Tuesday, December 30 2025 | 11:23:08 AM
Breaking News

લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

Connect us on:

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ લોહરી (જે 13 જાન્યુઆરીએ આવે છે), મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુ (જે 14 જાન્યુઆરીએ આવે છે) ની પૂર્વ સંધ્યાએ તેમના સાથી નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું છે કે, “લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુના શુભ પ્રસંગે, હું દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.

આ તહેવારો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રતીક છે અને તેમની સાથે ઉત્સાહ અને આનંદ લાવે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ સ્વરૂપોમાં ઉજવાતા, આ તહેવારો પ્રકૃતિ સાથેના આપણા સુમેળભર્યા સંબંધને દર્શાવે છે. લોકો આ પ્રસંગોએ પવિત્ર નદીઓમાં પવિત્ર સ્નાન કરે છે અને દાન પણ કરે છે.

પાક સાથે સંકળાયેલા આ તહેવારો દ્વારા, આપણે રાષ્ટ્રને અન્ન પૂરું પાડવા માટે અથાક મહેનત કરતા મહેનતુ ખેડૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

આ તહેવારો દરેકના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે અને આપણે ભારતને વિકસિત દેશ બનાવવા માટે વધુ ઉત્સાહ સાથે મળીને કામ કરીએ”.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

ગ્રાહકોને સશક્ત બનાવવા: નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇને 8 મહિનામાં 31 ક્ષેત્રોમાં ₹45 કરોડના રિફંડ મેળવવામાં મદદ કરી

ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગની મુખ્ય પહેલ, નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH), સમગ્ર દેશમાં ગ્રાહકોની ફરિયાદોના અસરકારક, સમયસર અને પ્રી-લિટિગેશન (કાનૂની કાર્યવાહી પહેલાંના) નિવારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે. 25 એપ્રિલ થી 26 ડિસેમ્બર 2025 સુધીના 8 મહિનાના સમયગાળા દરમિયાન, હેલ્પલાઇને 31 ક્ષેત્રોમાં રિફંડ દાવાઓ સંબંધિત 67,265 ગ્રાહક ફરિયાદોનું નિવારણ કરીને ₹45 કરોડના રિફંડ સફળતાપૂર્વક મેળવી આપ્યા છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ પ્રી-લિટિગેશન સ્ટેજ પર કાર્યરત, NCH વિવાદોના ઝડપી, સસ્તા …