Tuesday, December 16 2025 | 05:59:28 PM
Breaking News

OTP સુવિધા અંગે ચિંતાઓ વચ્ચે DoPT કહે છે કે RTI પોર્ટલ સરળતાથી કાર્યરત છે

Connect us on:

કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT)એ માહિતી અધિકાર (RTI) પોર્ટલની કામગીરી અંગે ઉઠાવવામાં આવેલી ચિંતાઓની તપાસ કરી છે અને સ્પષ્ટતા કરી છે કે નવી વન-ટાઇમ પાસવર્ડ (OTP) સુવિધા રજૂ થયા પછી સિસ્ટમ સરળતાથી કાર્યરત અને અસરકારક છે. કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વ્યાપક સમીક્ષામાં ખાતરી મળી છે કે પોર્ટલની નવી અમલમાં મુકાયેલી સુવિધાઓ, જેમાં ઉન્નત સુરક્ષા પ્રોટોકોલનો સમાવેશ થાય છે, તે કાર્યરત અને વપરાશકર્તા માટે અનુકૂળ છે.

કેટલાક વપરાશકર્તાઓ દ્વારા નોંધાયેલી સમસ્યાઓના જવાબમાં, DoPTએ સ્પષ્ટતા કરી કે 2 જાન્યુઆરી, 2025ના રોજ રજૂ કરાયેલ OTP સુવિધા, વપરાશકર્તાઓને પ્રમાણિત કરવા અને RTI અરજીઓમાં સમાવિષ્ટ સંવેદનશીલ વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે લાગુ કરવામાં આવી હતી. ફક્ત અધિકૃત ઍક્સેસ સુનિશ્ચિત કરીને, આ પગલું સાયબર સુરક્ષાને મજબૂત બનાવે છે અને શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે.

DoPTએ OTP પ્રાપ્ત કરવામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી એ અંગે સ્પષ્ટતા કરી છે કે NIC ઇમેઇલ ડોમેનથી OTP તાત્કાલિક મોકલવામાં આવે છે. પરંતુ NIC સર્વર્સ અથવા Gmail અથવા Yahoo જેવી બાહ્ય ઇમેઇલ સેવાઓ પર વધુ ટ્રાફિકને કારણે ક્યારેક વિલંબ થઈ શકે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, OTPનો ઉપયોગ ન થાય ત્યાં સુધી તે સમાપ્ત થતો નથી, એટલે કે વપરાશકર્તાઓ OTP મળતાની સાથે જ તેમની અરજીની સ્થિતિ ચકાસી શકે છે. 9 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 10:55 વાગ્યા સુધીમાં 9,782 વપરાશકર્તાઓએ નવી સિસ્ટમનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક RTI સ્ટેટસ મેળવ્યું છે, જે તેની વિશ્વસનીયતા પર ભાર મૂકે છે.

કેટલાક વપરાશકર્તાઓએ આ વધારાના પગલાની ટીકા પણ કરી હતી અને કહ્યું કે તે પ્રક્રિયાને જટિલ બનાવે છે. DoPTએ દોહરાવ્યું કે આ પગલું વપરાશકર્તાની ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ છે અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સિસ્ટમનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

હેલ્પલાઇન સેવાઓની અપ્રાપ્યતાની ફરિયાદો અંગે, વિભાગે પુષ્ટિ આપી છે કે વપરાશકર્તાઓ ઝડપી સહાય માટે નિયમિત કાર્યાલય સમય (સોમવારથી શુક્રવાર, સવારે 9:00થી સાંજે 5:30 વાગ્યા સુધી, જાહેર રજાઓ સિવાય) દરમિયાન હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે. આ સમયગાળા દરમિયાન  011-24622461 પર RTI હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકાય છે.

કર્મચારી અને તાલીમ વિભાગે નાગરિકોને ખાતરી આપી હતી કે તે પારદર્શિતા, સુલભતા અને વપરાશકર્તા સંતોષ માટે પ્રતિબદ્ધ છે અને RTI પોર્ટલની કાર્યક્ષમતા જાળવવા માટે તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરના અપડેટ્સ RTI કાયદા હેઠળ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરતી વખતે ડિજિટલ સેવાઓને વધારવાની સરકારની વ્યાપક પહેલનો એક ભાગ છે.

About Matribhumi Samachar

Check Also

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ પર ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો પ્રદાન કર્યા

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (14 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસના અવસર પર …