Monday, March 02 2026 | 04:35:14 AM
Breaking News

Regional

‘બ્યુરોક્રેટ્સ ઈન્ડિયા’ દ્વારા જાહેર કરાયેલ ‘ટોપ 25 ચેન્જમેકર્સ 2025’ યાદીમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવનો સમાવેશ

બ્યુરોક્રેસી શાસનની રીડ તરીકે કાર્ય કરે છે, જે જમીન સ્તર પર નીતિઓનો અમલ કરે છે અને વિકાસના લાભો દરેક નાગરિક સુધી પહોંચે તેની ખાતરી કરે છે. પોતાના સમર્પણ અને પ્રશાસનિક નેતૃત્વ દ્વારા અધિકારીઓ સંસ્થાઓને સશક્ત બનાવવામાં, સેવા પ્રદાન વ્યવસ્થામાં સુધારો લાવવામાં તેમજ જમીન સ્તરે અર્થપૂર્ણ પરિવર્તન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. …

Read More »

ભારતમાં પ્રયાગરાજ કુંભ દરમિયાન 115 વર્ષ પહેલા શરૂ થયી હતી દુનિયાની પ્રથમ હવાઈ ડાક સેવા – પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સમગ્ર વિશ્વમાં ડાક સેવાઓએ ઘણી લાંબી સફર કરી છે. ભારતનું સૌભાગ્ય છે કે વિશ્વની પ્રથમ હવાઈ ડાક સેવા અહીંથી શરૂ થઈ. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ઐતિહાસિક ઘટના 115 વર્ષ પહેલાં 18 ફેબ્રુઆરી, 1911ના રોજ પ્રયાગરાજમાં બની હતી. યોગાનુયોગ એ વર્ષે કુંભ મેળાનું પણ આયોજન થયું …

Read More »

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ (WFA) હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ના લાભાર્થીઓને સહાય રકમ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતામાં મળશે

ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના‘, જેને ‘વિધવા નાણાકીય સહાય‘ (WFA) યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો લાભ હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક  મારફતે પણ મેળવી શકાશે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં …

Read More »

મહાશિવરાત્રી પર, તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો શ્રી સોમનાથ અને શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનો પ્રસાદ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સોમનાથ મંદિર પ્રસાદ પેકેટ અને રુદ્રાક્ષ માળા - પોસ્ટ વિભાગ સેવા

મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. પરંતુ કેટલાક ભક્તો ઈચ્છવા છતાં દર્શન કરી શકતા નથી. હવે આવા ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી. પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો દેશના કોઈપણ ખૂણામાં, ગુજરાતના શ્રી …

Read More »

ડાક વિભાગે ‘પોસ્ટલ લાઇફ ઈન્સ્યોરન્સ’ની 142મી વર્ષગાંઠ ઉજવી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોલિસી બોન્ડનું વિતરણ કર્યું

ડાક વિભાગે પત્ર અને પાર્સલ સેવાઓ સાથે-સાથે જીવન વીમાના ક્ષેત્રમાં પણ એક સશક્ત, વિશ્વસનીય અને જનકલ્યાણકારી સંસ્થાના રૂપમાં પોતાની વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરી છે. પરંપરાગત સેવાઓથી આગળ વધીને, ડાક વિભાગે દાયકાઓથી જીવન વીમાના ક્ષેત્રમાં સતત સેવાઓ પૂરી પાડી નાગરિકોના જીવનમાં આર્થિક સ્થિરતા, સામાજિક સુરક્ષા અને નાણાકીય સંરક્ષણનો મજબૂત આધાર ઊભો કર્યો છે. ઉપરોક્ત …

Read More »

‘ડાક સેવા, જન સેવા’ના વિઝન સાથે દેશના દરેક વ્યક્તિ સુધી સેવાઓ પહોંચાડતું ડાક વિભાગ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક વિભાગ દેશના સામાજિક-આર્થિક વિકાસમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા વધુ મજબૂત બનાવતાં સતત આધુનિક ટેકનોલોજી, ડિજિટલ સોલ્યુશન્સ તથા નવીનતાઓ દ્વારા પોતાની સેવાઓનું વિસ્તરણ કરી રહ્યું છે. ‘ડાક સેવા, જન સેવા’ના વિઝન સાથે વિભાગે પરંપરાગત ડાક પ્રણાલીથી આગળ વધી હાલમાં નાણાકીય સમાવેશ, લોજિસ્ટિક્સ, ઇ-કોમર્સ સહયોગ તથા ડિજિટલ સેવાઓના ક્ષેત્રમાં એક વિશ્વસનીય સંસ્થા તરીકે પોતાની ઓળખ સ્થાપિત …

Read More »

ડાક વિભાગે ઉજવ્યો 77મો ગણતંત્ર દિવસ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગાંધીનગર મુખ્ય ડાકઘર માં ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ

77મો ગણતંત્ર દિવસ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના બધા જ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ અવસરે ગાંધીનગર મુખ્ય ડાકઘરમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને અધિકારીઓ તથા કર્મચારીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ આપી. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ગાન, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ, દેશભક્તિ ગીતો અને રાષ્ટ્ર પ્રત્યે …

Read More »

‘બેટી બચાવો-બેટી પઢાવો’ ઝુંબેશને 11 વર્ષ પૂર્ણ : છોકરીઓના સશક્તિકરણમાં ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ની મહત્વપૂર્ણ ભૂમિકા

ભારત સરકારના ‘બેટી બચાવો–બેટી પઢાવો’ ઝુંબેશએ 22 જાન્યુઆરીએ તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ‘બેટી બચાવો–બેટી પઢાવો’ ઝુંબેશની શરૂઆત 22 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય હેતુ લિંગના આધાર પર થતા પસંદગીજન્ય ભ્રૂણહત્યાને અટકાવવાનો, દીકરીઓના અસ્તિત્વ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો તેમજ તેમની શિક્ષણને પ્રોત્સાહન આપવાનો …

Read More »

ભારતીય ડાક વિભાગ કરશે 55મી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય ડાક વિભાગ દ્વારા પત્ર લેખનની વિધાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 9 થી 15 વર્ષની વયના બાળકો માટે ‘યુનિવર્સલ પોસ્ટલ યુનિયન આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા’નું આયોજન કરવામાં આવે છે. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગ શાળાના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી અને પત્ર …

Read More »

ભારતીય ડાક વિભાગે અમદાવાદમાં ‘પતંગ ઉત્સવ’નું આયોજન કર્યું , પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે શુભારંભ કર્યું

ગુજરાતના અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર આયોજિત ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ દેશ-વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેમાં દેશ અને દુનિયાભરના લોકો રંગબેરંગી પતંગો ઉડાવવા અને જોવા માટે ભેગા થાય છે. આ વર્ષે ભારતીય ડાક વિભાગે આગેવાની દાખવી ‘પતંગ ઉત્સવ–2026’ નું આયોજન અમદાવાદમાં કર્યું, જેમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવાર સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સાયન્સ …

Read More »