
ભારતીય ડાક વિભાગ દ્વારા “વન સ્ટેટ વન જીએસટી”ના અસરકારક અમલીકરણ માટે 15 મે, 2026ના રોજ અમદાવાદમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપનો શુભારંભ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યો. વર્કશોપનો મુખ્ય હેતુ નવી જીએસટી પ્રણાલીના સફળ અમલીકરણ માટે અધિકારીઓને તાલીમ આપવાનો તથા એકીકૃત કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન આપવાનો હતો. તેમાં વિવિધ મંડળોના પ્રવર અધિક્ષક, અધિક્ષક, સિનિયર પોસ્ટમાસ્ટર તથા લેખાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
વર્કશોપનું શુભારંભ કરતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું કે અત્યાર સુધી વિવિધ મંડળોમાં જીએસટી પ્રક્રિયાઓના સંચાલનમાં કાર્યપદ્ધતિ સંબંધિત ભિન્નતાઓ જોવા મળતી હતી, પરંતુ હવે નવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં એકીકૃત પ્રણાલી તરીકે કાર્ય કરશે. આથી હિસાબી પ્રક્રિયા, ટેક્સ અનુપાલન, ઇન્વૉઇસ મેનેજમેન્ટ તથા નાણાકીય રિપોર્ટિંગ વધુ સરળ અને અસરકારક બનશે. સાથે જ વહીવટી કાર્યક્ષમતામાં વધારો, સમયની બચત, ભૂલોમાં ઘટાડો તથા જવાબદારીમાં નોંધપાત્ર સુધારો સુનિશ્ચિત થશે. “વન સ્ટેટ વન જીએસટી” માત્ર એક વહીવટી સુધારો નથી, પરંતુ કાર્યપદ્ધતિમાં સરળતા, પારદર્શિતા, એકરૂપતા અને કાર્યક્ષમતા સ્થાપિત કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. બદલાતી આર્થિક અને તકનીકી જરૂરિયાતોને અનુરૂપ વિભાગીય કાર્યશૈલીમાં સુધારો સમયની માંગ છે, જેથી વધુ સરળ, પારદર્શક અને જવાબદાર વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય. “વન સ્ટેટ વન જીએસટી” આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
સીનિયર લેખાધિકારી શ્રી બી. શિવા કુમાર તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કન્સલ્ટન્ટ શ્રી નિર્મલ ભંડારી દ્વારા વર્કશોપ દરમિયાન જૂની અને નવી જીએસટી પ્રણાલીની તુલનાત્મક સમીક્ષા, સપ્લાયનું વર્ગીકરણ, જીએસટી ફ્રેમવર્ક, નોંધણી અને તેની લાગુતા, ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટેની પાત્રતા, પ્રતિબંધો, ક્લેમ પ્રક્રિયા તથા આવશ્યક દસ્તાવેજીકરણ, સીજીએસટી નિયમ 42 અને 43 હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વર્ગીકરણ, કોમન ક્રેડિટની ઓળખ, બ્લોક્ડ ક્રેડિટ વિશ્લેષણ તેમજ પાત્ર અને અપાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના વિભાજન, માસિક રિટર્ન ફાઇલિંગ ચક્ર અને અનુપાલન ન કરવાના પ્રભાવો તથા જીએસટી હેઠળના ટીડીએસ પ્રાવધાનો અંગે વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવી હતી. સીનિયર લેખા અધિકારી સુશ્રી પૂજા રાઠોર એ સ્વાગત પ્રવચન આપતાં તમામ પ્રતિભાગીઓનું અભિવાદન કર્યું અને વર્કશોપની રૂપરેખા રજૂ કરી.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું કે ડાક વિભાગમાં “વન સ્ટેટ વન જીએસટી” વ્યવસ્થા અમલમાં આવવાથી વિભાગીય નાણાકીય વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત, પારદર્શક, એકીકૃત અને અસરકારક બનશે. અગાઉની વ્યવસ્થામાં દરેક ડ્રોઇંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર (ડીડીઓ) માટે અલગ-અલગ જીએસટી અને જીએસટી-ટીડીએસ નોંધણીઓ કાર્યરત હતી. હવે ડાક નિર્દેશાલય દ્વારા અમલમાં મુકાઈ રહેલા આ નવા ફ્રેમવર્ક હેઠળ દરેક રાજ્યમાં વિભાગ માટે માત્ર એકીકૃત જીએસટી નોંધણી રહેશે. આ માટે પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્રીકૃત સિંગલ પાન મેળવી તેને સંબંધિત જીએસટી નોંધણીઓ સાથે યોગ્ય રીતે જોડવામાં આવ્યો છે. નવી વ્યવસ્થાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો વધુ અસરકારક અને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે, કરચુકવણી પ્રક્રિયા કેન્દ્રીકૃત અને સરળ બનશે, અનુપાલન સંબંધિત પ્રક્રિયાઓમાં એકરૂપતા આવશે તથા વિભાગીય નાણાકીય કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે.
આ વર્કશોપમાં અમદાવાદ સિટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી શિશિર કુમાર, અમદાવાદ જીપીઓના સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી સિરાજ મન્સુરી, મહેસાણા મંડળના અધિક્ષક શ્રી એસ. કે. વર્મા, સાબરકાંઠા મંડળના અધિક્ષક શ્રી દીપક વાઢેર, પાટણ મંડળના અધિક્ષક શ્રી આર. એ. ગોસ્વામી, બનાસકાંઠા મંડળના અધિક્ષક શ્રી હર્ષદ પરમાર, મેનેજર શ્રી દર્શન તપસ્વી, સિનિયર લેખાધિકારી શ્રી બી. શિવા કુમાર, સુશ્રી પૂજા રાઠોર, સહાયક લેખાધિકારી શ્રી રામસ્વરૂપ મંગાવા, શ્રી સુભાષ કુમાર, શ્રી ઋષભ મહેતા, સહાયક નિદેશક શ્રી વારિસ વહોરા, શ્રી ઋતુલ ગાંધી સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Matribhumi Samachar Gujarati

