Monday, April 06 2026 | 05:44:11 AM
Breaking News

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બપોરે લગભગ 12 વાગ્યે ભારતના ભવિષ્યના પાયા તરીકે બાળકોને સન્માનિત કરતી રાષ્ટ્રવ્યાપી ઉજવણી વીર બાલ દિવસમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી ‘સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન’ શરૂ કરશે. તેનો હેતુ પોષણ સંબંધિત સેવાઓના અમલીકરણને મજબૂત કરીને અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને પોષક પરિણામો અને સુખાકારીમાં સુધારો કરવાનો છે.

યુવા દિમાગને જોડવા, દિવસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને રાષ્ટ્ર પ્રત્યે હિંમત અને સમર્પણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં વિવિધ પહેલો પણ ચલાવવામાં આવશે. MyGov અને MyBharat પોર્ટલ દ્વારા ઇન્ટરેક્ટિવ ક્વિઝ સહિતની શ્રેણીબદ્ધ ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. શાળાઓ, બાળ સંભાળ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં વાર્તા કહેવા, રચનાત્મક લેખન, પોસ્ટર બનાવવા જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP)ના વિજેતાઓ પણ હાજર રહેશે.

About Matribhumi Samachar

Check Also

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનનું પુણે પ્રવચન: “પ્રકૃતિ જ સર્વોત્તમ ઉપચારક”, નિસર્ગોપચાર આશ્રમના 81મા સ્થાપના દિવસની ઉજવણી

પુણે: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે પુણેના ઉરુલી કાંચન ખાતે સ્થિત ઐતિહાસિક નિસર્ગોપચાર …