Thursday, March 05 2026 | 05:43:27 PM
Breaking News

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ‘કવાંટ ગેર મેળા’ પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું

Connect us on:

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ “કવાંટ ગેર મેળા”ની સાંસ્કૃતિક મહત્તાને માન આપી 05 માર્ચ, 2026ના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને તેના પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું. ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ આ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણની પ્રથમ પ્રતિ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ભેંટ કરી. રાજ્યની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાના દિશામાં આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ અવસરે છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રી જશુભાઈ રાઠવાધારાસભ્ય શ્રી અભેસિંહ તડવીસુશ્રી ગાર્ગી જૈનકલેક્ટરપ્રવર ડાક અધિક્ષક શ્રી આર.બી. ઠાકોર અને રાઠવા આદિવાસી સમુદાયના અનેક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘કવાંટ ગેર મેલા’છોટાઉદેપુરગુજરાત પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ બહાર પાડવાની પહેલની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ રાજ્યની આદિવાસી સંસ્કૃતિકલા અને પરંપરાઓના સંરક્ષણ અને તેને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. ‘કવાંટ ગેર મેળો’ માત્ર એક ઉત્સવ નથીપરંતુ પ્રકૃતિ સાથેના સામંજસ્યસામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓનું જીવંત પ્રતિક છે. તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને આદિવાસી જનજીવનની ઉન્નત અભિવ્યક્તિ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટપાલ ટિકિટોના માધ્યમ થી સંસ્કૃતિનું સંવર્ધન થાય છે અને યુવાનોમાં સાંસ્કૃતિક જાગૃતિ પણ વધે છે. આ પહેલથી આદિવાસી કલાસંગીત અને નૃત્ય પરંપરાઓને સ્થિરતા મળે છે અને આવનારી પેઢી આ સમૃદ્ધ ધરોહર સાથે જોડાયેલી રહે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આવા પ્રયાસો રાજ્યની સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવવામાંસમાજમાં સમરસતા અને એકતા વધારવામાં તેમજ આદિવાસી જીવનશૈલી અને કલાઓની પ્રાચીન પરંપરાઓને સંરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું કે ટપાલ ટિકિટો દેશની સંસ્કૃતિકલાવારસોઇતિહાસમહાન વ્યક્તિઓ અને મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ જ્ઞાન-વિજ્ઞાન અને સિદ્ધિઓનું પ્રતિબિંબ રજૂ કરે છેજે સંચાર સાથે રાષ્ટ્રીય ગૌરવ અને વારસાને પણ પ્રોત્સાહન આપે છે. પોસ્ટમાસ્ટર જનરલે વધુમાં જણાવ્યું કે કવાંટ ગેર મેળા’ પર ડાક વિભાગના સૌજન્યથી માનનીય મુખ્યમંત્રી દ્વારા જારી કરાયેલ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ આ આદિવાસી ઉત્સવની સમૃદ્ધ સાંસ્કૃતિક મહત્તાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે અને ગુજરાતની સમૃદ્ધ આદિવાસી વારસાને પણ વધુ સમૃદ્ધ બનાવશે.

 છોટાઉદેપુરના લોકસભા સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે ‘કવાંટ ગેર મેળો’ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ ખાતે દર વર્ષે યોજાતો એક પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ છે. આ મેળામાં આદિવાસી મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદ, ભક્તિ અને પરસ્પર સૌહાર્દનો અનોખો માહોલ સર્જે છે. તેમણે જણાવ્યું કે માનનીય મુખ્યમંત્રી દ્વારા આ ઉત્સવ પર ટપાલ ટિકિટ જારી કરવામાં આવતા તેને નવી ઓળખ પ્રાપ્ત થઈ છેતેમણે આ પહેલ માટે ડાક વિભાગનો પણ આભાર વ્યક્ત કર્યો.

છોટાઉદેપુરના કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈને જણાવ્યું કે હોળી પર્વ બાદ યોજાતો આ ભવ્ય મેળો રાઠવા આદિવાસી સમુદાયના રિવાજોમાન્યતાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓનું અનોખું પ્રતિબિંબ છે. ઢોલ-નગારાના તાલબદ્ધ નાદગેર નૃત્યની ઊર્જાસભર રજૂઆતોપરંપરાગત વાદ્યોરંગબેરંગી વેશભૂષા અને શરીર પર આલેખાયેલી કલાત્મક આકૃતિઓ આ ઉત્સવની વિશેષતાઓ છે. માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી પહેલના અનુસંધાને ભારતીય ડાક વિભાગ દ્વારા જારી કરાયેલ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ આ ઉત્સવને વધુ પ્રતિષ્ઠિત બનાવે છે.

About Matribhumi Samachar

Check Also

‘બ્યુરોક્રેટ્સ ઈન્ડિયા’ દ્વારા જાહેર કરાયેલ ‘ટોપ 25 ચેન્જમેકર્સ 2025’ યાદીમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવનો સમાવેશ

બ્યુરોક્રેસી શાસનની રીડ તરીકે કાર્ય કરે છે, જે જમીન સ્તર પર નીતિઓનો અમલ કરે છે અને …