આગામી વર્ષે હરિદ્વારમાં કુંભનું પણ આયોજન થવાનું છે. આપણે આસ્થાના આ સંગમને દિવ્ય-ભવ્ય અને સ્વચ્છ બનાવવામાં કોઈ કસર બાકી રાખવાની નથી. સાથીઓ, ઉત્તરાખંડમાં નંદા દેવી રાજજાત યાત્રા પણ થાય છે. આ આસ્થાનો ઉત્સવ તો છે જ, આ આપણી સાંસ્કૃતિક ચેતનાનું પણ જીવંત ઉદાહરણ છે. જ્યાં માં નંદાને દીકરી માનીને પૂરા સન્માન સાથે વિદાય આપવામાં આવે છે. આ યાત્રામાં બહેનો-દીકરીઓની ભાગીદારી, તેને વિશેષ બનાવે છે. હું માં નંદાને પ્રણામ કરતા, દેશભરની બહેનો-દીકરીઓને પણ વિશેષ સંદેશ આપવા માંગુ છું. વિકસિત ભારતના નિર્માણમાં તમારી ખૂબ મોટી ભૂમિકા છે. આ દેશની દીકરીઓની, આ દેશની માતાઓની, બહેનોની ખૂબ મોટી ભૂમિકા હું જોઈ રહ્યો છું. અને બહેનો-દીકરીઓની સુવિધા, સુરક્ષા અને લોકશાહીમાં ભાગીદારી, આ ડબલ એન્જિન સરકારની ખૂબ મોટી પ્રાથમિકતા છે. તમે અત્યારે જોઈ રહ્યા છો, કે દુનિયામાં કેટલું મોટું સંકટ આવ્યું છે. આનાથી દુનિયાના વિકસિત દેશોમાં પણ કેટલો હાહાકાર મચ્યો છે. આવા મુશ્કેલ સંજોગોમાં પણ, સરકારનો નિરંતર પ્રયાસ છે કે આપણી બહેનોને ઓછામાં ઓછી પરેશાની થાય. સાથીઓ, બહેનો-દીકરીઓની ભાગીદારીનો એક વધુ મહત્વનો પડાવ હવે દેશની સામે છે. 4 દાયકાની પ્રતિક્ષા પછી સંસદે, નારીશક્તિ વંદન અધિનિયમ પસાર કર્યો હતો. આનાથી વિધાનસભા અને લોકસભામાં મહિલાઓ માટે તેંત્રીસ ટકા અનામત નક્કી થઈ ગઈ. તમામ પક્ષોએ આગળ આવીને આ મહત્વના કાયદાને સમર્થન આપ્યું. હવે મહિલાઓને આ જે હક મળ્યો છે ને, આ હકને લાગુ કરવામાં વાર ન થવી જોઈએ. હવે આ લાગુ થવો જોઈએ. હવે જે 2029માં લોકસભાની ચૂંટણીઓ થશે, હવે ત્યારથી લઈને વિધાન સભાની પણ ચૂંટણીઓ આવતી રહેશે, જે પણ ચૂંટણીઓ આવતી રહેશે, 2029થી જ આ લાગુ થઈ જવું જોઈએ. આ દેશની ભાવના છે, આ દેશની દરેક બહેન-દીકરીની ઈચ્છા છે. માતૃશક્તિની આ જ ઈચ્છાને નમન કરતા, 16 એપ્રિલથી સંસદમાં વિશેષ ચર્ચા નક્કી કરવામાં આવી છે. દેશની બહેનો-દીકરીઓના હક સાથે જોડાયેલા આ કામને, તમામ રાજકીય પક્ષો મળીને સર્વસંમતિથી આગળ વધારે, તેને પૂરું કરે. અને મેં આજે દેશની તમામ બહેનોના નામે એક ખુલ્લો પત્ર લખ્યો છે, સોશિયલ મીડિયામાં કદાચ આ મારો પત્ર આપના સુધી પહોંચ્યો હશે, હોઈ શકે છે ટીવી અને અખબારવાળા પણ આ પત્રનો ઉલ્લેખ કરતા હશે. મેં મોટા આગ્રહ સાથે દેશની માતાઓ-બહેનોને આ કાર્યમાં ભાગીદાર બનવા માટે નિમંત્રિત કરી છે. મને પાક્કો વિશ્વાસ છે કે પત્ર મારા દેશની માતાઓ-બહેનો જરૂર વાંચશે. એક એક શબ્દ પર મનન કરશે, અને આટલું મોટું પવિત્ર કાર્ય કરવા માટે 16-17-18 ને સંસદમાં આવનારા તમામ સાંસદોને તેમના આશીર્વાદ પણ મળશે. હું આજે દેવભૂમિથી દેશના તમામ પક્ષોને ફરી અપીલ કરીશ કે નારીશક્તિ વંદન અધિનિયમમાં સુધારાનું જરૂર સમર્થન કરે. 2029માં આપણા દેશની 50 ટકા જનસંખ્યા આપણી માતાઓ-બહેનો, આપણી દીકરીઓ, તેમને તેમનો હક આપણે આપીને રહીએ. સાથીઓ, હું ઉત્તરાખંડ આવું અને ફોજની વાત ન થાય, તો વાત અધૂરી જ રહે છે. આ ગઢી કેન્ટ, આ સભા સ્થળ, આ ઉત્તરાખંડની મહાન સૈન્ય પરંપરાનું પ્રમાણ છે. અહીં પાસે જ દેશની રક્ષા સુરક્ષા સાથે જોડાયેલી ઘણી સંસ્થાઓ છે, 1962ની લડાઈમાં, શહીદ જસવંત સિંહ રાવત જીના શૌર્યને દેશ ક્યારેય ભૂલી શકે નહીં. સાથીઓ, સેનાના સામર્થ્યને સશક્ત કરવાનું હોય, અથવા આપણા સૈનિક પરિવારોની સુવિધા અને સન્માન હોય, અમારી સરકાર તે માટે નિરંતર પ્રયત્નશીલ છે. વન રેન્ક વન પેન્શનના માધ્યમથી અમારી સરકારે, અત્યાર સુધી આશરે સવા લાખ કરોડ રૂપિયા પૂર્વ ફોજીઓને તેમના ખાતામાં જમા કરી દીધા છે. ઉત્તરાખંડના પણ હજારો પરિવારોને આનો લાભ મળ્યો છે. આ ઉપરાંત, આ વર્ષે પૂર્વ ફોજીઓ માટે health scheme નું બજેટ પણ છત્રીસ ટકા વધારવામાં આવ્યું છે. 