિલોમીટરથી વધુ વાયડક્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, જેમાં 352 કિલોમીટરનું થાંભલાઓનું કાર્ય અને 362 કિલોમીટરનું થાંભલાના ફાઉન્ડેશનનું કામ પણ સામેલ છે. 13 નદીઓ પર પુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને પાંચ સ્ટીલ પુલો અને બે પીએસસી પુલો દ્વારા અનેક રેલ્વે લાઇનો અને રાજમાર્ગોને પાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ટ્રેકનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં આણંદ, વડોદરા, સુરત અને નવસારી જિલ્લામાં આરસી (રિઇન્ફોર્સ્ડ કોંક્રિટ) ટ્રેક બેડનું નિર્માણ ચાલી રહ્યું છે. આરસી ટ્રેક બેડનું 71 ટ્રેક કિ.મી.નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને વાયડક્ટ પર રેલનું વેલ્ડિંગ શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં, મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન માટે પ્રથમ કોંક્રિટ બેઝ-સ્લેબ સફળતાપૂર્વક 32 મીટરની ઊંડાઈએ કાસ્ટ કરવામાં આવ્યો છે, જે 10 માળની ઇમારતની સમકક્ષ છે. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને શિલફાટા વચ્ચે 21 કિ.મી. ના બોગદાંનું કામ ચાલી રહ્યું છે, જેમાં મુખ્ય બોગદાંના નિર્માણને સરળ બનાવવા માટે 394 મીટરનું મધ્યમવર્તી બોગદાંનું (એડીઆઇટી) કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પાલઘર જિલ્લામાં ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (એનએટીએમ)નો ઉપયોગ કરીને સાત પર્વતીય બોગદાંનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાતમાં એકમાત્ર પર્વતીય બોગદાંનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. કોરિડોરની બાજુમાં આવેલા 12 સ્ટેશનો, થિમેટિક તત્વો અને ઊર્જા-કાર્યક્ષમ સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેનું ઝડપી નિર્માણ ચાલી રહ્યું છે. આ વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ અને ઊર્જા-હકારાત્મક સ્ટેશનો સ્થિરતાને પ્રાધાન્ય આપવાની સાથે મુસાફરોને વિશ્વ-કક્ષાનો અનુભવ પૂરો પાડવા માટે બનાવવામાં આવ્યા છે. “મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર્યાવરણને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક તકનિકને જોડીને હાઈ-સ્પીડ રેલ બાંધકામમાં નવા માપદંડો સ્થાપિત કરવાનું ચાલુ રાખે છે. આ પ્રોજેક્ટ માત્ર જોડાણમાં જ પરિવર્તન લાવી રહ્યો નથી, પરંતુ નોંધપાત્ર સામાજિક અને આર્થિક લાભોનું સર્જન પણ કરી રહ્યો છે, …

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગર ખાતેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું – ‘સ્વ અને સમાજ માટે યોગ’ થીમ સાથે નેતૃત્વ કર્યું હતું

પરંપરાગત દવાઓની વૈશ્વિક માન્યતા અને પ્રમોશન તરફ નોંધપાત્ર પગલાને ચિહ્નિત કરતા આયુષ માટે આ વર્ષ આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીને સંકલિત કરવાથી માંડીને દુનિયાભરના મુખ્ય પ્રવાહની આરોગ્ય વ્યવસ્થામાં સામેલ થવાથી માંડીને વિવિધ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ કરવા સુધીનો સીમાચિહ્નરૂપ સમયગાળો રહ્યો છે. ડબ્લ્યુએચઓ દ્વારા આઇસીડી-11માં પરંપરાગત ચિકિત્સા માટે રોગોના આંતરરાષ્ટ્રીય …

Read More »

વડનગર ખાતે તા. 24 ડિસેમ્બરના રોજ ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારીરી ગ્રાઉન્ડ ખાતે તા. 24/12/2024ના રોજ સવારે 10.00 કલાકે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે. આ કાર્યક્રમ શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના …

Read More »

HMoJ શ્રી સી. આર. પાટીલે ગુજરાતનાં નવસારીમાં ક્લાઇમેટ સ્માર્ટ એગ્રો-ટેક્સટાઇલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનું ઉદઘાટન કર્યું

