Monday, June 15 2026 | 08:07:58 AM
Breaking News

ભારતીય ડાક વિભાગે ‘પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ’ની 141મી વર્ષગાંઠની ઉજવણી કરી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોલિસી બોન્ડનું વિતરણ કર્યું

Connect us on:

ભારતીય ડાક વિભાગ લાંબા સમયથી પત્રો અને પાર્સલ તેમજ જીવન વીમા ક્ષેત્રે કામ કરી રહ્યું છે. ૧ ફેબ્રુઆરી, 1884ના રોજ શરૂ થયેલી, ‘પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ’ એ ભારતમાં સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ માટે સૌથી જૂની વીમા યોજના છે, જેનો લાભ હવે ખાનગી ક્ષેત્રના વ્યાવસાયિકો અને માન્ય યુનિવર્સિટી/સંસ્થાના તમામ સ્નાતકો/ડિપ્લોમા ધારકો પણ લઈ શકે છે. ઉપરોક્ત ઉદગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક જીવન વીમાના ગૌરવશાળી 141માં વર્ષમાં પ્રવેશ કરતી વખતે, 1 ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદના હાથીજણ સ્થિત સ્વામી નારાયણ મંદિરના પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં વ્યક્ત કર્યા. આ પ્રસંગે, તેમણે વીમાધારકોને પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી બોન્ડ્સ આપ્યા અને તેમના સુખી ભવિષ્યની શુભેચ્છા પાઠવી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે આજના સમયમાં જીવન વીમો એ એક અનિવાર્ય જરૂરિયાત છે, સાથે જ તે બચત અને રોકાણ માટેનું એક સુરક્ષિત માધ્યમ છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં હાલ ડાક જીવન વીમા અને ગ્રામ્ય ડાક જીવન વીમાની કુલ 3.25 લાખથી વધુ પૉલિસીઓ છે. ભારતીય ડાક વિભાગ, વીમા ક્ષેત્રે પણ નવા પરિમાણો સ્થાપિત કરી રહ્યું છે. એક નવીન પહેલમાં, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના 637 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ બનાવવામાં આવ્યા છે, જેમાં તમામ પાત્ર વ્યક્તિઓનો વીમો લેવામાં આવ્યો છે. ડાકઘરોમાં લોકોની વય અને જરૂરિયાત અનુસાર જીવન વીમાની વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે, જેમાં સુરક્ષા (સંપૂર્ણ જીવન વીમો), સંતોષ (હયાતીનો વીમો), સુવિધા, સુમંગલ, યુગલ સુરક્ષા અને ચિલ્ડ્રન પોલિસીનો સમાવેશ થાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે નવીનતમ ટેકનોલોજી અપનાવીને પોસ્ટલ જી

About Matribhumi Samachar

Check Also

ધરતીના ફેફસા’ છે વૃક્ષો, પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અત્યંત જરૂરી : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પર્યાવરણ સંરક્ષણ આજની સૌથી મોટી જરૂરિયાત છે. આવનારી પેઢીને જીવવા માટે શુદ્ધ ઓક્સિજન મળી રહે …