Friday, April 17 2026 | 02:13:23 PM
Breaking News

ભારતીય ડાક વિભાગની સેવાઓ વધુ હાઈટેક બનશે, પોસ્ટ ઓફિસોમાં IT આધુનિકીકરણ – 2.0 શરૂ કરવામાં આવ્યું – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

Connect us on:

ડાક વિભાગ તેની સેવાઓને વધુ અદ્યતન બનાવવા માટે હાઈટેક બનાવી રહ્યું છે. આ ક્રમમાં, ડાક વિભાગે IT આધુનિકીકરણ-2.0 અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ, શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘કેશલેસ ઇન્ડિયા’ તરફ ડાક વિભાગનું આ ‘ગ્રાહકલક્ષી’ પગલું છે, જેના દ્વારા શહેરો તેમજ દૂરના ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત શાખા પોસ્ટ ઓફિસોને હાઇટેક બનાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, ડાક વિભાગની તમામ વહીવટી કચેરીઓ, પોસ્ટ ઓફિસો, રેલ્વે પોસ્ટલ સર્વિસીસ APT 2.0 પોર્ટલ પર કામ કરશે. ગુજરાત પોસ્ટલ સર્કલમાં પ્રથમ તબક્કામાં, મહેસાણા, રાજકોટ અને નવસારી પોસ્ટલ ડિવિઝન અને તમામ રેલ્વે પોસ્ટલ સર્વિસીસ ડિવિઝનની પોસ્ટલ સેવાઓને 8 જુલાઈ 2025 ના રોજ APT 2.0 પોર્ટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. 22.07.2025 થી બાકીના 23 પોસ્ટલ ડિવિઝનમાં પણ APT 2.0 પોર્ટલ પર કામ શરૂ થશે. IT 2.0 લાગુ કરતા પહેલા, ગુજરાત પોસ્ટલ સર્કલના 26,000 થી વધુ કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી હતી. ઓગસ્ટ 2025 સુધીમાં, દેશની તમામ પોસ્ટ ઓફિસો IT આધુનિકીકરણ -2.0 હેઠળ કામ કરવાનું શરૂ કરશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ફોરેન પોસ્ટ ઓફિસ, અમદાવાદ અને રેલ્વે મેઇલ સર્વિસ ઓફિસમાં IT આધુનિકીકરણ 2.0 લોન્ચ કર્યું. તે જ સમયે, ગુજરાતના રાજકોટ અને મહેસાણા ડિવિઝનમાં તેના લોન્ચ પ્રસંગે, તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડાક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી. શ્રી યાદવે માહિતી આપી કે APT 2.0 પહેલા, ડાક વિભાગમાં તમામ પ્રકારની ડાક સેવાઓ SAP અને દર્પણ 2.0 સોફ્ટવેર દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. SAP એ એક ખાનગી કંપની દ્વારા વિકસાવવામાં આવેલ સોફ્ટવેર છે, જ્યારે દર્પણ 2.0 એ ડાક વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ એપ્લિકેશન છે. IT Modernization-2.0 હેઠળ, ટપાલ વિભાગના સેન્ટર ફોર એક્સેલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી (CEPT), મૈસુર દ્વારા તૈયાર કરાયેલ ઓનલાઈન પોર્ટલ APT 2.0 વિવિધ સોફ્ટવેરમાં થઈ રહેલા કાર્યને જોડીને સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેનાથી ડાક કર્મચારીઓ માટે કામ કરવાનું ખૂબ જ સરળ બનશે અને ગ્રાહકોને ઝડપી સેવા પણ મળશે. હવે ગ્રાહકો QR કોડ સ્કેન કરીને UPI આધારિત ડિજિટલ ચુકવણી કરી શકશે. APT 2.0 માં ઘણી નવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેમાં પોસ્ટલ ડિલિવરી સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે પોસ્ટમેનના ડાક ડિલિવરી કાર્યને GPS સાથે લિંક કરવું, OTP આધારિત ડિલિવરી સિસ્ટમ શરૂ કરવી, પોસ્ટના રિટેલ અને કોન્ટ્રાક્ટેડ ગ્રાહકો માટે ડાક સેવા એપ દ્વારા કોઈપણ સુવિધા માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પૂરું પાડવું, તેમના માટે ઓછા દરે પિકઅપ સેવા પૂરી પાડવી, સિંગલ વિન્ડો પ્લેટફોર્મ દ્વારા બધી શાખા પોસ્ટ ઓફિસોને વધુ આધુનિક અને સરળ એપ્લિકેશન પૂરી પાડવી વિગરે શામેલ છે. ભવિષ્યમાં, ડિજીપીન (નવી પિન કોડ સિસ્ટમ) પણ તેમાં સમાવવામાં આવશે.