ટેક્સટાઇલ મંત્રાલયે સિન્થેટિક એન્ડ આર્ટ સિલ્ક મિલ્સ રિસર્ચ એસોસિએશન (એસએસએમઆઇઆરએ)ના સહયોગથી ગુજરાતનાં નવસારીમાં ભારત સરકારનાં જલ શક્તિનાં માનનીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ક્લાઇમેટ સ્માર્ટ એગ્રો-ટેક્સટાઇલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. આ નિદર્શન કેન્દ્ર ભારતના કૃષિ ક્ષેત્ર માટે પરિવર્તનકારી ઉકેલો તરીકે એગ્રો-ટેક્સટાઇલ્સના સ્વીકારને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. તે …

Read More »

ખાણ મંત્રાલયે ગુજરાતના પોરબંદરમાં ઓફશોર એરિયા મિનરલ બ્લોક્સની હરાજી પર ઐતિહાસિક રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું

ખાણ મંત્રાલયે આજે ગુજરાતના પોરબંદર ખાતે ભારતના સૌપ્રથમ ઓફશોર એરિયાઝ મિનરલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયાનું અનાવરણ કરવા માટે એક વિશિષ્ટ રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ આયોજન ભારતના અપતટીય પ્રદેશોની ખનિજ ક્ષમતાને અનલોક કરવા, ઉદ્યોગના અગ્રણીઓ, મુખ્ય હિસ્સેદારો અને સરકારના પ્રતિનિધિઓને એકસાથે લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. આ …

Read More »

ધોરડો સફેદ રણનો નજારો જોઈ અચંબિત થયું મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળ

કેરળથી એક સપ્તાહ માટે ગુજરાતના પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ધોરડોના સફેદ રણનો નજારો માણ્યો હતો. ધોરડો ગામનાં સરપંચ મિયાં હુસેન બેગ સાથે રૂબરૂ મુલાકાત લઈ તેમણે ધોરડોના પ્રવાસન ક્ષેત્રને થયેલા વિકાસની વાતો જાણી હતી. સરપંચ મિયાહુસેનજીએ મંડળને જૂના વીડિયો બતાવી ધોરડોનાં કાયાપલટની વિસ્તૃત જાણકારી આપી હતી. રણનો …

Read More »

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોત્તર પરિષદ (એનઈસી)ની 72મી પૂર્ણ બેઠકને સંબોધન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ત્રિપુરાનાં અગરતલામાં પૂર્વોત્તર પરિષદ (એનઈસી)નાં 72મા પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ત્રિપુરાનાં રાજ્યપાલ શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા, ત્રિપુરાનાં મુખ્યમંત્રી શ્રી ઇન્દ્રસેન રેડ્ડી નલ્લુ, પ્રોફેસર (ડૉ.) માણિક સાહા અને કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમના રાજ્યપાલો તેમજ અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ …

Read More »

પ્રધાનમંત્રીએ દરેકને અદભૂત સફેદ રણમાં ફરવા, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને હાલના રણ ઉત્સવ દરમિયાન ઉષ્માભર્યું આતિથ્ય જોવા માટે વિનંતી કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને રણ ઉત્સવ માટે આમંત્રિત કર્યા છે, જે માર્ચ 2025 સુધી ચાલશે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઉત્સવ એક અવિસ્મરણીય અનુભવ બનવાનું વચન આપે છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું: “કચ્છ તમારા બધાની રાહ જુએ છે! આવો, ચાલી રહેલા રણ ઉત્સવ દરમિયાન પ્રાચીન સફેદ રણ, કચ્છની અદભૂત સંસ્કૃતિ અને …

Read More »

ખાણ મંત્રાલય ગુજરાતમાં ભારતના પ્રથમ ઓફશોર મિનરલ બ્લોક્સની હરાજી પર રોડ શોનું આયોજન કરશે

ખાણ મંત્રાલય 21મી ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના પોરબંદરમાં ભારતના ઓફશોર વિસ્તારોમાંથી ખનિજ બ્લોક્સની પ્રથમ ઈ-ઓક્શનને પ્રકાશિત કરવા માટે ઐતિહાસિક રોડ શોનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પહેલ દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ)ની અંદર વિશાળ દરિયાઈ ખનિજ સંપત્તિને બહાર લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ખાણ મંત્રાલયના …

Read More »