70 વર્ષ અને તેથી વધુના ex-servicemen માટે, દવાઓની door step home delivery પણ શરૂ કરવામાં આવી છે. પૂર્વ ફોજીઓના બાળકોની એજ્યુકેશન ગ્રાન્ટ પણ ડબલ કરવામાં આવી છે. અને દીકરીઓના લગ્ન માટે જે સહાય મળે છે, તેને પણ 50 હજારથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે. સાથીઓ, દેશભક્તિ, દેવભક્તિ અને પ્રગતિ, આવા દરેક આયામને જોડતા, આપણે દેશને વિકસિત બનાવવાનો છે. એકવાર ફરી દિલ્હી-વાસીઓને, ઉત્તર પ્રદેશ વાસીઓને, અને એક પ્રકારે દેશવાસીઓને, આ શાનદાર એક્સપ્રેસ-વેની હું ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. મારી સાથે બોલો- ભારત માતાની જય! ભારત માતાની જય! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! ખૂબ-ખૂબ ધન્યવાદ !
Read More »છત્તીસગઢના સક્તિ જિલ્લામાં પાવર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના પર પીએમએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સક્તિ જિલ્લામાં એક પાવર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. તેમણે એમ પણ નોંધ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર પ્રભાવિત …
Read More »‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવનાને સાકાર કરતી નવોદય વિદ્યાલય, શિક્ષણની સાથે મૂલ્યોનો સંદેશ આપે છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
શિક્ષા એ એવી રોશની છે, જેના દ્વારા સમૃદ્ધ, સક્ષમ અને વિકસિત ભારતનું નિર્માણ કરી શકાય છે. સરકારી સંસ્થા હોવા છતાં નવોદય વિદ્યાલય તેના ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરીક્ષા પરિણામોને કારણે આજે અગ્રસ્થાને છે. રાજકારણ, પ્રશાસન, ચિકિત્સા, ઇજનેરી, શૈક્ષણિક ક્ષેત્ર, સૈન્ય સેવાઓથી લઈને વિવિધ પ્રોફેશનલ સેવાઓ, બિઝનેસ અને સામાજિક સેવાઓમાં નવોદયના વિદ્યાર્થી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની …
Read More »ઇન્ડિયા પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આયોજિત ‘જનરલ ઇન્શ્યોરન્સ સુપર ધુરંધર’ અભિયાનમાં ઉત્તમ પ્રદર્શન કરીને ઉત્તર ગુજરાત પરિક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઉભી કરી મજબૂત ઓળખ
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે દેશના દરેક ખૂણામાં, ખાસ કરીને ગ્રામીણ ભારત સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ‘આપકા બેંક, આપકે દ્વાર’ ની સંકલ્પનાને સાકાર કરતાં ‘વિત્તીય સમાવેશ’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ મિશનને નવી ગતિ આપવામાં આઇપીપીબી સતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ વિચારો ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ …
Read More »ડાક ટિકિટો પર પણ ‘રામ રાજ્ય’: વિશ્વના 20 થી વધુ દેશોમાં ફેલાયો ભગવાન શ્રી રામનો મહિમા
