Thursday, February 19 2026 | 04:02:07 PM
Breaking News

National

કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીમાં ગ્લોબલ ટાઇગર ડે 2025 ઉજવણીની અધ્યક્ષતા કરી હતી

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલય ખાતે આયોજિત ગ્લોબલ ટાઇગર ડે 2025 ઉજવણીની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે, શ્રી ભૂપેન્દ્ર યાદવે બાળકોમાં પર્યાવરણીય સંતુલન, સંરક્ષણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. શ્રી યાદવે શાળાઓ અને શિક્ષકોને યુવાનોને વન્યજીવન સંરક્ષણ અને જૈવવિવિધતાના …

Read More »

‘મન કી બાત’ના 124મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.07.2025)

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં …

Read More »

જેટલી મજબૂત લોજિસ્ટીક, તેટલી જ મજબૂત સીમાઓ : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે કહ્યું હતું કે ભારત તેના માળખાગત સુવિધાઓ અને લોજીસ્ટિક્સ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોઈ રહ્યું છે, જે દેશના આર્થિક વિકાસ માટે મજબૂત …

Read More »

કારગિલ વિજય દિવસ: 1999માં ભારતની જીત સુનિશ્ચિત કરનારા સૈનિકોના અદમ્ય સાહસ અને બલિદાનને રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપે છે

1999માં ભારતના ઐતિહાસિક વિજયની યાદમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે, જે માતૃભૂમિની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સશસ્ત્ર દળોના બહાદુરોને રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ દિવસ નિમિત્તે, સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે 26 જુલાઈ, 2025ના રોજ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (NWM) ખાતે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ …

Read More »

આયુષ્માન આરોગ્ય મંદિરો અને NHM હેઠળ 10.18 કરોડ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશભરમાં 30 વર્ષ અને તેથી વધુ ઉંમરની 10.18 કરોડથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરીને મહિલા સ્વાસ્થ્યમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આ સિદ્ધિ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિરો (AAM) દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી બિન-ચેપી રોગો (NCDs)ની સ્ક્રીનીંગ, નિવારણ અને વ્યવસ્થાપન માટેની વસ્તી-આધારિત પહેલનો એક ભાગ છે. આ પહેલ 30 થી 65 વર્ષની મહિલાઓને …

Read More »

ભારતની સૌથી મોટી આદિવાસી ગ્રામ વિકાસ યોજના

મુખ્ય મુદ્દાઓ 2, ઓક્ટોબર 2024ના રોજ શરૂ કરાયેલ PM JUGA, 63,000 ગામડાઓમાં 5 કરોડથી વધુ આદિવાસીઓને લાભ આપશે. 17 મંત્રાલયો આવાસ, આરોગ્યસંભાળ, શિક્ષણ અને કનેક્ટિવિટી વગેરેમાં ગંભીર અંતરને દૂર કરવા માટે સંકલન કરી રહ્યા છે. આદિવાસી બાબતોના મંત્રાલયની સિદ્ધિઓ: છેલ્લા દાયકામાં વન અધિકાર કાયદા હેઠળ 23.88 લાખ જમીન-લીઝનું વિતરણ કરવામાં આવ્યું હતું, 1 કરોડથી વધુ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી હતી. પરિચય “વિકાસ સર્વાંગી …

Read More »

ચોમાસુ સત્ર 2025ના પ્રારંભ સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ સંકુલમાં ચોમાસુ સત્ર 2025ની શરૂઆત પહેલા મીડિયાને સંબોધન કર્યું હતું. ચોમાસુ સત્રમાં સૌનું સ્વાગત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ચોમાસુ નવીનતા અને નવીનીકરણનું પ્રતીક છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે દેશભરમાં વર્તમાન હવામાન પરિસ્થિતિઓ અનુકૂળ રહે છે અને કૃષિ માટે ફાયદાકારક આગાહી રજૂ કરે …

Read More »

પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના

મુખ્ય મુદ્દાઓ 16 જુલાઈ, 2025ના રોજ મંજૂર કરાયેલી, આ યોજનાનો હેતુ 100 ઓછા પ્રદર્શન કરતા કૃષિ–જિલ્લાઓને 6 વર્ષ માટે ₹24,000 કરોડના વાર્ષિક ખર્ચ સાથે આવરી લેવાનો છે. તેનો ઉદ્દેશ્ય ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા, સિંચાઈ અને સંગ્રહમાં સુધારો કરવા અને ધિરાણની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. તેનું મુખ્ય ધ્યાન કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ પર રહેશે. આ યોજના 11 મંત્રાલયોની 36 યોજનાઓના સંતૃપ્તિ–આધારિત સંકલનને …

Read More »

યુવાનોમાં વ્યસન નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે, ડૉ. મનસુખ માંડવિયા 20 જુલાઈના રોજ વારાણસીમાં શાળાના બાળકો સાથે ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલનું નેતૃત્વ કરશે

દેશની 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે, ત્યારે માદક દ્રવ્યોનું સેવન ભારતના યુવાનો સામે સૌથી ગંભીર ખતરો છે, જે તેમને જીવનના એક મહત્વપૂર્ણ તબક્કામાં ફસાવે છે અને રાષ્ટ્રીય પ્રગતિ માટે પડકાર ઉભો કરે છે. આને ધ્યાનમાં રાખીને, માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 20 જુલાઈના રોજ વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી કેમ્પસમાં રાષ્ટ્રવ્યાપી ‘ફિટ ઈન્ડિયા …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો પ્રદાન કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (17 જુલાઈ, 2025) નવી દિલ્હીમાં ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત એક સમારોહમાં સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વચ્છ સર્વેક્ષણ આપણા શહેરો દ્વારા સ્વચ્છતા તરફ કરવામાં આવેલા પ્રયાસોનું મૂલ્યાંકન અને પ્રોત્સાહન આપવામાં એક સફળ પ્રયોગ સાબિત થયો …

Read More »