Thursday, April 16 2026 | 10:35:33 PM
Breaking News

પ્રધાનમંત્રીએ સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

Connect us on:

‘તમામ માટે મકાન’ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં અશોક વિહારમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સ ખાતે ઇન-સિટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટરમાં રહેતાં લોકો માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં પ્રવેશ મેળવતા લાભાર્થીઓ સાથેની હૃદયસ્પર્શી વાતચીતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારની આવાસ પહેલથી થયેલા પરિવર્તન પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ વાતચીતમાં એવા પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તનને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે જેઓ અગાઉ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા અને હવે કાયમી ઘરોની પહોંચ ધરાવે છે.

વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને પૂછ્યું હતું કે, “તો શું તમને આ ઘર મળ્યું છે?, જેના જવાબમાં એક લાભાર્થીએ જવાબ આપ્યો હતો, “હા, સર, અમને તે મળી ગયું છે. અમે તમારા ખૂબ આભારી છીએ, તમે અમને ઝૂંપડીમાંથી મહેલમાં ખસેડ્યા છે”. પ્રધાનમંત્રીએ વિનમ્રતા સાથે કહ્યું કે, તેમની પાસે ઘર નથી, પરંતુ તમને બધાને એક ઘર મળ્યું છે.

વાતચીત દરમિયાન, એક લાભાર્થીએ આભાર વ્યક્ત કરતા કહ્યું, “હા, સાહેબ, તમારો ધ્વજ હંમેશા ઉંચો ફરકે, અને તમે જીતતા રહો.” તેના જવાબમાં પ્રધાનમંત્રીએ લોકોની જવાબદારી પર ભાર મૂકતાં કહ્યું હતું કે, “આપણો ઝંડો ઊંચો જ રહેવો જોઈએ અને તેને ત્યાં જ રાખવાનું કામ તમારા બધાનું છે.” લાભાર્થીએ મુશ્કેલીભર્યા જીવનમાંથી ઘર મેળવવા સુધીના આનંદને વહેંચતા આગળ કહ્યું, “આટલા વર્ષોથી, આપણે ભગવાન રામની રાહ જોઈ રહ્યા હતા. એ જ રીતે, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ, અને તમારા પ્રયત્નો દ્વારા, અમે ઝૂંપડપટ્ટીઓમાંથી આ ઇમારતમાં આવ્યા. આથી વધારે સુખ અમે શું માગી શકીએ? એ અમારું સદ્ભાગ્ય છે કે તમે આટલા અમારી નજીક છો.”

પ્રધાનમંત્રી શ્રી મોદીએ એકતા અને પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને કહ્યું હતું કે, “અન્ય લોકોને એ માનવા માટે પ્રેરિત કરવા જોઈએ કે સંયુક્તપણે આપણે આ દેશમાં ઘણું બધું હાંસલ કરી શકીએ તેમ છીએ.”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, આ પ્રકારનાં ગરીબ પરિવારોનાં બાળકો સામાન્ય શરૂઆતથી જ શરૂઆત કરવા છતાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યાં છે, ખાસ કરીને રમતગમતમાં અને દેશને ગર્વ થાય છે. પ્રધાનમંત્રીએ તેમને તેમનાં સ્વપ્નોને સાકાર કરવાનું ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું. એક લાભાર્થીએ જણાવ્યું હતું કે, તેઓ સૈનિક બનવાની આકાંક્ષા ધરાવે છે, જેનો પ્રધાનમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

વધુમાં, પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને તેમના નવા ઘરોમાં તેમની આકાંક્ષાઓ વિશે પૂછ્યું હતું. એક યુવતીએ ઉલ્લેખ કર્યો કે તેણે તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે શું બનવા માંગે છે, ત્યારે તેણે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, “એક શિક્ષક”.

આ વાતચીતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, જે પરિવારો મજૂરી કામ કરે છે અથવા ઓટો-રિક્શા ડ્રાઇવર તરીકે કામ કરે છે, તેમને હવે પોતાને માટે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવાની તક મળી છે. પ્રધાનમંત્રીએ એ પણ પૂછ્યું હતું કે, તેઓ આગામી તહેવારોને તેમના નવા ઘરોમાં કેવી રીતે ઉજવવાનું આયોજન કરે છે. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓ સમુદાયમાં એકતા અને આનંદની ભાવના સુનિશ્ચિત કરીને સામૂહિક રીતે ઉજવણી કરશે.

