Saturday, February 14 2026 | 05:48:38 PM
Breaking News

પરીક્ષા પે ચર્ચાના 8માં સંસ્કરણમાં રેકોર્ડબ્રેક ભાગીદારી

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC) પરીક્ષા સંબંધિત તણાવમાં શીખવા અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન તરીકે વિકસી રહી છે. PPC 2025ની 8માં સંસ્કરણે ભારત અને વિદેશોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી 2.79 કરોડથી વધુ નોંધણીઓ સાથે એક અભૂતપૂર્વ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. આ ઉલ્લેખનીય પ્રતિક્રિયા એક સાચા જન આંદોલન તરીકે કાર્યક્રમની વધતી લોકપ્રિયતાને રજૂ કરે છે.

MyGov.in પોર્ટલ પર આયોજિત PPC 2025 માટે ઓનલાઈન નોંધણી તારીખ 14 ડિસેમ્બર 2024ના રોજ શરૂ થઈ હતી જે તારીખ 14 જાન્યુઆરી 2025 સુધી ખુલ્લી રહેશે. આ કાર્યક્રમની અપાર લોકપ્રિયતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સંબોધવામાં અને પરીક્ષાઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં તેની સફળતાને દર્શાવે છે.

શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે આયોજિત આ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ શિક્ષણની એક અપેક્ષિત ઉજવણી બની ગઈ છે. 2024માં PPCની 7મી આવૃત્તિ નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં યોજાઈ હતી અને તેને વ્યાપક પ્રશંસા મળી હતી.

PPCની ભાવનાને અનુરૂપ તારીખ 12 જાન્યુઆરી 2025 (રાષ્ટ્રીય યુવા દિવસ) થી 23 જાન્યુઆરી 2025 (નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ) સુધી શાળા-સ્તરની આકર્ષક પ્રવૃત્તિઓની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવા માટે પ્રેરણા આપવાનો છે. આ પ્રવૃત્તિઓમાં સામેલ છે:

• સ્વદેશી રમત સત્ર

• મેરેથોન દોડ

• મીમ સ્પર્ધાઓ

• નુક્કડ નાટક

• યોગ-સહ-ધ્યાન સત્ર

• પોસ્ટર-નિર્માણ સ્પર્ધાઓ

• પ્રેરણાત્મક ફિલ્મ સ્ક્રીનીંગ

• માનસિક સ્વાસ્થ્ય કાર્યશાળાઓ અને કાઉન્સેલિંગ સત્ર

• કવિતા / ગીત / પ્રદર્શન

આ પ્રવૃત્તિઓ દ્વારા PPC 2025 તેના સ્થિતિસ્થાપકતા, સકારાત્મકતા અને શીખવામાં આનંદના સંદેશને મજબૂત બનાવે છે અને તે ખાતરી કરે છે કે શિક્ષણને એક પ્રેશર યુક્ત કાર્યના બદલે એક યાત્રા તરીકે ઉજવવામાં આવે.

વધુ વિગતો અને ભાગીદારી માટે, MyGov.in ની મુલાકાત લો અને આ પરિવર્તનશીલ પહેલનો ભાગ બનો.

About Matribhumi Samachar

Check Also

ઉપરાષ્ટ્રપતિએ ચેન્નાઈમાં ડૉ. એમ.જી.આર. એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 34મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન આજે ચેન્નાઈમાં ડૉ. M.G.R. એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 34મા દીક્ષાંત સમારોહને મુખ્ય અતિથિ …