Tuesday, July 21 2026 | 10:32:48 PM
Breaking News

વર્ષના અંતની સમીક્ષા: ટપાલ વિભાગ

વિદેશ મંત્રાલયે પોસ્ટ ઓફિસ નેટવર્કનો લાભ લેવા અને લોકોના નજીકના વિસ્તારમાં પાસપોર્ટ સેવાઓ પૂરી પાડવા માટે ટપાલ વિભાગ સાથે જોડાણ કર્યું છે; 30 નવેમ્બર 2025 સુધીમાં, 452 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (POPSKs) કાર્યરત છે. ઑક્ટોબરમાં રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ દરમિયાન 5 અને 15 વર્ષના થતા બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે શાળાઓમાં 1,552 આધાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું; 4,335 આધાર નોંધણી અને 35,606 આધાર અપડેટ …

Read More »

કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ દિલ્હી-NCR વાયુ પ્રદૂષણ પર ચોથી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી; જાન્યુઆરી 2026 થી અંતિમ રાજ્ય કાર્ય યોજનાઓની સતત માસિક મંત્રી સ્તરીય સમીક્ષા

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે દિલ્હી-NCRમાં પ્રવર્તતી પ્રતિકૂળ વાયુ પ્રદૂષણની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંબંધિત મ્યુનિસિપલ સંસ્થાઓ સાથે NCT દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારોની કાર્ય યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. 03.12.2025 ના રોજ યોજાયેલી અગાઉની બેઠકમાં મંત્રી દ્વારા નિર્દેશિત કર્યા મુજબ, નિર્ધારિત …

Read More »

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઓમાન મુલાકાત દરમિયાન ભારત – ઓમાન સંયુક્ત નિવેદન

ઓમાનના સુલતાન મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકના નિમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17-18 ડિસેમ્બર 2025 દરમિયાન ઓમાનની સત્તાવાર મુલાકાત લીધી હતી. એરપોર્ટ પર સંરક્ષણ બાબતોના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ સૈયદ શિહાબ બિન તારિક દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. 18 ડિસેમ્બર 2025 ના રોજ અલ બરકા પેલેસ ખાતે મહામહિમ સુલતાન હૈથમ બિન …

Read More »

સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારો) ખરડો, 2025 સંસદ દ્વારા પસાર; વીમા કંપનીઓમાં 100% સુધી FDIની છૂટ આપવામાં આવી

સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારો) ખરડો, 2025 સંસદ દ્વારા 17.12.2025 ના રોજ પસાર કરવામાં આવ્યો છે. આ ખરડો વીમા ક્ષેત્રને લગતા ત્રણ કાયદાઓમાં સુધારો કરે છે, જેમાં વીમા અધિનિયમ, 1938, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) અધિનિયમ, 1956 અને વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) અધિનિયમ, 1999 નો સમાવેશ થાય …

Read More »

પ્રધાનમંત્રીએ મહામહિમ ઓમાનના સુલતાન સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મસ્કતમાં મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રોયલ પેલેસમાં આગમન પર, મહામહિમ દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. બંને નેતાઓ વન-ઓન-વન અને પ્રતિનિધિમંડળ-સ્તરના ફોર્મેટમાં મળ્યા હતા. તેઓએ બહુપક્ષીય ભારત-ઓમાન વ્યૂહાત્મક ભાગીદારીની વ્યાપક સમીક્ષા કરી અને દ્વિપક્ષીય …

Read More »

ભારત અને ઓમાન વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

ભારત અને ઓમાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આજે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કરીને મજબૂત આર્થિક ભાગીદારી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ અને ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રોત્સાહન મંત્રી મહામહિમ કૈસ બિન મોહમ્મદ અલ યુસેફ દ્વારા સમજૂતી …

Read More »

TRAIએ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં મોબાઇલ સેવા ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ નવેમ્બર 2025 દરમિયાન સુરત શહેરમાં (ગુજરાતમાં) આયોજિત સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDT)ના પરિણામો સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે જાહેર કર્યા છે. આ ડ્રાઇવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs) દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓ (વોઇસ અને ડેટા બંને) ની વાસ્તવિક-વિશ્વ ગુણવત્તાનું મૂલ્યાંકન અને ચકાસણી કરવાનો છે. IDT દરમિયાન, TRAI કોલ સેટઅપ સક્સેસ રેટ, ડેટા ડાઉનલોડ …

Read More »

ઉપરાષ્ટ્રપતિએ શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી પર્વ નિમિત્તે આયોજિત આંતરધર્મ સંમેલનમાં વૈશ્વિક શાંતિ અને ધાર્મિક સદભાવના માટે આહવાન કર્યું

