Tuesday, February 10 2026 | 07:08:41 AM
Breaking News

Matribhumi Samachar

ગુરુવારે સર ટી. હોસ્પિટલ ખાતે યોજાશે એસેસમેન્ટ કેમ્પ, ત્યારબાદ જુદા-જુદા તાલુકા મથકો ખાતે આયોજન : મંત્રી નિમુબેન બાંભણિયાનું સતત માર્ગદર્શન

ભાવનગર-બોટાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી (અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ) શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેનો એસેસમેન્ટ કેમ્પ તા. 30 જૂનથી ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે શરૂ થયો છે. ભાવનગર શહેર, ગ્રામ્ય અને પશ્ચિમ વિસ્તારને આવરી લેતો આ કેમ્પ 3 જુલાઈ સુધી ચાલશે. આજે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે અને આવતીકાલ ગુરુવારે અંતિમ દિવસ રહેશે. પ્રથમ બે દિવસ દરમિયાન 2,655 સાધનોની સહાય માટે લાભાર્થીઓનું નિદાન કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 43 લાખથી વધુ છે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ વરિષ્ઠ નાગરિકોને આ ખાસ અવસરનો લાભ લેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સુખદ અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે છે. ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો), ઉજ્જૈન સહાયક ઉત્પાદન કેન્દ્રના સહયોગથી આ કેમ્પ 15 જુલાઈ-2025 સુધી ભાવનગર શહેર તથા તાલુકાઓમાં અલગ-અલગ સ્થળોએ યોજાનાર છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે યોજાતા આ એસેસમેન્ટ કેમ્પમાં ચાલવાની લાકડી, કાખઘોડી, વોકર, કાનનું મશીન, કૃત્રિમ દાંત, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘૂંટણના પટ્ટા, પગ સંભાળ કીટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચાલવાની લાકડી, કોમોડ (ફોલ્ડિંગ ખુરશી) સહિત 15 પ્રકારના ઉપકરણોનું નિદાન અને સહાયનું આયોજન છે. લાભાર્થીઓની (1) આધાર કાર્ડ અને (2) રૂ. 15,000 કે તેથી ઓછી આવકના દાખલાના આધારે મફત નોંધણી કરવામાં આવે છે. શુક્રવારથી જુદા-જુદા તાલુકા મથકો ખાતે કેમ્પનું વિસ્તૃત આયોજન આ કેમ્પ 4 જુલાઈએ ઘોઘા, 5 જુલાઈએ શિહોર, 7 જુલાઈએ વલ્લભીપુર, 8 જુલાઈએ ઉમરાળા, 9 જુલાઈએ તળાજા, 10 જુલાઈએ મહુવા, 11 જુલાઈએ જેસર, 14 જુલાઈએ ગારીયાધાર અને 15 જુલાઈએ પાલીતાણા તાલુકાના આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાશે. તાલુકા મથકો પર કેમ્પનું આયોજન કરવાથી છેવાડાના નાગરિકો સુધી લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યોજનાના અનેક લાભો પણ સ્થળ પર ઉપલબ્ધ એસેસમેન્ટ કેમ્પ સાથે વૃદ્ધ પેન્શન યોજના, પ્રધાનમંત્રી વય વંદના યોજના, આયુષ્માન કાર્ડ, તેમજ આવકના દાખલા કાઢવાની સુવિધા પણ સ્થળ પર જ ઉપલબ્ધ છે. સાથે લાભાર્થીઓને આવવા – જવા માટે બસની  વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ આયોજનને કારણે નાગરિકો તરફથી કેન્દ્ર સરકાર અને મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી રહી છે. ભાવનગરના કલેક્ટર શ્રી મનીષ કુમાર બંસલ તેમજ અન્ય અધિકારીઓએ પણ કેમ્પની મુલાકાત લીધી હતી. કલેક્ટરે કેમ્પના વ્યવસ્થાપન અને સુગમ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો  તથા તમામ ટીમને શુભેચ્છાઓ આપી હતી. સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને લીલા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્માએ પણ કેમ્પની મુલાકાત લઈ પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી.

Read More »

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે સી-ફ્લડ, એકીકૃત પૂર પુર્વાનુમાન પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી, જળ શક્તિ દ્વારા એકીકૃત Flood inundation Model (FIM) ડિસેમિનેશન પોર્ટલનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે આજે પુણેના સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) અને સેન્ટ્રલ વોટર કમિશન (CWC), જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD & GR), જળ શક્તિ મંત્રાલય દ્વારા સહયોગથી વિકસાવવામાં આવેલી એકીકૃત જળ પૂર આગાહી પ્રણાલી, …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(1 જુલાઈ, 2025) ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી આપણી સમૃદ્ધ પ્રાચીન પરંપરાઓનું એક પ્રભાવશાળી આધુનિક કેન્દ્ર છે. આ ઉદ્ઘાટન માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તબીબી શિક્ષણ અને તબીબી …

Read More »

કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુમાં રૂ. 1853 કરોડના ખર્ચે 4-લેન પરમાકુડી – રામનાથપુરમ સેક્શન (NH-87)ના બાંધકામને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુમાં 4-લેન પરમાકુડી – રામનાથપુરમ સેક્શન (46.7 કિમી)ના બાંધકામને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર કુલ રૂ. 1,853 કરોડના મૂડી ખર્ચે વિકસાવવામાં આવશે. હાલમાં, મદુરાઈ, પરમાકુડી, રામનાથપુરમ, મંડપમ, રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચેની કનેક્ટિવિટી હાલના 2-લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ 87 (NH-87) અને સંકળાયેલ રાજ્ય ધોરીમાર્ગો પર આધારિત છે. જે ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારો અને કોરિડોર સાથેના મુખ્ય શહેરોમાં ટ્રાફિકના જથ્થાને કારણે નોંધપાત્ર ભીડનો અનુભવ …

Read More »

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’ (1 જુલાઈ): પોસ્ટમેન ઘરે બેઠા માત્ર ડાક સેવાઓ જ નહીં પરંતુ બેંકિંગ અને આધાર સેવાઓ પણ પૂરી પાડે છે

વિશ્વભરમાં ડાક સેવાને લઈને આમૂલ ફેરફારો આવ્યા છે. ભૌતિક ડાકથી ડિજીટલ ડાકના આ યુગમાં પોસ્ટ સેવામાં વિવિધતા સાથે ઘણા નવા પાસાઓ જોડાયા છે. પોસ્ટમેન સરકાર અને સામાન્ય જનતા વચ્ચે સેવાઓ પહોંચાડતી એક મહત્વની કડી તરીકે ઊભરી આવ્યા છે. આ સમયે 1 જુલાઈએ સમગ્ર વિશ્વમાં ‘નેશનલ પોસ્ટલ વર્કર ડે’ નિમિત્તે ડાક કર્મચારીઓનો આભાર …

Read More »

TRAIએ મે 2025 માટે સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDT) રિપોર્ટમાંથી તારણો જાહેર કર્યા, 13 શહેરો અને રૂટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આજે ​​મે 2025માં હાથ ધરવામાં આવેલા સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDTs)ના પરિણામો જાહેર કર્યા, જેમાં આઠ લાઇસન્સ્ડ સર્વિસ એરિયા (LSA)માં 13 શહેરો, હાઇવે, રેલ્વે અને કોસ્ટલ કોરિડોરનો સમાવેશ થાય છે. તેર શહેરો, હાઇવે, રેલ્વે અને કોસ્ટલ વિસ્તાર રાંચી શહેર અને લાતેહાર જિલ્લો, અમદાવાદ શહેર, અમદાવાદથી ભાવનગર સુધીનો રેલ્વે રૂટ, ઘોઘા બંદર પરનો કોસ્ટલ વિસ્તાર, ભાવનગર, પાણીપત શહેર, ઉના અને …

Read More »

એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશનનો કાર્યભાર સંભાળ્યો

એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ 01 જુલાઈ 25ના રોજ નવી દિલ્હી સ્થિત એર હેડક્વાર્ટર ખાતે એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશન (AOA) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. એર માર્શલને જૂન 1990માં ભારતીય વાયુસેનાની વહીવટી શાખામાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે પોંડિચેરી યુનિવર્સિટીમાંથી HRMમાં MBA અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસમાં Mphilની ડિગ્રી મેળવી છે. …

Read More »

ભારતીય નૌકાદળ પલાઉ-ફ્લેગ ટેન્કર MT યી ચેંગ – 6 પર મહત્વપૂર્ણ અગ્નિશામક અને બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યુ

ઝડપી ઓપરેશનલ તૈયારી અને દરિયાઈ સુરક્ષા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવતા, ભારતીય નૌકાદળે 29 જૂન 2025ના રોજ ઉત્તર અરબી સમુદ્રમાં પલાઉ ફ્લેગ ટેન્કર MT યી ચેંગ – 6 પર વધુ પડતી જોખમી અગ્નિશામક અને બચાવ કામગીરી હાથ ધર્યા બાદ સફળતાપૂર્વક પરિસ્થિતિને કાબૂ કરી અને 14 ભારતીય ક્રૂ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરી હતી. 29 જૂન 2025ની સવારે મિશન-આધારિત ફરજ પર તૈનાત INS તબરને …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાના દીક્ષાંત સમારોહને સંબોધન કર્યુ

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(30 જૂન, 2025) ઉત્તર પ્રદેશના બરેલી ખાતે ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા (IVRI) ના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ‘ઈશાવાસ્યમ ઇદમ સર્વમ’ ના જીવન મૂલ્ય પર આધારિત આપણી સંસ્કૃતિ, બધા જીવોમાં ભગવાનની ઉપસ્થિતિ જુએ છે. આપણા દેવતાઓ અને ઋષિઓએ પ્રાણીઓ સાથે વાતચીત કરી હતી તેવી …

Read More »

ભાવનગરમાં કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ નાગરિકો માટે એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના‌ અંતર્ગત વરીષ્ઠ નાગરીકો માટેના એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ એ વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ‌ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે વયો શ્રી યોજના વરીષ્ઠ નાગરીકો સુધી …

Read More »