Monday, May 18 2026 | 05:32:39 PM
Breaking News

ગુજરાતના સંચાર મિત્રોએ રચ્યો નવો કિર્તિમાન: 2 મહિનામાં 50થી વધુ જનજાગૃતિ કાર્યક્રમો, દૂરસંચાર વિભાગની યોજનાઓને પહોંચાડી જન-જન સુધી

Connect us on:

ગુજરાત અને દાદરા-નગર હવેલી તથા દમણ-દીવમાં દૂરસંચાર વિભાગ (ડીઓટી) હેઠળ સંચાલિત “સંચાર મિત્ર” કાર્યક્રમે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. છેલ્લા બે મહિનામાં, રાજ્યભરના સંચાર મિત્રોએ લગભગ 50 જનજાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન કરીને ડિજિટલ સુરક્ષા, નાગરિક-કેન્દ્રિત યોજનાઓ અને દૂરસંચાર સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ પ્રત્યે સામાન્ય લોકોને જાગૃત કર્યા છે.

આ કાર્યક્રમોના માધ્યમથી સંચાર સાથી એપ, રેડિયેશન અંગેની માન્યતાઓનું ખંડન, સાયબર સુરક્ષા અને ગ્રાહક અધિકારો સંબંધિત માહિતી શેર કરવામાં આવી હતી. ખાસ કરીને સંચાર સાથી એપ સાથે જોડાયેલી ગેરસમજોને દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને લોકોને એપના વાસ્તવિક ફાયદાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ આયોજનો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા, જેમાં શાળાઓ, કોલેજો, જાહેર સ્થળો, મોબાઈલની દુકાનો, રહેણાંક વિસ્તારો અને સામુદાયિક કેન્દ્રોનો સમાવેશ થાય છે. આમાં હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, દુકાનદારો અને સંસ્થાઓના કર્મચારીઓએ ભાગ લીધો હતો.

દૂરસંચાર વિભાગના મહાનિદેશકે સંચાર મિત્ર ઇમ્પેક્ટ ફિલ્મનું અનાવરણ કરતા કહ્યું કે, “સંચાર મિત્રોનું આ અભિયાન ડિજિટલ ભારતની દિશામાં એક સશક્ત પગલું છે. યુવા સ્વયંસેવકોએ માત્ર તકનીકી જાગૃતિ જ નથી ફેલાવી, પરંતુ સરકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”

આ પહેલ હેઠળ નિરમા યુનિવર્સિટી, આઇઆઇટી ગાંધીનગર, ગવર્નમેન્ટ પોલિટેકનિક દીવ, મારવાડી યુનિવર્સિટી, આઇઆઇઆઇટી સુરત, જીઈસી ભાવનગર, મોડાસા, પાલનપુર, રાજકોટ સહિત કુલ 16 શિક્ષણ સંસ્થાઓના 53 સંચાર મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સંચાર મિત્રો હવે આગામી દિવસોમાં વધુ વ્યાપક સ્તરે આવા કાર્યક્રમો યોજવાની યોજના બનાવી રહ્યા છે, જેથી દૂરસંચાર સુરક્ષા અને ડિજિટલ સાક્ષરતાનો સંદેશ દરેક ખૂણા સુધી પહોંચી શકે. દૂરસંચાર વિભાગ-ગુજરાત, ભારત સરકાર, સંચાર મિત્ર કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને સશક્ત બનાવવા અને ડિજિટલ સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ પહેલ “સુરક્ષિત ડિજિટલ ભારત”ની દિશામાં એક મજબૂત પગલું છે.

About Matribhumi Samachar

Check Also

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.9717 અને ચાંદીના વાયદામાં રૂ.32562નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.581ની તેજી

કોમોડિટી વાયદાઓમાં રૂ.391998 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.4179141 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.273904 કરોડનાં …