ભગવાન શ્રી રામનો મહિમા માત્ર ભારતના ખૂણે-ખૂણે જ નહીં, પરંતુ હવે ડાક ટિકિટોના માધ્યમથી સમગ્ર વિશ્વમાં પ્રસારિત થઈ રહ્યો છે. ભારત ઉપરાંત વિશ્વના 20 થી વધુ દેશોએ સમયાંતરે રામાયણના પાત્રો અને પ્રસંગો પર ડાક ટિકિટો બહાર પાડી છે, જે દર્શાવે છે કે ‘રામ રાજ્ય’ની ભાવના વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય છે. અમદાવાદ …
Read More »ભારતીય ડાક વિભાગ દ્વારા ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા શુભારંભ
ભારતીય ડાક વિભાગ તરફથી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો શુભારંભ કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વ ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા સંચાર રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, સચિવ (ડાક) સુશ્રી વંદિતા કૌલ અને મહાનિદેશક ડાક શ્રી જિતેન્દ્ર ગુપ્તાની ઉપસ્થિતિમાં 17 માર્ચ, 2026 ના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. આ સેવાઓ …
Read More »ડાક સેવા, જન સેવા’ હેઠળ ડાક સેવાઓ છેવાડા સુધી પહોંચાડવા માટે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શરૂ કરવામાં આવ્યું ‘પોસ્ટલ વોરિયર અભિયાન
ઇન્ડિયા પોસ્ટ આધુનિક ટેકનોલોજી અપનાવીને ડિજિટલ પહેલ અને આધુનિક સેવાઓ દ્વારા નાગરિકોના અનુભવને સતત સુધારી રહી છે. જનસેવા ને કેન્દ્રમાં રાખીને વિભાગે પરંપરાગત ટપાલ સેવાઓની આગળ વધીને આજે નાણાકીય સમાવેશ, લોજિસ્ટિક્સ, ઇ-કોમર્સ સહાય અને ડિજિટલ સેવાઓના ક્ષેત્રોમાં વિશ્વસનીય સંસ્થા તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. આ સુધારા સાથે, પોસ્ટ ઓફિસના કાઉન્ટર અને …
Read More »ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ‘કવાંટ ગેર મેળા’ પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ “કવાંટ ગેર મેળા”ની સાંસ્કૃતિક મહત્તાને માન આપી 05 માર્ચ, 2026ના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને તેના પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું. ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ આ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણની પ્રથમ પ્રતિ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ …
Read More »‘બ્યુરોક્રેટ્સ ઈન્ડિયા’ દ્વારા જાહેર કરાયેલ ‘ટોપ 25 ચેન્જમેકર્સ 2025’ યાદીમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવનો સમાવેશ
બ્યુરોક્રેસી શાસનની રીડ તરીકે કાર્ય કરે છે, જે જમીન સ્તર પર નીતિઓનો અમલ કરે છે અને વિકાસના લાભો દરેક નાગરિક સુધી પહોંચે તેની ખાતરી કરે છે. પોતાના સમર્પણ અને પ્રશાસનિક નેતૃત્વ દ્વારા અધિકારીઓ સંસ્થાઓને સશક્ત બનાવવામાં, સેવા પ્રદાન વ્યવસ્થામાં સુધારો લાવવામાં તેમજ જમીન સ્તરે અર્થપૂર્ણ પરિવર્તન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. …
Read More »ભારતમાં પ્રયાગરાજ કુંભ દરમિયાન 115 વર્ષ પહેલા શરૂ થયી હતી દુનિયાની પ્રથમ હવાઈ ડાક સેવા – પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
સમગ્ર વિશ્વમાં ડાક સેવાઓએ ઘણી લાંબી સફર કરી છે. ભારતનું સૌભાગ્ય છે કે વિશ્વની પ્રથમ હવાઈ ડાક સેવા અહીંથી શરૂ થઈ. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ઐતિહાસિક ઘટના 115 વર્ષ પહેલાં 18 ફેબ્રુઆરી, 1911ના રોજ પ્રયાગરાજમાં બની હતી. યોગાનુયોગ એ વર્ષે કુંભ મેળાનું પણ આયોજન થયું …
Read More »
Matribhumi Samachar Gujarati