આ વાતચીતનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ અને દેશને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે, આ તેમની ખાતરી છે કે, જેમને હજુ સુધી કાયમી મકાનો મળવાનાં બાકી છે, તેમને પણ મકાન મળશે. અને સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે આ દેશના દરેક ગરીબના માથા પર એક કાયમી છત હોય.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ભારતના વારસાની ઉજવણી કરતા ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

ટપાલ વિભાગ, પ્રધાનમંત્રી સંગ્રહાલયના સહયોગથી, 14 થી 17 એપ્રિલ 2026 દરમિયાન “એક ભારત, શ્રેષ્ઠ ભારત: ટપાલ ટિકિટો દ્વારા ભારતની એકતા અને લોકશાહીની ઉજવણી” શીર્ષક હેઠળ એક ફિલાટેલિક (ટપાલ ટિકિટ સંગ્રહ) પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ખૂબ જ રસપૂર્વક પ્રદર્શિત વસ્તુઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન, તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલાટેલિસ્ટ્સ (ટિકિટ સંગ્રહકો), સ્ટેમ્પ કલેક્ટર્સ અને ડિઝાઇનર્સ સાથે વાતચીત કરી હતી અને ભારતના સમૃદ્ધ ટપાલ વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રદર્શન ભારતની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક વારસો અને ટપાલ પરંપરાઓને પ્રતિબિંબિત કરતી ટપાલ ટિકિટોનો સંગ્રહ રજૂ કરે છે, જેમાં રાષ્ટ્રના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પરના વિષયો આધારિત હાઇલાઇટ્સ છે, જે મુલાકાતીઓને આકર્ષક અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે. શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરે છે અને નિહાળે છે. આ પ્રસંગે બોલતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે આ દિવસ ટપાલ વિભાગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેમણે પ્રધાનમંત્રી સંગ્રહાલયની ટીમના સમર્થન અને સહયોગ માટે તેમનો નિષ્ઠાવાન આભાર વ્યક્ત કર્યો હતો. આઝાદીના યુગથી અમૃત કાળ અને તેનાથી આગળ શતાબ્દી કાળ સુધીની ભારતની સફર પર પ્રતિબિંબ પાડતા, તેમણે પુનરોચ્ચાર કર્યો કે ટપાલ વિભાગ રાષ્ટ્ર નિર્માણમાં તેની મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જે તેણે સમગ્ર ઇતિહાસમાં કર્યું છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે ટપાલ વિભાગ અને પ્રધાનમંત્રી સંગ્રહાલય દેશભરમાં ફિલાટેલિક પ્રદર્શનોનું આયોજન કરવા માટે તેમની ભાગીદારીને મજબૂત બનાવશે, જે ભારતનો સમૃદ્ધ વારસો અને વિરાસત પ્રદર્શિત કરશે.    આ પ્રસંગે પિક્ચર પોસ્ટકાર્ડ્સનું વિમોચન આ પ્રસંગે, પ્રધાનમંત્રી સંગ્રહાલયના 4થા સ્થાપના દિવસ, 14 એપ્રિલ, 2026 ના રોજ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ અને ભારતના બંધારણની યાદમાં પિક્ચર પોસ્ટકાર્ડના ત્રણ અલગ-અલગ સેટ બહાર પાડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને ટપાલ વિભાગ વચ્ચે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર પ્રદર્શનો, આઉટરીચ કાર્યક્રમો અને સહ-બ્રાન્ડેડ ફિલાટેલિક ઉત્પાદનો દ્વારા ભારતની સાંસ્કૃતિક અને ટપાલ વિરાસતને પ્રોત્સાહન આપવા માટે સહયોગ મજબૂત કરવા માટે ટપાલ વિભાગ અને સંગ્રહાલય વચ્ચે એક સમજૂતી પત્ર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી મ્યુઝિયમમાં સમર્પિત ઈન્ડિયા પોસ્ટ કાઉન્ટર સ્થાપવાની શક્યતા પણ તપાસશે. આ કાર્યક્રમ સાંસ્કૃતિક સંસ્થાઓ અને ટપાલ વારસા વચ્ચેના સંકલનને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના સમર્પિત પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પ્રધાનમંત્રીના જીવન, નેતૃત્વ અને મુખ્ય પહેલોને પ્રદર્શિત કરતા પ્રદર્શનો નિહાળ્યા હતા.