આ પ્રસંગે સીનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ શ્રી ચિરાગ મહેતા, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી એસ કે વર્મા, આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી એમ એમ શેખ, શ્રી રિતુલ ગાંધી, શ્રી વારિસ વ્હોરા, મેનેજર શ્રી એન જી રાઠોડ, આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ પ્રેયલ શાહ, રિઝવાન શેખ, એસ એન ઘોરી, જિનેશ પટેલ, રમેશ પટેલ, રોનક શાહ, ભાવિન પ્રજાપતિ, પોસ્ટલ ઇન્સ્પેક્ટર સોનલ દેસાઇ, પાયલ પટેલ, વિજય રાઠોડ, યોગેન્દ્ર રાઠોડ, ફોરેન પોસ્ટ ઓફિસ ના પોસ્ટમાસ્ટર વિશાલ પુરોહિત, ચિરાયુ વ્યાસ, અવિનાશ અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ભારતના વારસાની ઉજવણી કરતા ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

ટપાલ વિભાગ, પ્રધાનમંત્રી સંગ્રહાલયના સહયોગથી, 14 થી 17 એપ્રિલ 2026 દરમિયાન “એક ભારત, શ્રેષ્ઠ ભારત: ટપાલ ટિકિટો દ્વારા ભારતની એકતા અને લોકશાહીની ઉજવણી” શીર્ષક હેઠળ એક ફિલાટેલિક (ટપાલ ટિકિટ સંગ્રહ) પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ખૂબ જ રસપૂર્વક પ્રદર્શિત વસ્તુઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન, તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલાટેલિસ્ટ્સ (ટિકિટ સંગ્રહકો), સ્ટેમ્પ કલેક્ટર્સ અને ડિઝાઇનર્સ સાથે વાતચીત કરી હતી અને ભારતના સમૃદ્ધ ટપાલ વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રદર્શન ભારતની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક વારસો અને ટપાલ પરંપરાઓને પ્રતિબિંબિત કરતી ટપાલ ટિકિટોનો સંગ્રહ રજૂ કરે છે, જેમાં રાષ્ટ્રના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પરના વિષયો આધારિત હાઇલાઇટ્સ છે, જે મુલાકાતીઓને આકર્ષક અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે. શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરે છે અને નિહાળે છે. આ પ્રસંગે બોલતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે આ દિવસ ટપાલ વિભાગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેમણે પ્રધાનમંત્રી સંગ્રહાલયની ટીમના સમર્થન અને સહયોગ માટે તેમનો નિષ્ઠાવાન આભાર વ્યક્ત કર્યો હતો. આઝાદીના યુગથી અમૃત કાળ અને તેનાથી આગળ શતાબ્દી કાળ સુધીની ભારતની સફર પર પ્રતિબિંબ પાડતા, તેમણે પુનરોચ્ચાર કર્યો કે ટપાલ વિભાગ રાષ્ટ્ર નિર્માણમાં તેની મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જે તેણે સમગ્ર ઇતિહાસમાં કર્યું છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે ટપાલ વિભાગ અને પ્રધાનમંત્રી સંગ્રહાલય દેશભરમાં ફિલાટેલિક પ્રદર્શનોનું આયોજન કરવા માટે તેમની ભાગીદારીને મજબૂત બનાવશે, જે ભારતનો સમૃદ્ધ વારસો અને વિરાસત પ્રદર્શિત કરશે.    આ પ્રસંગે પિક્ચર પોસ્ટકાર્ડ્સનું વિમોચન આ પ્રસંગે, પ્રધાનમંત્રી સંગ્રહાલયના 4થા સ્થાપના દિવસ, 14 એપ્રિલ, 2026 ના રોજ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ અને ભારતના બંધારણની યાદમાં પિક્ચર પોસ્ટકાર્ડના ત્રણ અલગ-અલગ સેટ બહાર પાડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને ટપાલ વિભાગ વચ્ચે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર પ્રદર્શનો, આઉટરીચ કાર્યક્રમો અને સહ-બ્રાન્ડેડ ફિલાટેલિક ઉત્પાદનો દ્વારા ભારતની સાંસ્કૃતિક અને ટપાલ વિરાસતને પ્રોત્સાહન આપવા માટે સહયોગ મજબૂત કરવા માટે ટપાલ વિભાગ અને સંગ્રહાલય વચ્ચે એક સમજૂતી પત્ર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી મ્યુઝિયમમાં સમર્પિત ઈન્ડિયા પોસ્ટ કાઉન્ટર સ્થાપવાની શક્યતા પણ તપાસશે. આ કાર્યક્રમ સાંસ્કૃતિક સંસ્થાઓ અને ટપાલ વારસા વચ્ચેના સંકલનને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના સમર્પિત પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પ્રધાનમંત્રીના જીવન, નેતૃત્વ અને મુખ્ય પહેલોને પ્રદર્શિત કરતા પ્રદર્શનો નિહાળ્યા હતા.