ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, આજે (14 ઓગસ્ટ, 2025) અમૃત ઉદ્યાન ઉનાળુ વાર્ષિક આવૃત્તિ, 2025ના ઉદઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા.
અમૃત ઉદ્યાનનું ઉનાળુ વાર્ષિક આવૃત્તિ 16 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર, 2025 સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. તે સમયગાળા દરમિયાન, ઉદ્યાન સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેમાં છેલ્લી એન્ટ્રી સાંજે 5:15 વાગ્યે થશે. જાળવણી માટે ઉદ્યાન તમામ સોમવારે બંધ રહેશે.
પ્રવેશ માટે નોંધણી ફરજિયાત છે. તે મફત છે. મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ (https://visit.rashtrapatibhavan.gov.in/) પર ઓનલાઇન પોતાનો સ્લોટ બુક કરાવી શકે છે. વોક-ઇન મુલાકાતીઓ ગેટ નંબર 35 ની બહાર મૂકવામાં આવેલા સેલ્ફ સર્વિસ કાયોસ્ક દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
પ્રવેશ રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35, નોર્થ એવન્યુ રોડ નજીકથી થશે. મુલાકાતીઓ ઉદ્યાનની અંદર મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ચાવીઓ, પર્સ, હેન્ડબેગ, પાણીની બોટલો, બાળકના દૂધની બોટલો અને છત્રીઓ લઈ જઈ શકશે. આ સિવાય, અન્ય કોઈ વસ્તુને મંજૂરી આપવામાં આવશે નહીં.
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