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી પર્વ નિમિત્તે આયોજિત એક આંતરધર્મ સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે આ સંમેલનમાં સહભાગી થવાને એક ગૌરવપૂર્ણ સન્માન ગણાવ્યું હતું અને તેને શાંતિ, માનવ અધિકારો અને ધાર્મિક સદભાવના માટેનું વૈશ્વિક આહવાન ગણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી પર્વ પર ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબની તેમની મુલાકાતને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે શ્રી ગુરુ તેગ બહાદુરજીને નૈતિક હિંમતના દીવાદાંડી તરીકે વર્ણવ્યા હતા, જેમનું જીવન અને બલિદાન સમગ્ર માનવજાત માટે છે. ગુરુ તેગ બહાદુરજીની શહીદીનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તે ધાર્મિક સ્વતંત્રતાના ઇતિહાસના સૌથી અસાધારણ સમર્થન તરીકે ઊભું છે. તેમણે નોંધ્યું કે ગુરુ તેગ બહાદુરજીએ રાજકીય સત્તા અથવા કોઈ એક માન્યતાના વર્ચસ્વ માટે નહીં, પરંતુ વ્યક્તિના પોતાના અંતરાત્મા મુજબ જીવવા અને પૂજા કરવાના અધિકારના રક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે ભારે અસહિષ્ણુતાના સમયમાં તેઓ પીડિતો માટે રક્ષક (shield) તરીકે ઊભા રહ્યા હતા. ગુરુ તેગ બહાદુરજીના સંદેશની કાલાતીત સુસંગતતા પર ભાર મૂકતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને કહ્યું કે ગુરુ તેગ બહાદુરજીએ વિશ્વને શીખવ્યું કે કરુણા દ્વારા માર્ગદર્શિત હિંમત સમાજને બદલી શકે છે, અને અન્યાય સામે મૌન રહેવું એ સાચી શ્રદ્ધા સાથે અસંગત છે. આ શાશ્વત મૂલ્યોને કારણે જ ગુરુ તેગ બહાદુરજી માત્ર શીખ ગુરુ તરીકે જ નહીં, પરંતુ સર્વોચ્ચ બલિદાન અને નૈતિક હિંમતના વૈશ્વિક પ્રતીક તરીકે પૂજાય છે અને તેમને ‘હિંદ દી ચાદર’ ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે. …

Read More »

ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

તમારા મહામહિમ, ઇથોપિયાના પ્રધાનમંત્રી, સંસદના બંને ગૃહોના માનનીય અધ્યક્ષો, માનનીય સભ્યો, મહામહિમશ્રીઓ, અને મારા પ્રિય ઇથોપિયાના ભાઈઓ અને બહેનો, આજે તમારી સમક્ષ ઉભા રહેવું એ મારા માટે ભારે સૌભાગ્યની ક્ષણ છે. સિંહોની ભૂમિ, ઇથોપિયામાં આવીને ઘણું અદભૂત લાગે છે. હું અહીં ઘણું ઘર જેવું અનુભવું છું. કારણ કે મારું ગૃહ રાજ્ય ગુજરાત, જે ભારતમાં છે, તે પણ સિંહોનું ઘર છે. પ્રાચીન …

Read More »

નવી દિલ્હીમાં આજે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટનો પ્રારંભ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે.પી. નડ્ડાએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવની ઉપસ્થિતિમાં પરંપરાગત ચિકિત્સા પરની બીજી WHO ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કર્યું. WHO ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે પણ એક વિશેષ વીડિયો સંદેશ શેર કર્યો હતો. આ ત્રણ દિવસીય (17 થી 19 ડિસેમ્બર 2025) વૈજ્ઞાનિક સંમેલનના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હાજર રહે તેવી શક્યતા છે. “સંતુલન પુનઃસ્થાપિત કરવું: આરોગ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને પ્રેક્ટિસ” થીમ પર આધારિત આ સમિટનું આયોજન વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને આયુષ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે વીડિયો સંદેશમાં ભારતના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, સ્વાસ્થ્ય માત્ર ટેકનોલોજી અને સારવાર વિશે નથી, પરંતુ સંતુલન અને માનવતાના સહિયારા જ્ઞાન વિશે પણ છે. તેમણે નોંધ્યું કે WHO એ ‘ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સ્ટ્રેટેજી 2025-2034’ અપનાવી છે, જે પુરાવા આધારિત નિર્ણયો અને રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલીમાં પરંપરાગત …

Read More »